રાહુલ ગાંધીના કાફલાને મણિપુરમાં રોકી દેવાયો,પીડિતોને મળવા રાહત કેમ્પ જતા હતા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલાને મણિપુરમાં અટકાવી દેવામાં આવ્યો છે, પોલીસે સુરક્ષાના કારણો આપીને રાહુલને આગળ જતા અટકાવી દીધા હતા. કોંગ્રેસ નેતા મણિપુરમાં હિંસા પીડિતોને મળવા રાહત કેમ્પમાં જઇ રહ્યા હતા, પરંતુ પોલીસે રોકી દીધા છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી મણિપુરમાં અવિરત હિંસાની ઘટનાઓ આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે મણિપુર પહોંચી ગયા છે, રાહત શિબિરોની મુલાકાત લેશે અને પીડિતોને મળશે. કોંગ્રેસે એક નિવેદનમાં કહ્યું કે, મણિપુર લગભગ બે મહિનાથી હિંસાથી સળગી રહ્યું છે અને ત્યાં શાંતિની જરૂર છે જેથી સમાજ સંઘર્ષમાંથી શાંતિ તરફ પરત ફરી શકે. તે માનવીય દુર્ઘટના છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચી ગયા છે અને તેઓ એરપોર્ટથી સીધા હિંસા પીડિતોને મળવા રાહત કેમ્પ તરફ જવા નિકળ્યા હતા, પરંતુ પોલીસે તેમના કાફલાને બિષ્ણુપુર જિલ્લા પાસે જ અટકાવી દીધો હતો.પોલીસે કહ્યું કે આગળ અશાંતિ છે અને સુરક્ષાના કારણોસર આગળ જવાની પરવાનગી આપી શકાય નહીં. રાહુલ ગાંધી મણિપુરની રાજધાની ઇમ્ફાલથી માંડ 20 કિ.મી. સુધી જ પહોંચી શક્યા હતા.

રાહુલ ગાંધીનો 29 અને 30 જૂન એમ 2 દિવસનો મણિપુરનો કાર્યક્રમ છે અને તેઓ ઇમ્ફાલ અને ચુરાચાંદપુરની મુલાકાત કરવાના છે. રાહુલ ગુરુવારે બપોરે તુઈબોન્બોમાં ગ્રીનવુડ એકેડમી અને ચુરાચંદપુરમાં સરકારી કોલેજની મુલાકાત લેશે. તે પછી કોનઝેંગબામમાં કોમ્યુનિટી હોલ અને મોઇરાંગ કોલેજ તરફ આગળ જશે.પૂર્વોત્તર રાજ્ય મણિપુર 58 દિવસથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. અહીં હિંસામાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મણિપુર ગયા હતા અને રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને પીડિતોની વાત સાંભળી હતી.

એક સપ્તાહ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં મણિપુરની સ્થિતિને લઇને 18 પાર્ટીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સમાજવાદી પાર્ટી અને RJDએ મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહના રાજીનામાની અને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી હતી.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે રાહુલ રાહત શિબિરોમાં વંશીય સંઘર્ષથી વિસ્થાપિત લોકોને મળશે અને નાગરિક સમાજ સંગઠનો સાથે વાતચીત કરશે. ઇમ્ફાલ પહોંચ્યા પછી, તેઓ પહેલા રાહત શિબિરોની મુલાકાત લેશે અને બાદમાં કેટલીક નાગરિક સમાજ સંસ્થાઓ સાથે વાતચીત કરશે. રાહુલનો ચુરાચંદપુર જિલ્લાની મુલાકાત લેવાનો કાર્યક્રમ છે, જ્યાં તેઓ રાહત શિબિરોની મુલાકાત લેશે. તે પછી રાહુલ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ જશે અને વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે. વંશીય સંઘર્ષ બાદથી લગભગ 50,000 લોકો રાજ્યભરમાં 300 થી વધુ રાહત શિબિરોમાં રહે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.