આ મુદ્દે ઓવૈસીએ કર્યું મોદી સરકારનું સમર્થન, પણ સરકારને એક સવાલ પણ પૂછી લીધો

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના સરકારના પગલાનું સમર્થન કર્યું છે. સાથે તેમણે સરકારને એવો પણ સવાલ કર્યો કે, જો આપણે પાકિસ્તાનને પાણી નહીં આપીએ તો આપણે તેને સ્ટોર ક્યાં કરીશું. 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ઓવૈસીએ તેને એક સાહસિક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે, ‘ખૂબ સારી વાત છે કે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, પરંતુ આપણે પાણી ક્યાં રાખીશું? કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય લેશે, અમે તેને સમર્થન આપીશું. આ કોઈ રાજનીતિક મુદ્દો નથી.

asaduddin owaisi
siasat.com

ઓવૈસીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદો ભારતને પહેલગામ હુમલાનો કડક જવાબ આપવાનો અધિકાર આપે છે. કેન્દ્ર સરકાર આતંકવાદી ગ્રુપને આશ્રય આપનાર દેશ સામે કાર્યવાહી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદો આપણને પાકિસ્તાન સામે આત્મરક્ષામાં હવાઈ અને નૌકાદળ નાકાબંધી કરવાની અને પાકિસ્તાનને હથિયારોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની પણ મંજૂરી આપે છે. ઓવૈસીએ બૈસરન મેદાનમાં થયેલા હુમલા દરમિયાન સુરક્ષા પ્રતિક્રિયામાં થયેલા વિલંબ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે પૂછ્યું કે, બૈસરન મેદાનમાં CRPFની તૈનાતી કેમ નહોતી? ક્વિક રીએક્શન ટીમ (QRT)ને ત્યાં પહોંચવામાં એક કલાક કેમ લાગી ગયો? આ હુમલાઓ દરમિયાન, લોકોને તેમના ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવી. આ ટારગેટેડ અને ઘોર સાંપ્રદાયિક હુમલો છે.

asaduddin owaisi
indiatoday.in

કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હીમાં બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા, ઓવૈસીએ સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સ્વાગત કર્યું, અને કહ્યું કે સરકારે આતંકવાદી સંગઠનોને આશ્રય આપનારા દેશ સામે કાર્યવાહી કરવામાં સંકોચ ન કરવો જોઈએ. કેન્દ્ર સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા, કિરેન રિજિજૂ, એસ જયશંકર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં એકજૂથ સહેવા પર સામાન્ય સહમતી બની. પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી લીધી છે.

Top News

કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
National 
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
National 
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’,  અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.