શરદ પવાર બાદ NCPમાં રાજીનામા ચાલુ, આવ્હાડ સહિત નેતાઓએ છોડ્યા પદ, આપ્યુ આ કારણ

શરદ પવાર દ્વારા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામાં બાદ પાર્ટીમાં ઘટનાક્રમ તેજ છે. હવે NCPના રાષ્ટ્રીય મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જિતેન્દ્ર આવ્હાડનું કહેવું છે કે, તેઓ શરદ પવાર વિના પદ પર નહીં રહે. પદ પરથી રાજીનામું આપ્યા બાદ જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, મેં રાષ્ટ્રીય મહાસચિવના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને શરદ પવારને મોકલ્યું છે. થાણે NCPના બધા પદાધિકારીઓએ પણ પોતાના પદ છોડી દીધા છે. શરદ પવારના નિર્ણય બાદ લોકો રાજીનામું આપી રહ્યા છે.

જિતેન્દ્ર આવ્હાડને શરદ પવારના ખૂબ નજીકના અને ભરોસાપાત્ર નેતાઓમાં ગણવામાં આવે છે. તેઓ સુપ્રિયા સુલે સાથે પણ સારા સંબંધ રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે, અજીત પવારના પક્ષ પર દબાવ બનાવવા માટે શરદ પવાર બાદ બીજા નેતાઓના પણ રાજીનામાનો દાવ ચાલી રહ્યા છે. આ દરમિયાન મુંબઈના યશવંત રાવ ઓડિટોરિયમમાં NCPની મીટિંગ ચાલી રહી છે. આ બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ જેવા નેતા ઉપસ્થિત છે અને શરદ પવાર સાથે વાતચીત ચાલી રહી છે.

મીટિંગમાં પહોંચવા અગાઉ અજીત પવારે અધ્યક્ષ બનવાના સવાલ પર કહ્યું કે, હું નહીં બનું. આ વાતનો સવાલ જ ઊઠતો નથી. જો મને અધ્યક્ષ બનવા કહેવામાં આવશે તો હું તે માટે ના પાડી દઇશ. માનવામાં આવી રહ્યું છે કે અજીત પવાર પોતે અધ્યક્ષ બનવાની જગ્યાએ પોતાના કોઈ નજીકના જેમ કે પ્રફુલ પટેલને અધ્યક્ષ બનાવી શકે છે. તેઓ પોતે વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ છે. જે પ્રકારે શરદ પવારનો પક્ષ આક્રમક છે અને પોતાના નેતા માટે ભાવુક છે, તેનાથી ખેચતાણ વધતી દેખાઈ રહી છે.

રાજીનામું આપવા અગાઉ જિતેન્દ્ર આવ્હાડે શરદ પવારને અપીલ કરી હતી કે, તે પોતાનો નિર્ણય પાછો લઈ લે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે, શરદ પવાર પોતે જ આ નિર્ણય ન લઈ શક્યા. તેમણે કાર્યકર્તાઓની ભાવનાઓને સમજવું પડશે. જે તેમના સિવાય કોઈ બીજાને સ્વીકારી નહીં શકે. આવ્હાડે આ દરમિયાન અજીત પવાર પર પ્રહાર પણ કર્યો. તેમણે કહ્યું કે, કાલે કોઈએ આમને કહ્યું કે, તમે જઈને સાહેબને રાજીનામું લેવા ન કહેતા, પરંતુ લોકો શરદ પવારને પ્રેમ કરે છે. તમે તેમના પ્રેમને નહીં રોકી શકો. કાલે શરદ પવારે તો અહી સુધી કહી દીધું હતું કે આ વાતનો વિરોધ ન કરો. લોકો આમ પણ કરશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.