રાહુલની ભારત જોડો ન્યાય યાત્રામાં ગયેલા વાહનોના પૈસા ન ચૂકવાયા હોવાનો આક્ષેપ

On

હાલમાં જ સંપન્ન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ વાહનોનું પેમેન્ટ ન ચૂકવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરનારા બુલંદશહરના અનુપશહર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રોરા રામના નિવાસી મોતી, સત્યેન્દ્ર, ધર્મેન્દ્ર, રામકિશને યાત્રામાં સામેલ 25 કરતા વધુ વાહનો માટેની ચૂકવણી ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, યાત્રાના જવાબદાર લોકોને ઘણી વખત કહેવા છતા અત્યાર સુધી અમારું બાકી લેણું ચૂકવવામાં આવ્યું નથી.

તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવેલી 'ભારત જોડો ન્યાય યાત્રામાં અમારા કન્ટેનર વાહનોને સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વાહનોના લાખો બાકી રૂપિયાની અત્યાર સુધી ચૂકવણી કરવામાં આવી નથી. આ અગાઉ ગયા વર્ષે કોંગ્રેસ પાર્ટી દ્વારા કાઢવામાં આવેલી યાત્રામાં સામેલ વાહનોના બાકી ચૂકવણી અત્યાર સુધી ન કરવાની વાત કહેવામાં આવી છે.

રાહુલ ગાંધીએ પહેલા ભારત જોડો યાત્રા કરી હતી, ત્યારબાદ 'ભારત જોડો ન્યાય યાત્રા' કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પહેલી ભારત જોડો યાત્રા પર લગભગ 72 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. જે કોંગ્રેસના કુલ ખર્ચ ના 15 ટકા કરતા પણ વધારે છે. આ હિસાબે યાત્રાના એક દિવસનો ખર્ચ લગભગ 50 લાખ અને એક કિલોમીટર પર ખર્ચ લગભગ 1.59 લાખ બેસે છે. વર્ષ 2022-23માં કોંગ્રેસની આવક 452 કરોડ રૂપિયા રહી, પરંતુ ખર્ચ 467 કરોડ થયો, જ્યારે એક વર્ષ અગાઉ 2021-22માં કોંગ્રેસની આવક 541 કરોડ હતી. ખર્ચ 400 કરોડ થયો.

વર્ષભરમાં 90 કરોડ ઓછી આવક થઈ. ભારત જોડોવાળા વર્ષમાં કોંગ્રેસે ચૂંટણીઓ પર 192 કરોડ ખર્ચ કર્યા, જ્યારે આ અગાઉના વર્ષ ખર્ચ વધારે એટલે કે 279 કરોડ થયો. ત્રીજો ખર્ચ ચૂંટણી અગાઉ સર્વે પર થયો, જેના પર 40 કરોડ જતા રહ્યા. એવી આશા છે કે આ વર્ષે કોંગ્રેસનો ખર્ચ ભારત જોડો ન્યાય યાત્રાનો ખર્ચ હજુ વધારે હોય શકે છે.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.