રાજસ્થાનના એવા 3 ગામ કે જ્યાં યુવતીઓના લગ્ન પર આપવો પડે છે દંડ, જાણો કારણ

રાજસ્થાનના બુંદી જિલ્લાના 3 ગામડામાં પંચ પટેલોનું તુઘલકી ફરમાન ચાલી રહ્યું છે. ત્યાંના ગામોમાં પંચ પટેલોએ કંજર સમાજની યુવતીઓના લગ્ન પર બંધન લગાવી રાખ્યું છે. જેને પગલે ત્યાંની યુવતીઓ ખોટું કામ કરવા માટે મજબુર બની છે. રાજસ્થાનના આ ત્રણ ગામોમાં પંચ પટેલો દ્વારા છોકરીઓના લગ્ન કરવા નથી કરવા દેવામાં આવતા. તેમજ આ પંચ પટેલો દ્વારા ત્યાંની છોકરીઓને શારીરિક સંબંધો બાંધવા માટે મજબુર કરવામાં આવે છે. આ સાથે જ આ ગામડાંની યુવતીઓના જો લગ્ન કરાવવા હોય તો યુવતિના પરિવાર દ્વારા પંચ પટેલોને 1 લાખ રૂપિયાનો દંડ આપવા માટે મજબુર કરવામાં આવે છે. એટલે કે આ ત્રણ ગામની યુવતીઓએ લગ્ન કરવા માટે 1 લાખ રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.

આ પંચ પટેલોની મનમાનીને પગલે ત્યાંની છોકરીઓ થોડાં રૂપિયા માટે દેહવ્યાપાર કરે છે. આવી યુવતીઓને દેહવ્યાપારના ધંધામાથી બહાર કાઢવા માટે કલેક્ટર રેણુ જયપાલે ઓપરેશન અસ્મિતા શરૂ કર્યું છે. જેને પગલે હવે કંજર સમાજની યુવતીઓ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા લાગી છે. પંચ પટેલો પર પણ સકંજો કસવામાં આવી રહ્યો છે.

પંચ પટેલ અને આ કુરીતિઓને દૂર કરવા માટે બુંદી જિલ્લાના કલેક્ટર રેણુ જયપાલ દ્વારા ઓપરેશન અસ્મિતા શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે હમણાં સુધી શારીરિક સબંધો માટે મજબુર થતી યુવતીઓ પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને પોતાના નવા જીવનની શરૂઆત કરી રહી છે. બુંદી કલેક્ટરે આ યુવતીઓ માટે ઓપરેશન અસ્મિતા ચલાવીને તેમને લગ્નમાં બાંધવાની શરૂઆત કરી દીધી છે. બૂંદીના 3 ગામો ડબલાંના શંકરપુરા, બુન્દીની નજીક આવેલું ગામ રામનગર અને ઇન્દ્રગઢ મોહનપુરામાં કંજર સમાજના લોકો રહે છે.

અહીં થોડા રૂપિયા માટે યુવતીઓ પોતાનું શરીર વેચવા માટે મજબુર છે, કેમકે પંચ પટેલોની સામે તેઓના પરિવાર અને તેમની એક પણ નથી ચાલતી. અહીંયાની છોકરીઓને બાળપણથી જ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. આ ધંધામાં આ યુવતીઓ માટે બંધનો પણ ઘણા લગાવવામાં આવે છે. જો કોઈ લગ્ન કરવા માગે તો પંચ પટેલ સૂચન આપે છે કે પહેલા 1 લાખ રૂપિયાનો દંડ ભરો, ત્યારપછી જ લગ્ન કરી શકે છે. આ બંધનને કારણે અહીંની યુવતીઓ લગ્ન પણ નથી કરી શકતી.

સમુહ લગ્નની તૈયારી કરી રહ્યું છે તંત્ર

હવે ઓપરેશન અસ્મિતાને પગલે આ યુવતીઓના લગ્ન અને ઘર ગ્રહસ્તી શરૂ કરવાનો રસ્તો ખુબ જ સરળ થઇ ગયો છે. બૂંદીમાં હમણાં સુધીમાં 3થી 4 લગ્નો કંજરની યુવતીઓના તેમના પ્રેમી સાથે જિલ્લા તંત્રની સામે જ કરાવવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે કહ્યું કે, આ અભિયાનથી ધીમે-ધીમે કુરીતિઓને દૂર કરવા માટે લગ્ન પર વધુમાં વધુ ધ્યાન આપવામાં આવશે. આ સિવાય સમૂહ લગ્નની પણ તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. એક-એક લગ્ન તો થવા લાગ્યા છે. પરંતુ સમૂહ લગ્નમાં એક સાથે અનેક યુવતીઓના લગ્ન થવાથી ઘણી યુવતીઓને આ કુરીતિમાંથી બહાર કાઢવામાં આવશે. સાથે જ પંચ પટેલો પર પણ સકંજો કસવામાં આવશે.

 

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.