કોંગ્રેસ અને શિવસેના UBT વચ્ચે વર્ચસ્વની લડાઈ શરૂ, સંજય રાઉત બોલ્યા-ચૂંટણી બાદ..

શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે બુધવારે રંગશારદામાં આયોજિત શિવસેનાના પદાધિકારી સંમેલનમાં દાવો કર્યો કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન થશે અને નવી સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે જ કરશે. મહાવિકાસ અઘાડી (MVA)માં શિવસેના ઉદ્ધવ ઠાકરેએ અત્યારથી મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકી દીધો છે. સંજય રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું કે, તમારા બધાનો સહયોગ મળ્યો. આપણે બધા શિવ સૈનિક બાળાસાહેબના વિચારો પર આગળ વધી રહ્યા છીએ, એટલે હું દાવા સાથે કહી રહ્યો છું કે આગામી 4 મહિનામાં સત્તા પરિવર્તન થશે. એ સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે જ કરશે.

લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ મહાવિકાસ અઘાડીના ઘટક દળ કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફરીથી વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ છે. મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં પહેલા માત્ર એક સાંસદ હોવાના કારણે કોંગ્રેસ સૌથી નાની પાર્ટી હતી, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું. ત્યારબાદ હવે કોંગ્રેસ મહાવિકાસ અઘાડીમાં મોટા ભાઈની ભૂમિકામાં આવવા માગે છે. તો કોંગ્રેસને મોટો ભાઈ માનવા શિવસેના UBT તૈયાર નથી. આ જ કારણ આગામી દિવસોમાં કોઇક ને કોઇક મુદ્દા પર બંને જ પાર્ટીના નેતાઓ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે.

આ અગાઉ મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીને લઈને બંને જ દળો વચ્ચે વિવાદ જોવા મળ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા વિના જ ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદની ચારે સીટો પર પોતાના ઉમેદવાર ઊભા કરી દીધા છે. એવામાં નારાજ ચાલી રહેલી કોંગ્રેસે પણ 2 સીટો પર ઉમેદવારોનું નામાંકન દાખલ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા પરિષદની આ 4 સીટો મુંબઈ સ્નાતક, મુંબઈ શિક્ષક, કોકણ સ્નાતક અને નાસિક શિક્ષણ છે. સીટ ફાળવણી વિવાદને હલ કરવા માટે ઉદ્ધવ ઠાકરે સાથે નાના પટોલે સતત સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તેમના ફોનનો માતોશ્રી તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.