હવે, 'રોડ ટેસ્ટ' વિના કોઈપણ નવા એક્સપ્રેસવે કે હાઇવેને ચાલુ કરી શકાશે નહીં; જાણો સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેનું નિર્માણ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. સમસ્યાઓ પણ એટલી જ ઝડપી ગતિએ સામે આવી રહી છે. સરકારે આ મુદ્દાઓને ઉકેલવા માટે એક મોટું પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે કયા નવા નિર્ણયો લીધા છે.

સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેનું નિર્માણ ઝડપી ગતિએ કરી રહી છે. નવા એક્સપ્રેસવે અને હાઇવે ખોલ્યા પછી તરત જ ઘણી સમસ્યાઓ ઉભરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે આ અંગે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય શું છે, અને કઈ રીતે સામાન્ય લોકોને તેનો લાભ મળી શકે છે, અહીં અમે તે અંગે તમને જણાવી રહ્યા છીએ.

New-National-Highway1
prabhatkhabar.com

અહેવાલો અનુસાર, સરકારે નિર્ણય લીધો છે કે, કોઈપણ નવા એક્સપ્રેસવે કે હાઇવેના ઉદ્ઘાટન પહેલાં ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, 2થી 3 મહિના સુધી વાહનોને તેના પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જો આ સરકારી નિર્ણય લાગુ કરવામાં આવે છે, તો તેનો સામાન્ય જનતાને પણ ફાયદો થશે. ટ્રાયલ રન દરમિયાન લગભગ 2થી 3 મહિના સુધી નવા એક્સપ્રેસવે અને હાઇવે પર ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં, જેનાથી જનતાને ખુબ મોટી રાહત મળશે.

આનાથી લોકોની સાથે સાથે સરકારને પણ ફાયદો થશે, કારણ કે ટ્રાયલ રન દરમિયાન જો કોઈ સમસ્યા ઉભી થાય છે તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય છે.

New-National-Highway2
instagram.com

અહેવાલો અનુસાર, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ વિચારની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આવા રોડ ટેસ્ટ રોડ બાંધકામ અને સલામતી ઓડિટ પૂર્ણ થયા પછી જ શરૂ થઈ શકે છે.

PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાર પછી તેમાં રોડ તૂટી જવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ-કાનપુર એક્સપ્રેસવેમાં પણ તેના ઉદઘાટનના થોડા અઠવાડિયામાં જ ખામીઓ જોવા મળી હતી, જેના કારણે NHAIને ટોલ વસૂલાતને અસ્થાયી રૂપે સ્થગિત કરવાની ફરજ પડી હતી.

About The Author

Related Posts

Top News

જે મહિલા આ દુનિયામાં જ નથી તેના ખાતામાંથી બેંકના મેનેજરે 30 લાખ ઉપાડી લીધા

મુંબઈની સાયબર પોલીસે બેંક સાથેની કથિત છેતરપિંડીના કેસમાં એક ખાનગી બેંકની ચોપાટી શાખાના ભૂતપૂર્વ મેનેજર અને એક કર્મચારીની ધરપકડ કરી...
National 
જે મહિલા આ દુનિયામાં જ નથી તેના ખાતામાંથી બેંકના મેનેજરે 30 લાખ ઉપાડી લીધા

પોલીસે બેફામ ડ્રાઇવિંગનો ગુનો નોધ્યો હોય તો પણ મૃતકને અકસ્માત વીમાનો લાભ નકારી શકાય નહીં: કોર્ટ

સુરત : મોટરસાઇકલ અકસ્માતમાં મૃત્યુ પામેલા વીમાધારક સામે પોલીસે વીમા ધારક મોટર સાઇકલ બેફામ અને ગફલતભરી રીતે ચલાવવાનો ગુનો નોંધ્યો...
Gujarat 
પોલીસે બેફામ ડ્રાઇવિંગનો ગુનો નોધ્યો હોય તો પણ મૃતકને અકસ્માત વીમાનો લાભ નકારી શકાય નહીં: કોર્ટ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-09-2026 દિવસ: શનિવાર મેષ: મનનું ધાર્યું મનમાં રહી જાય, બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારતીયોને બહાર કાઢો, ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકો; અમેરિકામાં આટલી નફરત કેમ?

અમેરિકામાં ભારત અને ભારતીયો પ્રત્યે રોષ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરૂઆતમાં, વંશીય ટિપ્પણીઓ દર્શાવતી તસવીરો સામે...
World 
ભારતીયોને બહાર કાઢો, ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકો; અમેરિકામાં આટલી નફરત કેમ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.