કાશ્મીર પોલીસે ગુજરાતના 11 ટુરિસ્ટની ધરપકડ કરી, ફરવા ગયેલા, શરમજનક કામ કર્યું

પોલીસે ગુજરાતમાંથી 11 લોકોની ધરપકડ કરી છે જેઓ જન્નત-એ-કાશ્મીરમાં ગુલમર્ગ ગંડોલાની સવારી કરવા માટે નકલી ટિકિટનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમની સાથે એક લોકલ ટુરિસ્ટ ગાઈડ પણ સામેલ છે. આ મહિનાનો આ બીજો કિસ્સો છે જ્યારે પોલીસે નકલી ટિકિટના આરોપમાં પ્રવાસીઓને પકડ્યા છે. અગાઉ 14 એપ્રિલે મુંબઈથી આવેલા ઓછામાં ઓછા 28 પ્રવાસીઓ પાસે નકલી ટિકિટો પણ મળી આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરૂવારે (27 એપ્રિલ) એક ગંડોલામાં કોંગડોરીથી ગુલમર્ગ આવી રહ્યા હતા ત્યારે સ્થાનિક ગાઈડ સાથે ગુજરાતના 11 પ્રવાસીઓ નકલી અને એડિટ કરેલી ટિકિટ સાથે પકડાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રવાસીઓ ટટ્ટુ પર સવાર થઈને કોંગડોરી પહોંચ્યા હતા અને નકલી ટિકિટ પર ગંડોલા રાઈડનો આનંદ માણવા માંગતા હતા. હાલ પોલીસ આ લોકોને ગંડોલાથી ગુલમર્ગ લાવી છે.

ગંડોલા પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર ગુલામ જિલાનીએ જણાવ્યું હતું કે, 'અમારા અધિકારીઓ શૌકત અહમદ ભટ (પ્રોજેક્ટ ઈન્ચાર્જ) અને પરવેઝ અહમદ કુરેશી (ટિકિટીંગ ઈન્ચાર્જ)એ ઔપચારિકતા પૂરી કરી અને મામલો પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, અને પ્રવાસીઓને નકલી ટિકિટ આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.'

દરમિયાન, ગુલમર્ગ ગંડોલાના મેનેજમેન્ટે સામાન્ય જનતા અને ખાસ કરીને પ્રવાસીઓને વિનંતી કરી હતી કે, તેઓ એવા દલાલોનો શિકાર ન થાય જેઓ તેમની સાથે છેતરપિંડી કરે છે અને તેમને નકલી ટિકિટ આપે છે. જિલાનીએ જણાવ્યું હતું કે, 'ગુલમર્ગ ગંડોલા પ્રોજેક્ટની ક્ષમતા છે, જેના પરિણામે અમે પ્રતિ દિવસ ટિકિટોની સંખ્યા મર્યાદિત કરી છે. ટિકિટ માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે અને અન્ય કોઈ માધ્યમ નથી. સંપાદિત અને નકલી ટિકિટ પર મુસાફરી કરવી એ સજાપાત્ર ગુનો છે. '

ગુલમર્ગ ગંડોલા પ્રોજેક્ટની ટિકિટ સ્કેનિંગ ટીમે 14 એપ્રિલે સ્કેનિંગ પોઈન્ટ પર મુંબઈના 28 પ્રવાસીઓના જૂથને અટકાવ્યું હતું. આ મુસાફરો તેમના ટૂર મેનેજર મકરંદ આનંદ ઘાણેકર દ્વારા એડિટ કરેલી નકલી ટિકિટો લઈ જતા હતા, જેમણે પોતે મુંબઈમાં આ ટિકિટોનું સંપાદન કર્યું હતું અને મુસાફરોને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણકારી નહોતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.