હિંસા બાદ નૂહમાં ફરી યાત્રા કાઢવા VHPએ પરમિશન માગી, જાણો સરકારે શું કહ્યું

નૂંહ જિલ્લા તંત્રએ 28 ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત વિશ્વ હિંદુ પરિષદની બ્રજ મંડળ યાત્રાને આધિકારિક રીતે પરવાનગી આપવાની ના પાડી દીધી છે. ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે નૂહના જિલ્લા કલેક્ટર ધીરેન્દ્ર ખડગટાએ કહ્યું કે 3 સપ્ટેમ્બરથી ટૌરૂમાં થનારી આવનારી G-20 બેઠક જેવા કારણોનો હવાલો આપી યાત્રાની પરવાનગી આપી નથી. કારણ કે યાત્રા જી20 બેઠકની તારીખની આસપાસ છે, માટે તેને મંજૂરી આપવામાં આવી નથી. મંજૂરી ન આપવાના કારણો આપવામાં હાલમાં નૂહમાં થયેલી હિંસા અને તેની ચિંતાઓનો પણ હવાલો આપવામાં આવ્યો.

પાનીપતના બજરંગ દળના સભ્ય નારાયણે કહ્યું કે, અમને ખબર પડી છે કે જિલ્લા પ્રશાસને મંજૂરી આપી નથી. પણ સંગઠનના સભ્યોએ કહ્યું કે તેઓ પ્રશાસનની મંજૂરી વિના પણ યાત્રા ચાલુ રાખશે.

VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, તેમને હજુ પણ આશા છે કે જિલ્લા પ્રશાસન પરવાનગી આપશે. બંસલે કહ્યું કે, પ્રશાસને મુશ્કેલી પેદા કરવાના સ્થાને સમર્થન આપવું જોઇએ. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, VHPને પરવાનગી ન આપવાનો નિર્ણય ખાનગી જાણકારી અને સ્થાનીય શાંતિ સમિતિઓ પર આધારિત છે. જેમણે કહ્યું કે સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે VHPએ જાહેરાત કરી હતી કે તેઓ આ યાત્રાને ફરીથી આયોજિત કરશે. 13 ઓગસ્ટના રોજ હરિયાણાના પલવલ જિલ્લામાં આયોજિત હિંદુત્વવાદી સંગઠનોની એક મહાપંચાયતમાં જાહેરાત કરવામાં આવી હતી કે 31 જુલાઈની સાંપ્રદાયિક હિંસાને લીધે આવનારી 28 ઓગસ્ટના રોજ નૂહ જિલ્લામાં વિશ્વ હિંદૂ પરિષદની બ્રજ મંડળ યાત્રા ફરીથી શરૂ કરશે.

પોંડરી ગામમાં ભારે સંખ્યામાં પોલીસની તૈનાતી દરમિયાન મહાપંચાયતમાં અમુક વક્તાઓએ તંત્રને તેમને રોકવાનો પડકાર આપ્યો છે. આ ઉપરાંત આત્મરક્ષા માટે ગન લાયસન્સ આપવા અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને હટાવવાની માગ કરવામાં આવી હતી. આમાંથી એક વક્તાએ તો લોકોને રાઇફલ ખરીદવાનું પ્રોત્સાહન પણ આપ્યું હતું.

માલૂમ હોય તો, નૂહમાં પાછલી 31 જુલાઈના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ સાંપ્રદાયિક હિંસા થઇ હતી. જ્યારે કથિત પણે મુસ્લિમ સમૂહોએ હિંદુ દક્ષિણપંથી ગ્રુપોની સભા પર હુમલો કર્યો હતો. આ હિંસા ગુડગાવમાં ફેલાઈ હતી. 1 ઓગસ્ટના રોજ હિંસા દરમિયાન ગુડગામના બાદશાહપુરમાં ઓછામાં ઓછી 14 દુકાનોને આગમાં હોમી દેવામાં આવી હતી. જે મોટાભાગે મુસલમાનોની હતી. નૂહના રહેવાસીઓએ જણાવેલું કે યાત્રા દરમિયાન યાત્રી તલવાર અને બંદૂકો સહિત શસ્ત્રો લઇ ચાલી રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.