છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનને જેનાથી મારેલો તે ‘વાઘ નખ’ ભારત પાછું આવી રહ્યું છે

મહારાષ્ટ્રના લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જે હથિયારથી શિવાજી મહારાજે અફઝલ ખાનને પતાવી દીધો હતો તે હથિયાર હવે ભારત પાછું લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

છત્રપતિ શિવાજી મહારાજનું એક ખાસ હથિયાર ભારત પાછું આવવાનું છે. યુનાઇટેડ કિંગડમના અધિકારીઓએ ‘વાઘ નખ’ પરત આપવા માટે સંમતિ બતાવી છે. ‘વાઘ નખ’ એ હથિયાર છે જેનાથી શિવાજીએ 6.7 ફુટના અફઝલ ખાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. છેલ્લાં કેટલાંક દશકોથી આ નખ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યૂઝીયમમાં રાખવામાં આવેલો છે.

મહારાષ્ટ્રના સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગંટીવારે વાઘ નખ ભારત પાછા લાવવા માટેનો પ્રયાસ કર્યા છે. જાણવા મળેલી વિગત મુજબ મંત્રી સુધીર આ મહિનાના અંતમાં લંડન જઇને વાઘ નખ પાછો લાવવા માટેના સમાધાન પત્ર પર હસ્તાક્ષર કરવા જવાના છે. આ કરાર વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યૂઝીયમ સાથે કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ વર્ષના અંત સુધીમાં શિવાજી મહારાજનું આ ઐતિહાસિક હથિયાર ભારત પાછું આવી જશે.

1659ની વાત છે. બીજાપુરના સુલતાને અફઝલખાનને છત્રપતિ શિવાજી મહારાજને ગુલામ બનાવીને લાવવા માટે મોકલ્યો હતો. શિવાજી મહારાજ પોતાના બે વફાદારો સાથે અફઝલ ખાનને મળવા પહોંચ્યા હતા. અફઝલ ખાન 5 લોકોને લઇને આવ્યો હતો. પાલખીમાં આવેલા અફઝલ ખાને શિવાજી મહારાજને કહ્યુ હતુ કે બીજાપુરના સુલતાન આદિલ શાહને શરણે થઇ જાઓ. સર જાદુનાથ સરકારની પુસ્તક ‘શિવાજી એન્ડ હિઝ ટાઇમ્સ’માં ઉલ્લેખ છે કે અફઝલ ખાને છેતરપિંડી કરીને શિવાજી મહારાજ પર હુમલો કરી દીધો હતો.

પરંતુ શિવાજી મહારાજ પુરી તૈયારી સાથે આવ્યા હતા. તેમને અંદેશો હતો કે અફઝલ ખાન દગો આપશે. અફઝલ ખાને શિવાજી મહારાજને ગળે લગાવવાના બહાને ખંજર મારવાની કોશિશ કરી હતી, પરંતુ શિવાજી મહારાજ પોતાની સાથે લાવેલા વાઘ નખથી અફઝલ ખાનને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

વાઘ નખ એક પ્રકારનું હથિયાર છે. તે આખી મુઠ્ઠીમાં ફીટ થઇ જાય છે. સ્ટીલના બનેલા આ હથિયારમાં ચાર પોઇન્ટેડ સળિયા છે. વાઘના પંજા જેવા ઘોર. તેની બંને બાજુએ બે રિંગ હોયછે, જેથી તે હાથની પહેલી અને ચોથી આંગળીઓમાં પહેરી શકાય અને મુઠ્ઠીમાં યોગ્ય રીતે ફિટ થઈ શકે. તે એટલું ઘાતક છે કે તે એક જ ફટકામાં કોઈને પણ મોતને ઘાટ ઉતારી શકે છે.

જાણવા મળેલી માહિતી મુજબ શિવાજી મહારાજનું આ હથિયાર મરાઠા સામ્રાજ્યની રાજધાની સતારામાં જ હતું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.