પહેલા જેલ તોડીને ભાગ્યો, પછી વિઝિટર બનીને સાથીને મળવા પહોંચ્યો બીજી જેલ, પછી..

મિઝોરમમાં શોલે ફિલ્મની જય વિરુની જોડી જેવી ઘટના સામે આવી છે. સિયાહા જિલ્લા જેલમાં બંધ એક કેદી જેલથી ભાગવામાં સફળ રહ્યો, પરંતુ તે પોતાના સાથીને મળવા માટે આઈઝોલ સેન્ટ્રલ જેલમાં ફરી આવ્યો. આ દરમિયાન તે પકડાઈ ગયો. પરંતુ પોલીસને છેતરીને તે ફરીથી ફરાર થઈ ગયો. સાઉથ મિઝોરમન સિયાહા જિલ્લા જેલમાં બંધ 24 વર્ષિય કેદી વનરામપના જેલથી ભાગી ગયો. ત્યારબાદ તે પોતાના સાથીને મળવા બીજી જેલ એટલે કે આઈઝોલ સેન્ટ્રલ જેલ પહોંચી ગયો.

જેલથી કેદી ભાગવાની સૂચના મળતા પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો. આ ઘટનાએ પોલીસ અધિકારીઓ સાથે સાથે જનતાને પણ હેરાન કરી દીધી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા (TOI)ના રિપોર્ટ મુજબ, વનરામપના ચોરી કરવાના આરોપમાં સિયાહા જેલમાં બંધ હતો. અધિકારીઓએ જણાવ્યું કે, તે વિચારાધીન કેદીના રૂપમાં ન્યાયિક કસ્ટડીમાં હતો. તે 9 સપ્ટેમ્બરના રોજ સિયાહા જેલના અધિકારીઓને છેતરીને ભાગવામાં સફળ રહ્યો. પોલીસ દ્વારા સતત પીછો કરવા છતા તે આઈઝોલ સેન્ટ્રલ જેલમાં ફરીથી આવ્યો અને પોતાના વીરૂ સાથે મુલાકાત કરી.

તેના શંકાસ્પદ વ્યવહારને જોતા સતર્ક થયેલા જેલ પ્રહારિયોએ પકડી લીધો અને આગળની તપાસ માટે જેલરને સોંપી દીધો. સિયાહા જેલ અધિકારીઓ પાસેથી આ વાતની પુષ્ટિ થઈ કે વનરામપના વાસ્તવમાં એ જ કેદી હતો, જે મહિનાની શરૂઆતમાં ભાગી ગયો હતો. તેને પશ્ચિમ આઈઝોલના જોનુઆમ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો અને ભાગેડુને સિયાહા જિલ્લા જેલમાં પાછો લાવવાની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. જો કે શુક્રવારે રાત્રે વનરામપના ફરી એક વખત પોલીસની કસ્ટડીમાંથી ભાગવામાં સફળ રહ્યો.

રવિવારે સુધી વનરામપના પોલીસની પકડથી દૂર છે. પોલીસ કસ્ટડીથી એવી રીતે ભાગવું સુરક્ષા તંત્ર બાબતે ગંભીર સવાલ ઉઠાવે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, જો તપાસમાં કોઈ પ્રકારની બેદાકારી સામે આવે છેઃ તો જવાબદાર લોકો પર ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

આ જ મહિનામાં ગુજરાતના આણંદ જિલ્લાની એક જેલમાંથી ચાર કેદીઓ ફરાર થયા હતા. શુક્રવારે રાત્રે લગભગ બે કલાકે બેરેક નંબર ત્રણમાં બંધ ચાર કેદીઓએ જેલ તોડીને ફરાર થયા હતા. આણંદ જિલ્લાની બોરસદ સબ-જેલમાંથી બંધ કેદી બેરેક નંબર ત્રણમાંથી ભાગ્યા હતા. કેદીઓએ બેરેકની નીચેની લાકડીઓનો ભાગ કાપી કાઢ્યો હતો અને એ પછી રાતના અંધારામાં આશરે બે કલાકે જેલમાંથી પોલીસને છેતરીને આપીને 20 ફૂટ ઊંચી દીવાલ કૂદીને ફરાર થયા હતા. લાકડી કાપ્યા પછી તેમણે લોખંડનો સળિયો પણ કાઢી નાખ્યો હતો. ત્યારબાદ તે બહાર આવ્યા હતા અને રાતના અંધારાનો લાભ લઈને જેલ તોડીને ભાગી ગયા હતા.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.