ઈદના અવસરે BJP 32 લાખ જરૂરિયાતમંદ મુસ્લિમોને 'સૌગાત-એ-મોદી' યોજના કીટનું વિતરણ કરશે

BJPએ લઘુમતી સમુદાય માટે એક યોજના બનાવી છે. ઈદ પહેલા BJP'સૌગત-એ-મોદી' અભિયાન શરૂ કર્યું છે. ઈદના અવસરે આ યોજનાનો લાભ 32 લાખ જરૂરિયાતમંદ લોકોને મળશે તેવી માહિતી આપવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના અભિયાન હેઠળ, 'સૌગત-એ-મોદી' કીટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવશે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, BJP લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ પાર્ટીના લઘુમતી મોરચાની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન આ ઝુંબેશની જાહેરાત કરી હતી. આ બેઠકમાં મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા.

BJP લઘુમતી મોરચાના 32,000 અધિકારીઓ 32,000 મસ્જિદો સાથે જોડાશે અને 32 લાખ જરૂરિયાતમંદ લોકોને ઓળખશે અને તેમને મદદ પૂરી પાડશે. આ કીટમાં તેમને જોઈતી વસ્તુઓ હશે.

Saugat-e-Modi
amarujala.com

સિદ્દીકીએ કહ્યું કે, રમઝાનના પવિત્ર મહિનામાં ગરીબ અને નબળા પડોશીઓ અને સંબંધીઓને મદદ કરવી જોઈએ. ઈદ ઉપરાંત, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, નવરોઝ અને ભારતીય નવા વર્ષમાં પણ આ જ કરવામાં આવશે. 'સૌગાત-એ-મોદી' કીટનું વિતરણ કરીને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવામાં આવશે.

સિદ્દીકીએ કહ્યું કે મોદી સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ'ની નીતિને અનુસરે છે. આ નીતિથી મુસ્લિમોને સૌથી વધુ ફાયદો થયો છે. દેશના ઘણા મુસ્લિમો ગરીબોની શ્રેણીમાં આવે છે, તેથી આ સમુદાયને મોદી સરકારની ગરીબો સંબંધિત બધી યોજનાઓનો લાભ મળ્યો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, કીટમાં સેવૈયા, ખજૂર, ડ્રાયફ્રૂટ અને ખાંડ જેવી ખાદ્ય ચીજોની સાથે કપડાં પણ હશે. આ કીટમાં મહિલાઓ માટે સૂટ મટિરિયલ અને પુરુષો માટે કુર્તા-પાયજામા હશે. આ કીટની કિંમત લગભગ 500 થી 600 રૂપિયાની આજુબાજુ હશે.

Saugat-e-Modi
bhaskar.com

આ અગાઉ, લોકસભા ચૂંટણી દરમિયાન, મુસ્લિમોમાં પગપેસારો કરવા માટે 'મોદી મિત્ર'નું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પાર્ટીએ આ યોજના મુસ્લિમ વિસ્તારો અને બેઠકો પર લાગુ કરી હતી. આ ઝુંબેશ પણ BJPના લઘુમતી મોરચા દ્વારા શરૂ કરવામાં આવી હતી.

2014માં સત્તામાં આવ્યા પછી, BJP 'પસમાંદા' મુસ્લિમ સમુદાય માટેની તેની યોજનાઓ વિશે અવાજ ઉઠાવી રહ્યું છે. મહિનાની શરૂઆતમાં, PM મોદીએ જહાન-એ-ખુસરો સૂફી સંગીત મહોત્સવમાં હાજરી આપી હતી. જોકે, રમઝાન દરમિયાન BJP દ્વારા કીટ વિતરણ કરવાની યોજના આ પ્રકારની પહેલી યોજના છે.

Related Posts

Top News

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.