મહાગઠબંધનની બેઠક પહેલા નિતિશ કેબિનેટમાંથી આ મંત્રીના રાજીનામાથી ખળભળાટ

બિહારમાંJDUઅને RJD મહાગઠબંધનની બેઠક પહેલાં જ મોટો ટેબલો પડી ગયો છે. સાથી પક્ષના એક કેબિનેટ મંત્રીએ રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

બિહારમાં મહાગઠબંધનની બેઠક પહેલા નીતીશ કેબિનેટમાંથી સંતોષ માંઝીના રાજીનામાથી રાજકીય ખળભળાટ મી ગયો છે.રાજીનામાને લઈને સંતોષ માંઝીનું મોટું નિવેદન સામે આવ્યું છે.સંતોષ માંઝી એ બહારના પૂર્વ મુખ્યમંત્રી અને  દિગ્ગજ નેતા જીતન માંઝીના પુત્ર છે. તેમના રાજીનામા પછી તેમના ભાજપમાં જોડાવવાની અટકળોએ વેગ પકડ્યો છે.

નિતિશ કેબિનેટમાંથી રાજીનામું આપ્યા પછી સંતોષ માંઝીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે મેં મારું રાજીનામું મુખ્યમંત્રી નિતિશ કુમારને મોકલી આપ્યું છે. તેમણે કહ્યું કે મારા રાજીનામાનું એક જ કારણ છે. અમારી પાસે અમારી પાર્ટી હિંદુસ્તાન આવામ મોર્ચાના વિલીનીકરણનો પ્રસ્તાવ હતો. અમે અમારા કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને બધા સાથે વાત કરી, બધાએ મર્જર માટે ના પાડી દીધી હતી. વિલીનીકરણનો પ્રસ્તાવ  JDU તરફથી આવ્યો હતો. માંઝીએ કહ્યુ કે અમે JDUની ભાવનાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ અમારો પક્ષ પણ કેટલાક મુદ્દાઓ પર રચાયો છે, તેથી વધુ સારું હતું કે અમે સંઘર્ષનો માર્ગ પસંદ કરીએ, તેથી અમે વિલીનીકરણ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

NDAમાં જવા પર સંતોષ માંઝીને સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, હું એકલો પણ ચૂંટણી લડી શકું છું. ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અમારી પાર્ટીએ પોતાને મહાગઠબંધનથી અલગ કરી દીધી છે. અમે તો રહેવા માંગતા હતા, પરંતુ મોટી પાર્ટીઓ અમને રાખવા માંગતી નથી. અમારી પાર્ટીનું અસ્તિતત્વ ખતમ કરવા માંગતા હતા.

સંતોષ માંઝીએ કહ્યું કે,નિતિશ કુમાર સાથે અમારી છેલ્લી મુલાકાત પહેલા જ આ ઓફર કરવામાં આવી હતી. સંતોષ માંઝીએ કહ્યું કે એક વખત રાજીનામું આપી દીધું પછી તેને પાછું લેવાનો સવાલ જ ઉભો થતો નથી.

બિહાર સરકારમાં અનુસૂચિત જાતિ- જનજાતિ કલ્યાણ મંત્રી ડો. સંતોષ કુમાર સુમન ( માંઝી)એ મંત્રી પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સીનિયર નેતા જીતેન માંઝીએ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. સાથે વિપક્ષી દળોની બેઠકમાં આમંત્રણ નહીં મળવા પર નારાજગી વ્યકત કરી હતી.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.