રાહુલની ભારત જોડો ન્યાય યાત્રામાં ગયેલા વાહનોના પૈસા ન ચૂકવાયા હોવાનો આક્ષેપ

હાલમાં જ સંપન્ન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ વાહનોનું પેમેન્ટ ન ચૂકવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરનારા બુલંદશહરના અનુપશહર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રોરા રામના નિવાસી મોતી, સત્યેન્દ્ર, ધર્મેન્દ્ર, રામકિશને યાત્રામાં સામેલ 25 કરતા વધુ વાહનો માટેની ચૂકવણી ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, યાત્રાના જવાબદાર લોકોને ઘણી વખત કહેવા છતા અત્યાર સુધી અમારું બાકી લેણું ચૂકવવામાં આવ્યું નથી.

તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવેલી 'ભારત જોડો ન્યાય યાત્રામાં અમારા કન્ટેનર વાહનોને સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વાહનોના લાખો બાકી રૂપિયાની અત્યાર સુધી ચૂકવણી કરવામાં આવી નથી. આ અગાઉ ગયા વર્ષે કોંગ્રેસ પાર્ટી દ્વારા કાઢવામાં આવેલી યાત્રામાં સામેલ વાહનોના બાકી ચૂકવણી અત્યાર સુધી ન કરવાની વાત કહેવામાં આવી છે.

રાહુલ ગાંધીએ પહેલા ભારત જોડો યાત્રા કરી હતી, ત્યારબાદ 'ભારત જોડો ન્યાય યાત્રા' કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પહેલી ભારત જોડો યાત્રા પર લગભગ 72 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. જે કોંગ્રેસના કુલ ખર્ચ ના 15 ટકા કરતા પણ વધારે છે. આ હિસાબે યાત્રાના એક દિવસનો ખર્ચ લગભગ 50 લાખ અને એક કિલોમીટર પર ખર્ચ લગભગ 1.59 લાખ બેસે છે. વર્ષ 2022-23માં કોંગ્રેસની આવક 452 કરોડ રૂપિયા રહી, પરંતુ ખર્ચ 467 કરોડ થયો, જ્યારે એક વર્ષ અગાઉ 2021-22માં કોંગ્રેસની આવક 541 કરોડ હતી. ખર્ચ 400 કરોડ થયો.

વર્ષભરમાં 90 કરોડ ઓછી આવક થઈ. ભારત જોડોવાળા વર્ષમાં કોંગ્રેસે ચૂંટણીઓ પર 192 કરોડ ખર્ચ કર્યા, જ્યારે આ અગાઉના વર્ષ ખર્ચ વધારે એટલે કે 279 કરોડ થયો. ત્રીજો ખર્ચ ચૂંટણી અગાઉ સર્વે પર થયો, જેના પર 40 કરોડ જતા રહ્યા. એવી આશા છે કે આ વર્ષે કોંગ્રેસનો ખર્ચ ભારત જોડો ન્યાય યાત્રાનો ખર્ચ હજુ વધારે હોય શકે છે.

About The Author

Related Posts

Top News

વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા

પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી...
Gujarat 
વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા

વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં એજન્સીઓ દ્વારા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને અન્ય આંદોલનકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના,...
National 
વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનનો અંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે...
National 
દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

ભારતની લોકશાહીના ઇતિહાસમાં જ્યારે પણ યુવાઓ રસ્તા પર ઉતર્યા છે ત્યારે તેમણે રાજકીય ભૂકંપ લાવી દીધો છે. પરંતુ તાજેતરમાં 'નીટ'...
National 
NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.