વહુ પગારમાંથી દર મહિને 20 હજાર રૂપિયા આપશે, જાણો હાઈ કોર્ટે કેમ આવો નિર્ણય આપ્યો

રાજસ્થાન હાઈકોર્ટે અનુકંપા નિમણૂક અંગે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. ન્યાયાધીશ ફરઝંદ અલીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, અનુકંપા નિમણૂક દિવંગ કર્મચારીના આશ્રિત પરિવારના હિતમાં આપવામાં આવે છે, કોઈ એક વ્યક્તિના વ્યક્તિગત લાભ માટે નહીં. આ કેસ અજમેર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડનો છે. અરજદાર, ભગવાન સિંહના પુત્ર રાજેશ કુમારનું સરકારી સેવા દરમિયાન નિધન થઇ ગયું હતું. નિગમે ભગવાન સિંહને અનુકંપા નિમણૂકનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ તેમણે ઉદારતા દાખવતાં તેમની પુત્રવધૂ શશિ કુમારીને આ નોકરી માટે ભલામણ કરી હતી.

rajasthan-HC.jpg-2

નિમણૂકના સમયે પુત્રવધૂ શશિ કુમારીએ એક સોગંદનામું આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે તે પોતાના સાસુ-સસરા સાથે રહેશે અને તેમની સંભાળ રાખશે. જો કે, થોડા સમય બાદ તેણે સાસરિયાઓનું ઘર છોડી દીધું અને તેના પિયરે રહેવા લાગી અને સસરાના ભરણ-પોષણની જવાબદારીઓ ન નિભાવી. ત્યારબાદ ભગવાન સિંહે કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

હાઈકોર્ટે કહ્યું કે, અનુકંપા નિમણૂકનો મૂળભૂત હેતુ પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. જો લાભ મેળવનાર વ્યક્તિ પોતાની જવાબદારીઓથી છટકી જાય, તો તે નીતિની ભાવના વિરુદ્ધ છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે પુત્રવધૂના પગારમાંથી દર મહિને 20,000 રૂપિયા ભગવાન સિંહના ખાતામાં જમા કરવામાં આવે અને આ રકમ તેને જીવનભર ચૂકવવામાં આવે.

rajasthan-HC.jpg-3

આ મામલો સામે આવ્યા બાદ ન્યાયાધીશ ફરઝંદ અલીએ તેમના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે શશિ કુમારીને તેમની વ્યક્તિગત યોગ્યતા, ક્ષમતા અથવા લાયકાતના આધારે નિમણૂક મળી નથી. કોઈ જાહેરાત બહાર પાડવામાં આવી નહોતી કે કોઈ સ્પર્ધાત્મક પસંદગી કરવામાં આવી નહોતી. તેમણે ન તો લેખિત પરીક્ષા આપી હતી કે ન તો ઇન્ટરવ્યૂ. આ નોકરી રાજ્ય સરકાર તરફથી દયા બતાવતા કરવામાં આવેલું કાર્ય હતું, જે દિવંગત કર્મચારીઓના આશ્રિતોને સહાય કરવા માટે કરવામાં આવ્યું છે. આ નિર્ણય એવા કિસ્સાઓ માટે એક ઉદાહરણ માનવામાં આવી રહ્યો છે જ્યાં અનુકંપા નિમણૂકના દુરુપયોગની ફરિયાદો સામે આવે છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.