રાહુલ ગાંધીને મોટી રાહતઃ નવો પાસપોર્ટ બનાવવા માટે મંજૂરી મળી ગઇ, 3 વર્ષ માટે NOC

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને  Rouse Avenue District Courtથી મોટી રાહત મળી છે, રાહુલ ગાંધીને વિશેષ અદાલતે નવો પાસપોર્ટ બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે. તેમને મળેલી NOC 3 વર્ષ સુધી માન્ય રહેશે. પોતાનું સંસદ સભ્ય પદ ગુમાવ્યા પાછી રાહુલ ગાંધીએ પોતાનો ડિપ્લોમેટીક પાસપોર્ટ સરેન્ડર કરીને પોતાના માટે સાધારણ પાસપોર્ટ બનાવવા માટે અરજી કરી હતી.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં કહ્યુ હતું કે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી જામીન પર છે અને આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેમને પાસપોર્ટ માટે NOC આપવામાં નહીં આવે.

નવા પાસપોર્ટ માટે NOC માંગતી રાહુલ ગાંધીની અરજી પર બુધવારે દિલ્હીની Rouse Avenue District Courtમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સ્વામીએ NOCના મુદ્દે વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટને કહ્યું કે રાહુલ ગાંધીવારંવાર વિદેશ જાય છે. તેમના બહાર જવાને કારણે તપાસમાં અવરોધ આવી શકે છે સુનાવણી દરમિયાન કોર્ટે સ્વામીને જવાબ દાખલ કરવા માટે એક દિવસનો સમય આપ્યો હતો.આપ્યો. આ જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલને 10 વર્ષ માટે પાસપોર્ટની NOCનો વિરોધ કર્યો હતો.

રાહુલ ગાંધીને પાસપોર્ટ માટે મંજૂરીના કેસમાં સુનાવણી માટે ડો.સુબ્રમણ્યમ સ્વામી અને રાહુલ ગાંધીના વકીલ કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલના પાસપોર્ટ માટે NOC આપવાના કેસની સુનાવણી રાઉલ એવેન્યૂ કોર્ટમાં શરૂ થઇ હતી. આ દરમિયાન સ્વામીએ કોર્ટને કહ્યું હતું કે, કોઇ સામાન્ય વ્યકિતને તેનો પાસપોર્ટ મહત્તમ 10 વર્ષ માટે મળી શકે છે, પરંતુ આ એક સ્પેશિયલ કેસ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે 10 વર્ષ માટે પાસપોર્ટ જારી કરવા માટે કોઈ માન્ય કે અસરકારક કારણ નથી. તેમણે કહ્યું કે, મૂળભૂત અધિકારોની જેમ પાસપોર્ટ રાખવાનો અધિકાર પણ સંપૂર્ણ અધિકાર નથી. આ સિવાય સ્વામીએ કોર્ટને કહ્યું કે 2019માં રાહુલ ગાંધીને મંત્રાલય દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે? પરંતુ તેમણે આ અંગે કોઈ વાસ્તવિક જવાબ આપ્યો ન હતો.સ્વામીના કહેવા મુજબ ભારતના કાયદા મુજબ, જો કોઇ નાગરિક ની પાસે બીજા દેશની નાગરિકતા છે તો તેને ભારતની નાગરિકતા મળી શકતી નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 31 મેના દિવસે એક સપ્તાહ માટે અમેરિકાની મુલાકાતે જઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ 4 જૂને ન્યૂયોર્કમાં મેડિસન સ્કવેર ગાર્ડનમાં ભારતીય સમાજને સંબોધન કરશે. ઉપરાંત રાહુલ ગાંધી કેલિર્ફોનિયાની એક યુનિવર્સિટીની ઇવેન્ટમાં પણ સામેલ થશે

About The Author

Related Posts

Top News

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.