CM ફડણવીસે કરેલી આર્થિક સલાહકારની નિમણૂક પર વિપક્ષે કહ્યું કે, '..હવે DyCM પવારનો વારો...'

મહારાષ્ટ્રમાં, CM દેવેન્દ્ર ફડણવીસે શનિવાર, 12 એપ્રિલ, 2025ના રોજ પ્રવીણ પરદેશીને તેમના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. એટલું જ નહીં, તેમને રાજ્યમંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો. પ્રવીણ પરદેશી અગાઉ મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન (મિત્રા)ના CEO રહી ચૂક્યા છે. હવે વિપક્ષે મુખ્ય આર્થિક સલાહકારની નિમણૂકને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષનું કહેવું છે કે આના દ્વારા CM ફડણવીસ નાણાં વિભાગમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. પહેલા તેઓ DyCM એકનાથ શિંદે પાછળ હતા, હવે DyCM અજિત પવારનો વારો છે.

DyCM-Shinde,-DyCM-Ajit-Pawar
jansatta.com

NCP (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું હતું કે, DyCM એકનાથ શિંદેના CM તરીકેના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા તમામ નિર્ણયોની સમીક્ષા કર્યા પછી, હવે DyCM અજિત પવારનો વારો છે. ભવિષ્યમાં, નાણાં વિભાગના દરેક નીતિગત અને વહીવટી નિર્ણય હવે CM ફડણવીસના અધિકાર હેઠળ રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં બધું બરાબર નથી. તાજેતરમાં, અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન, DyCM એકનાથ શિંદે ગૃહમંત્રીને મળ્યા હતા અને DyCM પવાર, CM ફડણવીસ અને તેમની વચ્ચે વધી રહેલા અણબનાવ વિશે વાત કરી હતી. જ્યારે, તેમણે પાર્ટીના મંત્રીઓના કામમાં CM કાર્યાલય દ્વારા સતત દખલગીરી અંગે પણ ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં, CM ફડણવીસના આ નિર્ણયને DyCM અજિત પવારના નાણાં વિભાગમાં દખલગીરી પણ માનવામાં આવી રહી છે.

DyCM-Ajit-Pawar
economictimes.indiatimes.com

NCP (શરદ પવાર)ના ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં રોહિતે લખ્યું, 'CM ફડણવીસે રાજ્યમંત્રીના દરજ્જા સાથે CMના મુખ્ય આર્થિક સલાહકારનું પદ બનાવીને DyCM અજિત પવારના નાણાં વિભાગમાં ઘૂસણખોરી કરી છે. હવેથી, નાણા વિભાગના તમામ નીતિગત નિર્ણયો અને વહીવટી નિર્ણયો પણ CEA દ્વારા CM ફડણવીસના અધિકારક્ષેત્રમાં આવશે.

CM-Devendra-Fadnavis4
aajtak.in

ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે, વર્તમાન CM ફક્ત સરમુખત્યારશાહી વર્તન તરફ જ વલણ ધરાવે છે. આ નિમણૂક તેમની કાર્યશૈલીનો પણ એક ભાગ છે. આ દરમિયાન, NCPના મુખ્ય પ્રવક્તા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ આનંદ પરજેએ કહ્યું, 'CM હંમેશા સરકારનો હવાલો સંભાળે છે અને તેમની પાસે નિમણૂકો કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ પદ પર નિમણૂક પહેલાં પણ, CMને નાણાં વિભાગ દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયની સમીક્ષા કરવાનો અધિકાર હતો. તેથી અમે તેને ઘુસણખોરી તરીકે જોતા નથી.'

CM-Devendra-Fadnavis5
aajtak.in

અહીં તમને જણાવી દઈએ કે, પ્રવીણ પરદેસીને CM દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળથી જ તેમના સૌથી વિશ્વાસુ અધિકારીઓમાંના એક માનવામાં આવે છે. પરદેશીને વર્ષ 2047 માટે એક વિઝન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ રાજ્યની લાંબા ગાળાની આર્થિક નીતિનો એક ભાગ છે. તેઓ CM વતી રાજ્ય મંત્રીમંડળ સમક્ષ રાજ્યની આર્થિક સ્થિતિની ત્રિમાસિક સમીક્ષા રજૂ કરશે. આ સાથે, તેઓ ઘણી યોજનાઓ અંગે અધિકારીઓની બેઠક પણ બોલાવશે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.