'...તો હું રાજનીતિ છોડી દઈશ', અયોધ્યા જીત્યા બાદ અવધેશ પ્રસાદ આવું કેમ બોલ્યા?

સમાજવાદી પાર્ટી (SP)ના નેતા અવધેશ પ્રસાદ ફૈઝાબાદ (અયોધ્યા)થી સાંસદ તરીકે ચૂંટાયા પછી ખાલી પડેલી મિલ્કીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. અવધેશ પ્રસાદ આ મિલ્કીપુર સીટથી ધારાસભ્ય હતા. SP-BJPએ મિલ્કીપુર સીટ પર પેટાચૂંટણીની તૈયારી કરી લીધી છે. આ દરમિયાન અવધેશ પ્રસાદે એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, અમને મિલ્કીપુરમાં જીતતા કોઈ રોકી શકશે નહીં. અવધેશ પ્રસાદે એવો પણ દાવો કર્યો હતો કે, 2027ની વિધાનસભા ચૂંટણીમાં BJPને 50 બેઠકો પણ નહીં મળે અને જો આમ થશે તો હું રાજકારણ છોડી દઈશ.

અહીં તમને જણાવી દઈએ કે, UPમાં કુલ 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થવાની છે, પરંતુ મિલ્કીપુર સીટ ચર્ચાના કેન્દ્રમાં છે. આ દરમિયાન મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને અવધેશ પ્રસાદનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે દાવો કર્યો કે ગમે તે થાય, સમાજવાદી પાર્ટી કોઈપણ સંજોગોમાં મિલ્કીપુર પેટાચૂંટણી જીતશે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા અવધેશ પ્રસાદે કહ્યું કે, કોઈપણ આવી જાય. આખી દુનિયાની તાકાત તેની પાછળ લગાવી દે, મિલ્કીપુરની ચૂંટણીમાં તેઓ કંઈ કરી શકશે નહીં. તેમની પાસે પોલીસ છે, સરકાર છે, સત્તા છે, તેઓ હલકાઈ પર ઉતરી આવશે અને ખુલ્લેઆમ પ્રદર્શન કરશે. તેઓ ખુલ્લેઆમ સરકારી નાણાં અને સરકારી મશીનરીનો ઉપયોગ કરશે, પરંતુ ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે, જ્યારે સરકાર અને જનતા વચ્ચે લડાઈ થઈ છે ત્યારે સરકારની હાર થઈ છે. જનતાની જીત થઈ છે.

અવધેશ પ્રસાદના કહેવા પ્રમાણે, મિલ્કીપુરમાં અમને જીતતા કોઈ રોકી શકશે નહીં. 2027માં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. BJPને 50 બેઠકો પણ નહીં મળે. જો આમ નહીં થાય તો હું રાજકારણ છોડી દઈશ. હું કંઈ સામાન્ય વાત નથી કહેતો. સમાજવાદી પાર્ટીની PDA ફોર્મ્યુલા જબરદસ્ત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠકો, કરહલ, મિલ્કીપુર, સિસામઉ, કુંદરકી, ગાઝિયાબાદ, ફૂલપુર, મઝવાં, કટેહરી, ખેર અને મીરાપુર માટે પેટાચૂંટણી પ્રસ્તાવિત છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન અને મતગણતરીની તારીખો હજુ જાહેર કરવાની બાકી છે. તેમાંથી 9 બેઠકો ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાઈ આવવાને કારણે ખાલી થઈ છે, જ્યારે કાનપુરની સિસામઉ બેઠક એક કેસમાં 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા પછી SP નેતા ઈરફાન સોલંકીની ધારાસભ્યપદ રદ થવાને કારણે ખાલી પડી છે. પેટાચૂંટણી યોજાનારી વિધાનસભા મતવિસ્તારોમાં અયોધ્યાની મિલ્કીપુર અને આંબેડકર નગરની કટેહરી બેઠકોનો પણ સમાવેશ થાય છે.

BJPએ હજુ સુધી પેટાચૂંટણી માટે એકપણ બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી. માનવામાં આવે છે કે CM યોગી આદિત્યનાથ અને BJP સંગઠન ઘણા નામો પર ચર્ચા કરી રહ્યા છે. પરંતુ સમાજવાદી પાર્ટી તરફથી બે નામ ચાલી રહ્યા છે, જેમાં અવધેશ પ્રસાદના પુત્રને મિલ્કીપુરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે, જ્યારે લાલજી વર્માની પુત્રી છાયા વર્માને કટેહરી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.

મિલ્કીપુરમાં લગભગ 65 હજાર બ્રાહ્મણો, 55 હજાર પાસીઓ, 22 હજાર કોરી, 15 હજાર હરિજન, 25 હજાર ક્ષત્રિય, 23 હજાર મુસ્લિમ, 20 હજાર ચૌરસિયા, 17 હજાર બનિયા અને 55 હજાર યાદવ મતદારો છે. અનામત બેઠકોને કારણે તમામ પક્ષોના ઉમેદવારો દલિત સમાજના હશે. આ વખતે BSP અને ચંદ્રશેખર (આઝાદ સમાજ પાર્ટી) પણ પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.