CM ફડણવીસે કરેલી આર્થિક સલાહકારની નિમણૂક પર વિપક્ષે કહ્યું કે, '..હવે DyCM પવારનો વારો...'

મહારાષ્ટ્રમાં, CM દેવેન્દ્ર ફડણવીસે શનિવાર, 12 એપ્રિલ, 2025ના રોજ પ્રવીણ પરદેશીને તેમના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. એટલું જ નહીં, તેમને રાજ્યમંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો. પ્રવીણ પરદેશી અગાઉ મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન (મિત્રા)ના CEO રહી ચૂક્યા છે. હવે વિપક્ષે મુખ્ય આર્થિક સલાહકારની નિમણૂકને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષનું કહેવું છે કે આના દ્વારા CM ફડણવીસ નાણાં વિભાગમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. પહેલા તેઓ DyCM એકનાથ શિંદે પાછળ હતા, હવે DyCM અજિત પવારનો વારો છે.

DyCM-Shinde,-DyCM-Ajit-Pawar
jansatta.com

NCP (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું હતું કે, DyCM એકનાથ શિંદેના CM તરીકેના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા તમામ નિર્ણયોની સમીક્ષા કર્યા પછી, હવે DyCM અજિત પવારનો વારો છે. ભવિષ્યમાં, નાણાં વિભાગના દરેક નીતિગત અને વહીવટી નિર્ણય હવે CM ફડણવીસના અધિકાર હેઠળ રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં બધું બરાબર નથી. તાજેતરમાં, અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન, DyCM એકનાથ શિંદે ગૃહમંત્રીને મળ્યા હતા અને DyCM પવાર, CM ફડણવીસ અને તેમની વચ્ચે વધી રહેલા અણબનાવ વિશે વાત કરી હતી. જ્યારે, તેમણે પાર્ટીના મંત્રીઓના કામમાં CM કાર્યાલય દ્વારા સતત દખલગીરી અંગે પણ ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં, CM ફડણવીસના આ નિર્ણયને DyCM અજિત પવારના નાણાં વિભાગમાં દખલગીરી પણ માનવામાં આવી રહી છે.

DyCM-Ajit-Pawar
economictimes.indiatimes.com

NCP (શરદ પવાર)ના ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં રોહિતે લખ્યું, 'CM ફડણવીસે રાજ્યમંત્રીના દરજ્જા સાથે CMના મુખ્ય આર્થિક સલાહકારનું પદ બનાવીને DyCM અજિત પવારના નાણાં વિભાગમાં ઘૂસણખોરી કરી છે. હવેથી, નાણા વિભાગના તમામ નીતિગત નિર્ણયો અને વહીવટી નિર્ણયો પણ CEA દ્વારા CM ફડણવીસના અધિકારક્ષેત્રમાં આવશે.

CM-Devendra-Fadnavis4
aajtak.in

ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે, વર્તમાન CM ફક્ત સરમુખત્યારશાહી વર્તન તરફ જ વલણ ધરાવે છે. આ નિમણૂક તેમની કાર્યશૈલીનો પણ એક ભાગ છે. આ દરમિયાન, NCPના મુખ્ય પ્રવક્તા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ આનંદ પરજેએ કહ્યું, 'CM હંમેશા સરકારનો હવાલો સંભાળે છે અને તેમની પાસે નિમણૂકો કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ પદ પર નિમણૂક પહેલાં પણ, CMને નાણાં વિભાગ દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયની સમીક્ષા કરવાનો અધિકાર હતો. તેથી અમે તેને ઘુસણખોરી તરીકે જોતા નથી.'

CM-Devendra-Fadnavis5
aajtak.in

અહીં તમને જણાવી દઈએ કે, પ્રવીણ પરદેસીને CM દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળથી જ તેમના સૌથી વિશ્વાસુ અધિકારીઓમાંના એક માનવામાં આવે છે. પરદેશીને વર્ષ 2047 માટે એક વિઝન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ રાજ્યની લાંબા ગાળાની આર્થિક નીતિનો એક ભાગ છે. તેઓ CM વતી રાજ્ય મંત્રીમંડળ સમક્ષ રાજ્યની આર્થિક સ્થિતિની ત્રિમાસિક સમીક્ષા રજૂ કરશે. આ સાથે, તેઓ ઘણી યોજનાઓ અંગે અધિકારીઓની બેઠક પણ બોલાવશે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.