ભારતીય ક્રિકેટરોને 11 કરોડ આપવા બદલ મહારાષ્ટ્ર સરકાર પર વિપક્ષ નારાજ, ગરીબોને...

મહારાષ્ટ્રમાં, વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને શિવસેનાએ CM એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારની T-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે, આમ કરીને સરકાર જાતે જ પોતાની પીઠ થપથપાવવા માંગે છે. ત્યાર પછી વિરોધ પક્ષોએ કહ્યું કે, તેમને ક્રિકેટરોની સિદ્ધિ પર ગર્વ છે, પરંતુ સરકારી તિજોરીમાંથી 11 કરોડ રૂપિયા આપવાની જરૂર નથી. તેમણે CM શિંદેને આ રકમ પોતાના ખિસ્સામાંથી આપવા જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પ્રવીણ દરેકરે કોંગ્રેસ પર આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમ માટે 11 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. વિધાન ભવનમાં આ જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં ટીમના ચાર મુંબઈ ખેલાડીઓ, કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી, પત્રકારો સાથે વાત કરતા, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું, 'રાજ્યની તિજોરીમાંથી 11 કરોડ રૂપિયા આપવાની શું જરૂર હતી? આ તો જાતે પોતાની પીઠ થપથપાવવા જેવું છે... તિજોરી ખાલી થવા દો... ગરીબોને મરવા દો. પરંતુ સરકાર પોતાની પીઠ થપથપાવવા માંગે છે.'

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું, 'રાજ્યની તિજોરીમાંથી ખેલાડીઓને 11 કરોડ રૂપિયા ચૂકવવાની જરૂર નહોતી. દરેક વ્યક્તિને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે અને તેઓને પૂરતી ઈનામી રકમ મળે છે. CM શિંદેએ પોતાના ખિસ્સામાંથી 11 કરોડ રૂપિયા આપવા જોઈએ.' વડેટ્ટીવાર કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને દાનવે શિવસેના (UBT) સાથે સંકળાયેલા છે. BJPના વિધાન પરિષદ દરેકરે એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'વિજય વડેટ્ટીવારની વિચારસરણી વિકૃત અને નાનકડી છે. T20 ટીમના વર્લ્ડ કપ જીતવાથી સમગ્ર રાષ્ટ્ર ખુશ છે.' તેમણે કહ્યું, 'લોકોએ જોયું છે કે, કેવી રીતે ક્રિકેટ ચાહકો મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે (વિજય સરઘસ દરમિયાન) મોટી સંખ્યામાં ક્રિકેટરો પર તેમનો પ્રેમ વરસાવવા અને તેમની પ્રશંસા કરવા ભેગા થયા હતા. પરંતુ વડેટ્ટીવાર આ કાર્યક્રમનું પણ રાજનીતિકરણ કરવા માંગે છે.'

About The Author

Related Posts

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.