પાકિસ્તાન, બાંગ્લાદેશ પોતે ભારતમાં ભળી જશે, દરેકના પૂર્વજ હિન્દુ: શંકરાચાર્ય

પુરી પીઠના શંકરાચાર્ય પીઠાધીશ્વર જગતગુરુ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજે કહ્યું છે કે, એક દિવસ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પોતે જ ભારતમાં ભળી જશે. તેઓ એક દિવસના રોકાણ પર ગ્વાલિયર આવ્યા હતા. તેમણે આજના યુગને લગતા અનેક ગંભીર મુદ્દાઓ અહીં ઉઠાવ્યા હતા. એક તરફ, તેમણે બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને તેમની હિંદુ રાષ્ટ્રની માંગ પર અભિપ્રાય આપ્યો, તો બીજી તરફ, તેમણે મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા મુસ્લિમ રાષ્ટ્રની માંગ પર પણ પ્રતિક્રિયા આપી. આ સાથે તેમણે વિશ્વ ગુરુ બનવાની ભારતની યાત્રા વિશે વાત કરી અને અખંડ ભારત શા માટે જરૂરી છે? તેમણે આ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો.

જગતગુરુ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કાર વિશે કહ્યું છે કે ધીરેન્દ્ર એકવાર તેમને મળવા આવ્યા હતા. તેણે ક્યારેય ધીરેન્દ્રની કથા કે પ્રવચન સાંભળ્યું નથી. તેમણે કહ્યું કે, શંકરાચાર્ય હોવાના કારણે હું મારો બધો સમય પુસ્તકો લખવામાં અને રાષ્ટ્ર વિશે વિચારવામાં પસાર કરું છું. પણ એ ચોક્કસ સાંભળ્યું છે કે, ધીરેન્દ્ર એ વ્યક્તિ છે જે હિંદુઓને ભટકી જતા બચાવે છે.

જગતગુરુ શંકરાચાર્યે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સહિત અન્ય સંતો દ્વારા હિંદુ રાષ્ટ્રની માંગ ઉઠાવવા પર કહ્યું કે, ભારતની સાથે સાથે સમગ્ર એશિયા ખંડને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવું પડશે. કારણ કે, દરેકના પૂર્વજો સનાતન વૈદિક આર્ય હિન્દુ હતા. જો કોઈને શંકા હોય તો અમે તેનું નિરાકરણ પણ કરીશું. મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પૂર્વજો કોણ હતા તે જાણવા માંગતા લોકોએ હિંદુ ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુ જ બધાના પૂર્વજ છે.

શંકરાચાર્ય જગતગુરુ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજે પાકિસ્તાન, POK, બલૂચિસ્તાનની સ્થિતિ તેમજ શ્રીલંકામાં બગડેલી સ્થિતિ અને ભારતની તાકાત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેમણે 30 વર્ષ પહેલા જ કહ્યું હતું કે, ભારત એક થવું જોઈએ, પાકિસ્તાન પણ ભારતમાં હોવું જોઈએ, બાંગ્લાદેશ પણ ભારતમાં હોવું જોઈએ, માનસરોવર કૈલાશ પણ ભારતમાં હોવું જોઈએ, શ્રીલંકા પણ ભારતમાં હોવું જોઈએ. દરેકની સંવાદિતા સાથે ભારત જલ્દીથી એક થાય. જે પણ અખંડ ભારતથી અલગ થયેલા હતા તે તમામ દેશોની દુર્દશા આજે થઈ રહી છે. જેઓ છૂટા પડ્યા તેઓ એકલા અટુલા થઈ ગયા. આજે પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ છે. એક દિવસ એવો આવશે જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ પોતે ભારતમાં ભળી જશે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.