RSS દ્વારા બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજૂટતા દર્શાવીને તેમની સાથે ઊભા રહેવાનું આહ્વાન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (અ. ભા. પ્ર. સ.) દ્વારા એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જેમાં બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો પર થઈ રહેલી હિંસા, અન્યાય અને ઉત્પીડનની ઘટનાઓ પર ગહન ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઠરાવમાં બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજૂટતા દર્શાવીને તેમની સાથે ઊભા રહેવાનો આહ્વાન કરવામાં આવ્યું છે.

આજે 22 માર્ચ 2025ના રોજ સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં આ ઠરાવને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી. ઠરાવમાં જણાવાયું છે કે બાંગ્લાદેશમાં ઇસ્લામી કટ્ટરપંથી તત્ત્વો દ્વારા હિંદુ સમુદાય પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે જેમાં મંદિરોનો નાશ, સંપત્તિની લૂંટફાટ અને હિંદુ પરિવારો સામેની હિંસાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્યાંના અલ્પસંખ્યક સમુદાયોને નિશાન બનાવીને તેમના માનવાધિકારોનું હનન કરવામાં આવી રહ્યું હોવાનું પણ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે.

rss
khabarchhe.com

સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ ભારત સરકારને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાની અપીલ કરી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ ઘટનાઓની નોંધ લઈને બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી ત્યાંના હિંદુ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો સુરક્ષિત અને સન્માનપૂર્વક જીવન જીવી શકે.

આ ઠરાવમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી શક્તિઓનું વધતું પ્રભુત્વ માત્ર ત્યાંના અલ્પસંખ્યકો માટે જ નહીં પરંતુ વિશ્વના શાંતિપ્રિય દેશોની લોકતાંત્રિક વ્યવસ્થા અને માનવાધિકારો માટે પણ ગંભીર ખતરો બની શકે છે. 

આ પ્રસંગે, સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સહિત સમગ્ર હિંદુ સમાજને બાંગ્લાદેશના હિંદુઓની આ મુશ્કેલ ઘડીમાં તેમની સાથે ખડેપગે ઊભા રહેવાની પ્રતિજ્ઞા લેવા જણાવ્યું છે. આ ઠરાવ બાંગ્લાદેશના હિંદુ સમાજને ન્યાય અને સુરક્ષા મળે તે માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.