આ રાજ્યમાં શાળાના બાળકોને નહીં વેચી શકાય એનર્જી ડ્રિંક અને સ્ટિંગ, આ છે કારણ

પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ સરકારે શૈક્ષણિક સંસ્થાઓની 500 મીટરની અંદર અને શાળા-કૉલેજ કેન્ટિનમાં એનર્જી ડ્રિંક્સનું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અગાઉ, પંજાબના આરોગ્ય મંત્રીએ તેને લઈને મૌખિક આદેશ આપ્યા હતા. તેની સાથે જ, પંજાબ સરકારે નિર્ણય લીધો છે કે એનર્જી ડ્રિંક્સથી થતા નુકસાનને લઈને સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે અને સર્વેના પરિણામોના આધારે, આખા પંજાબમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગવાવનો પણ વિચાર કરી શકાય છે.

bhagwant-mann
indianexpress.com

 

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, જે લોકો બાળકોને એનર્જી ડ્રિંક્સ આપશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર નશાને મૂળમાંથી નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેના માટે દરેક જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકાર અને પોલીસ સાથે મળીને નશાના તસ્કરો પર લગામ કસી રહ્યા છીએ. મોટા ડ્રગ તસ્કરોને પકડવાની તૈયારી છે અને કોઈને છોડવામાં નહીં આવે.

શુદ્ધ દૂધ, ચીઝ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે કડક પગલાં લીધાં છે. જે દુકાનદારો અને ઉદ્યોગપતિઓ સ્વચ્છ વસ્તુઓ વેચશે, તેમને સન્માનિત કરવામાં આવશે. તો ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માનસા જિલ્લામાં 'સિગ્નેચર' જેવી નશીલી કેપ્સ્યૂલ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મેડિકલ દુકાનદારોની બેઠક બોલાવીને આ દવાઓનું વેચાણ બંધ કરવા કહેવામાં આવ્યું છે. જોકે, જ્યારે માનસા સિવિલ હોસ્પિટલની સ્થિતિ પર સવાલ પૂછવામાં આવ્યો તો આરોગ્ય મંત્રીએ માત્ર એટલું જ કહ્યું કે, તેના પર ધ્યાન આપવામાં આવશે અને હૉસ્પિટલોમાં સુવિધાઓ સારી કરવામાં આવશે.

Energy-Drinks1
hackensackmeridianhealth.org

પંજાબ સરકારના આરોગ્ય વિભાગ તરફથી પ્રભાવી રીતે લાગૂ કરવા માટે  ડૉક્ટર સંદીપ ભોલાને નોડલ અધિકારીબનાવવામાં આવ્યા છે. આ યોજના પર અમલ કરવા અગાઉ રાજ્ય સરકાર તરફથીએક સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેના માધ્યમથી વેચતા એનર્જી ડ્રિંક્સ અને તેમાં કેફીનની માત્રા, બાળકો પર તેની પડતી અસરનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પંજાબના અધિકારીઓના જણાવ્યા અનુસાર, AAP સરકાર સૈદ્ધાંતિક રીતે શાળાઓના 500 મીટરના દાયરામાં એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવા સહમતી આપી ચૂકી છે. આ પ્રતિબંધ લાગૂ કરવા માટે શું આધાર હશે અને આવું શા માટે કરવામાં આવશે તેની બધી તૈયારીને લઈને અત્યારે કામ ચાલી રહ્યું છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા દેશોમાં બાળકોને એનર્જી ડ્રિંક્સનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. એનર્જી ડ્રિંક્સને લઈને એવું સાબિત થઈ ચૂક્યું છે કે તે બાળકો માટે સારા નથી. આરોગ્ય મંત્રી ડૉ. બલબીર સિંહે ગયા મહિને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ અત્યંત નશાની લતવાળા પેય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

Related Posts

Top News

RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 30મી તારીખે પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી...
Business 
RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરિટ પટેલે એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન કર્યુ છે. આ નિવેદનને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
Politics 
મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનો સામાન્ય માણસ (કોમન મેન) અવતાર ફરી એકવાર સામે આવ્યો છે. એક સમયે ઓટો રિક્ષા ચલાવનારા DyCM ...
National 
DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યા પછી કે મહારાષ્ટ્રમાં નવેમ્બર 2024ની ચૂંટણીમાં 'ગડબડ' ...
National 
રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.