રાહુલના સમર્થનમાં પોસ્ટર અભિયાન, ‘મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમનું સભ્યપદ છીનવી લેવાયા બાદ તેમના સરકારી બંગલાને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. હવે દેશના ઘણા ભાગોમાં લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટર લગાવી રહ્યા છે, તેઓએ પોસ્ટરો પર લખ્યું  છે કે ‘મેરા ઘર રાહુલ કા ઘર’.  ઘણા નેતાઓ અને સામાન્ય લોકો ઘરે ઘરે પોસ્ટર લગાવીને રાહુલનું સમર્થન કરી રહ્યા છે.

ટ્વીટર પર પણ મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર નામથી ટ્રેડ થઇ રહ્યું છે. અનેક લોકો પોતાના ઘર પર આવા પોસ્ટરો લગાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ એક પત્રમાં કહ્યુ હતું કે તેઓ પોતે જ નિયમ મુજબ સરકારી બંગલો ખાલી કરી દેશે. લોકો આ પોસ્ટરોના માધ્યમથી કહી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો એટલે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ છીનવી લેવાયું છે. લોકો એવો  આરોપ લગાવી રહ્યા છે  કે,PM મોદી બદલાંની ભાવનાથી કામ કરી રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધી લોકોના દીલમાં વસેલા છે. રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો એટલે તેમની સામે પગલાં લેવાયા છે.

બનારસમાં કોગ્રેસના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અજય રાયે પોતાના ઘર પોસ્ટર લગાવ્યું છે. તેમણે કહ્યુ કે, જે રીતે લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે, પહેલા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું અને હવે સરકારી બંગલો ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ગાંધી પરિવારે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. પ્રયાગરાજમાં આનંદ ભવનને સરકારને દાનમાં આપી દેવામાં આવ્યું છે. આજે એવા પરિવારમાંથી આવતા રાહુલ ગાંધી પાસે સરકારી બંગલો ખાલી કરાવાય રહ્યો છે.

રાહુલ ગાંધીની મુસીબતની શરૂઆત 23 માર્ચથી શરૂ થઇ હતી, જ્યારે સુરતની કોર્ટે એક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા કરી હતી. એના બીજા જ દિવસે લોકસભામાં તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.

રાહુલનું સભ્ય પદ રદ થયા પછી કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઇ છે અને છેલ્લાં 6 દિવસથી સતત લડત આપી રહી છે. રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી પણ ભાજપ સામે સતત પ્રહાર કરી રહ્યા છે. હવે કોંગ્રેસના નેતાઓ અને સામાન્ય લોકો પણ રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે અને ઘરે ઘરે પોસ્ટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.