બંગાળની સાથે જ આસામની ચૂંટણી છે છતા આસામમાં SIR કેમ નથી કરાવી રહ્યું ચૂંટણી પંચ? જ્ઞાનેશ કુમારે આપ્યો જવાબ

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે સોમવારે જાહેરાત કરી હતી કે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો મંગળવારથી 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે. તેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગોવા, પુડુચેરી, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનરને આસામને લઈને પૂછવામાં આવ્યું હતું, જેનું નામ આ લિસ્ટમાં નથી. આનો અર્થ એ થયો કે આગામી વર્ષે ત્યાં વિધાનસભા ચૂંટણી થવાની હોવા છતા બીજા તબક્કામાં કોઈ SIR નહીં થાય. આસામમાં SIRના ન થવાનું કારણ શું છે? આ પ્રશ્નના જવાબમાં જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘આસામ અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. જેમ તમે બધા જાણો છો, ભારતીય નાગરિકતા કાયદામાં આસામમાં નાગરિકતા માટે અલગ જોગવાઈઓ છે.

Gyanesh-Kumar.jpg-2

તેમણે કહ્યું કે, બીજો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ત્યાં નાગરિકતાની ચકાસણી કાર્યક્રમ પૂર્ણ થવાનો છે. આવી સ્થિતિમાં, 24 જૂન માટે જે SIRનો આદેશ હતો, તે  સમગ્ર દેશ માટે હતો અને આસામ પર લાગૂ પડતો નથી. એટલે આસામ માટે એક અલગથી રિવિઝનના આદેશ જાહેર કરવામાં આવશે.

Gyanesh-Kumar.jpg-3

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘હું બિહારના મતદારોને શુભેચ્છાઓ પાઠવું છું અને 7.5 કરોડ મતદારોને નમન કરું છું જેમણે આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈને તેને સફળ બનાવ્યો. પંચે તમામ 36 રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરી.  SIRનો પ્રથમ તબક્કો બિહારમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 90,000થી વધુ મતદાન મથકો આવરી લેવામાં આવ્યા હતા અને પ્રક્રિયા કોઈપણ અપીલ વિના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બિહારમાં મતદારોની ભાગીદારી શાનદાર રહી છે અને અન્ય રાજ્યો માટે એક ધોરણ સ્થાપિત કરે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.