અલ્હાબાદ કોર્ટ પરિસરની મસ્જિદને હટાવી લો, નહીં તો ધ્વસ્ત કરી દેવામાં આવશે: SC

સુપ્રીમ કોર્ટે સોમવારે (13 માર્ચના રોજ) મોટો નિર્ણય સંભળાવતા અલ્લાહબાદ કોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને 3 મહિનાની અંદર હટાવવાનો આદેશ આપ્યો છે. આ પહેલા હાઇ કોર્ટે વર્ષ 2018માં જ સાર્વજનિક જમીન પર બનેલી મસ્જિદને હટાવવાના નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને હવે 3 મહિનાની અંદર અલ્લાહબાદ હાઇ કોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં મસ્જિદને હટાવવાનો વિરોધ કરનારા અરજીકર્તાઓએ જણાવ્યું કે, તેની સંરચના એક સમાપ્ત લીઝવાળી સંપત્તિ પર ઊભી હતી અને તેઓ સત્તાવાર રૂપે તેને ચાલુ રાખવાનો હવે કોઇ દાવો નહીં કરી શકે.

અરજીકર્તાઓ, વક્ફ મસ્જિદ હાઇ કોર્ટ અને ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે નવેમ્બર 2017ના અલ્લાહબાદ હાઇ કોર્ટના આદેશને પડકાર આપ્યો હતો, જેમાં તેમને મસ્જિદને પરિસરથી બહાર કરવા મારે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે તેમની અરજી ફગાવી દીધી હતી. જો કે, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની પીઠે અરજીકર્તાઓને મસ્જિદ માટે પાસેની જમીન ફાળવવા માટે ઉત્તર પ્રદેશ સરકારને એક પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી પણ આપી છે.

પીઠે કહ્યું કે, ‘અમે અરજીકર્તાઓ દ્વારા વિચારાધીન નિર્માણને ધ્વસ્ત કરવા માટે 3 મહિનાનો સમય આપીએ છીએ અને જો આજથી 3 મહિનાની અવધિની અંદર નિર્માણ ન હટાવવમાં આવ્યું તો હાઇ કોર્ટ અને અધિકારીઓ પાસે તેને ધ્વસ્ત કરવાનો અધિકાર હશે. તો મસ્જિદ મેનેજમેન્ટ કમિટીનો પક્ષ રાખી રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે, મસ્જિદ 1950થી છે અને તેને આમ જ હટાવવા માટે નહીં કહી શકાય. વર્ષ 2017માં સરકાર બદલાઇ અને બધુ બદલાઇ ગયું. નવી સરકાર બદલાયાના 10 દિવસ બાદ એક જનહિતની અરજી દાખલ થઇ હતી.

હવે જ્યારે કોર્ટ મુજબ મસ્જિદ માટે જમીન આપવાની વાત કહેવામાં આવી છે તો અમને વૈકલ્પિક સ્થળ પર સ્થળાંતરીત કરવામાં કોઇ સમસ્યા નથી. વરિષ્ઠ એડવોકેટ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, પૂરી રીતે છેતરપિંડીનો કેસ છે. બે વખત નવીનીકરણના આવેદન આવ્યા હતા અને એ વાતના કોઇ પુરાવા નથી કે મસ્જિદ નિર્માણ કરવામાં આવી હતી અને તેનો ઉપયોગ જનતા માટે કરવામાં આવ્યો હતો. તેમણે નવિનીકરણની માગ કરતા કહ્યું કે, આવાસીય ઉદ્દેશ્યો માટે આવશ્યક છે. માત્ર એ તથ્ય કે તેઓ નમાજ પડી રહ્યા છે, તેને એક નહીં બનાવી દે. જો સુપ્રીમ કોર્ટના ઉંબરા કે હાઇ કોર્ટના ઉંબરમાં સુવિધા માટે નમાજની મંજૂરી છે તો એ મસ્જિદ નહીં બને.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.