આ મુદ્દે ઓવૈસીએ કર્યું મોદી સરકારનું સમર્થન, પણ સરકારને એક સવાલ પણ પૂછી લીધો

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના સરકારના પગલાનું સમર્થન કર્યું છે. સાથે તેમણે સરકારને એવો પણ સવાલ કર્યો કે, જો આપણે પાકિસ્તાનને પાણી નહીં આપીએ તો આપણે તેને સ્ટોર ક્યાં કરીશું. 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ઓવૈસીએ તેને એક સાહસિક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે, ‘ખૂબ સારી વાત છે કે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, પરંતુ આપણે પાણી ક્યાં રાખીશું? કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય લેશે, અમે તેને સમર્થન આપીશું. આ કોઈ રાજનીતિક મુદ્દો નથી.

asaduddin owaisi
siasat.com

ઓવૈસીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદો ભારતને પહેલગામ હુમલાનો કડક જવાબ આપવાનો અધિકાર આપે છે. કેન્દ્ર સરકાર આતંકવાદી ગ્રુપને આશ્રય આપનાર દેશ સામે કાર્યવાહી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદો આપણને પાકિસ્તાન સામે આત્મરક્ષામાં હવાઈ અને નૌકાદળ નાકાબંધી કરવાની અને પાકિસ્તાનને હથિયારોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની પણ મંજૂરી આપે છે. ઓવૈસીએ બૈસરન મેદાનમાં થયેલા હુમલા દરમિયાન સુરક્ષા પ્રતિક્રિયામાં થયેલા વિલંબ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે પૂછ્યું કે, બૈસરન મેદાનમાં CRPFની તૈનાતી કેમ નહોતી? ક્વિક રીએક્શન ટીમ (QRT)ને ત્યાં પહોંચવામાં એક કલાક કેમ લાગી ગયો? આ હુમલાઓ દરમિયાન, લોકોને તેમના ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવી. આ ટારગેટેડ અને ઘોર સાંપ્રદાયિક હુમલો છે.

asaduddin owaisi
indiatoday.in

કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હીમાં બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા, ઓવૈસીએ સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સ્વાગત કર્યું, અને કહ્યું કે સરકારે આતંકવાદી સંગઠનોને આશ્રય આપનારા દેશ સામે કાર્યવાહી કરવામાં સંકોચ ન કરવો જોઈએ. કેન્દ્ર સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા, કિરેન રિજિજૂ, એસ જયશંકર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં એકજૂથ સહેવા પર સામાન્ય સહમતી બની. પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી લીધી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.