પાર્ટી સિમ્બોલ અને શિવસેનાના નામ માટે થઈ 2000 કરોડની ડીલ: સંજય રાઉત

શિવસેનાનું ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનું નામ છીનવાઇ ગયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિંદે ગ્રુપ પર ઉદ્ધવ ગ્રુપના પ્રહાર ચાલી રહ્યા છે. આ રાજકીય દંગલમાં હવે સંજય રાઉતે પણ એન્ટ્રી કરી લીધી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન હાંસલ કરવા માટે 2 હજાર કરોડ રૂપિયાની ભારે ભરકમ ડીલ થઈ છે. સંજય રાઉતે ટ્વીટ કરતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનું નામ (શિવસેના) હાંસલ કરવા માટે 2 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે.

આ શરૂઆતી આંકડો છે, પરંતુ 100 ટકા સાચો છે. દેશના ઇતિહાસમાં એવું ક્યારેય થયું નથી. જલદી જ તેની બાબતે ઘણા ખુલાસા થશે.  આ અગાઉ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેની સ્ક્રિપ્ટ પહેલાથી જ તૈયાર હારી. દેશ તાનાશાહી તરફ વધી રહ્યો છે. જ્યારે કહેવામાં આવ્યું હતું કે પરિણામ અમારા પક્ષમાં હશે, પરંતુ હવે એક ચમત્કાર થઈ ગયો. સંજય રાઉતે કહ્યું હતું કે ઉપરથી નીચે સુધી કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવ્યા છે. આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી કેમ કે જનતા આપણાં હાથમાં છે, પરંતુ અમે જનતાના દરબારમાં નવું ચિહ્ન લઈને લઈશું અને પછી શિવસેના ઊભી કરીને દેખાડીશું, આ લોકતંત્રની હત્યા છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 17 ફેબ્રુઆરીના રોજ શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન શિંદે ગ્રુપને સોંપી દીધું હતું. શિંદે ગ્રુપે ચૂંટણી પંચના નિર્ણયનું દિલ ખૂલીને સ્વાગત કર્યું હતું. તેમણે તેને લોકતંત્રની જીત કહી હતી, પરંતુ શિંદે ગ્રુપ વિરુદ્ધ ઉદ્ધવ ગ્રુપે ચૂંટણી પંચના નિર્ણયને પૂર્વ નિયોજીત બતાવ્યો હતો. તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમણે પહેલાથી જ અનુમાન હતું કે ચૂંટણી પંચ તરફથી આ પ્રકારનો નિર્ણય આવશે.

ચૂંટણી પંચના નિર્ણય પર અમિત શાહનું પણ નિવેદન આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાનું નામ અને નિશાનને લઈને કહ્યું હતું કે, ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. UPA કાળમાં દરેક મંત્રી પોતાના વડાપ્રધાન માનતા હતા અને વડાપ્રધાનને પણ વડાપ્રધાન માનતા નહોતા. UPAના કાર્યકાળમાં 12 લાખ કરોડના કૌભાંડ થયા. તેનાથી ભારતની છબી ઇન્ટરનેશનલ સ્તર પર ધૂળમાં મળી ગઈ. અસલી શિવસેના અને ચિહ્ન અમારા મિત્ર ગ્રુપને મળ્યું છે. આ લોકોએ મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માગ્યા અને ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનાવવાની લાલચમાં કોંગ્રેસ-NCPના તળિયા ચાટ્યા.

About The Author

Top News

IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ગોવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચેકિંગ માટે એક IAS અધિકારીની ગાડી રોકવી પોલીસ માટે ખુબ મોંઘુ...
National 
IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.