- National
- મહા કુંભ સંપન્ન થતા PM મોદીએ બ્લોગ લખ્યો, માફી પણ માગી
મહા કુંભ સંપન્ન થતા PM મોદીએ બ્લોગ લખ્યો, માફી પણ માગી

મહાકુંભને 'એકતાનો મહાયજ્ઞ' ગણાવતા PM નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતને તેના વારસા પર ગર્વ છે અને તે નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પરિવર્તનના યુગનો ઉદય છે. જે દેશના નવા ભવિષ્યને લખવા માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો ભાગ લેવો એ ફક્ત એક રેકોર્ડ નથી પરંતુ ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક મજબૂત પાયો મૂકરવામાં આવ્યો છે. એકતાના મહાકુંભના સફળ સમાપન પર સંતોષ વ્યક્ત કરતા અને નાગરિકોને તેમની મહેનત, પ્રયત્નો અને નિશ્ચય માટે આભાર માનતા PM મોદીએ એક બ્લોગમાં પોતાના વિચારો લખ્યા અને તેને X પર શેર કર્યા છે.
મહાકુંભ પૂર્ણ થયો... એકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં 45 દિવસ સુધી એક જ સમયે આ એક ઉત્સવ માટે 140 કરોડ ભારતીયોની શ્રદ્ધા જે રીતે એકઠી થઈ, તે અદભુત છે! મહાકુંભ પૂર્ણ થયા પછી મારા મનમાં આવેલા વિચારોને લખવાનો મેં પ્રયાસ કર્યો છે...
મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો ભાગ લેવો એ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ તેણે ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક મજબૂત પાયો પણ નાખ્યો છે.
આજે પ્રયાગરાજનો મહાકુંભ વિશ્વભરના મેનેજમેન્ટ વ્યાવસાયિકો તેમજ આયોજન અને નીતિ નિષ્ણાતો માટે સંશોધનનો વિષય બની ગયો છે.
આજે ભારત તેના વારસા પર ગર્વ અનુભવે છે, એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. આ યુગ પરિવર્તનનો અવાજ છે, જે દેશ માટે એક નવું ભવિષ્ય લખવા જઈ રહ્યો છે.
આ મહાકુંભમાં સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો એકઠા થયા હતા.'એક ભારત શ્રેષ્ઠ ભારત'નું આ અવિસ્મરણીય દ્રશ્ય કરોડો દેશવાસીઓમાં આત્મવિશ્વાસનો ભવ્ય ઉત્સવ બની ગયું.
એકતાના આ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયત્નો અને દૃઢ નિશ્ચયથી પ્રભાવિત થઈને હું બાર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના દર્શન કરવા જઈશ. હું શ્રદ્ધારૂપી સંકલ્પ પુષ્પ સમર્પિત કરીને દરેક ભારતીય માટે પ્રાર્થના કરીશ. હું ઈચ્છું છું કે દેશવાસીઓમાં એકતાનો આ અવિરત પ્રવાહ આ રીતે જ ચાલુ રહે.
PM મોદીએ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, જ્યારે હું ચૂંટણી માટે કાશી ગયો હતો, ત્યારે મારા અંતરની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત થઈ હતી, અને મેં કહ્યું હતું કે - મા ગંગાએ મને બોલાવ્યો છે. આમાં આપણી માતૃ નદીઓની શુદ્ધતા અને સ્વચ્છતા અંગે જવાબદારીની ભાવના પણ હતી. પ્રયાગરાજમાં ગંગા-યમુના-સરસ્વતીના સંગમ પર મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. ગંગાજી, યમુનાજી, આપણી નદીઓની સ્વચ્છતા આપણી જીવનયાત્રા સાથે જોડાયેલી છે. આપણી જવાબદારી છે કે દરેક નદી, પછી ભલે તે નાની હોય કે મોટી, તેને જીવનદાતા માતાનું પ્રતીક માનીને, આપણે આપણી સુવિધા મુજબ નદી ઉત્સવ ઉજવીએ. એકતાના આ મહાન કુંભે આપણને આપણી નદીઓને સ્વચ્છ રાખવા અને આ અભિયાનને મજબૂત બનાવવા પ્રેરણા આપી છે. મને ખબર છે કે, આટલો મોટો કાર્યક્રમ યોજવો સરળ નહોતો. હું માતા ગંગા... માતા યમુના... માતા સરસ્વતી... ને પ્રાર્થના કરું છું, હે માતા, જો હું મારી પૂજામાં ચૂકી ગયો હોઉં, તો કૃપા કરીને મને માફ કરજો... લોકો, જે મારા માટે ભગવાનનું સ્વરૂપ છે, જો હું ભક્તોની સેવા કરવામાં ચૂકી ગયો હોઉં, તો હું લોકો પાસેથી પણ માફી માંગું છું.
Related Posts
Top News
'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા
એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો
Opinion
