સૂરજકલી બોલી-અતિકે મારા પતિને મરાવી નાખ્યો, મેં પતિનું શબ પણ ન જોયું, 12 વીઘા...

On

અતિક અહમદ આજે જેલના સળિયા પાછળ છે. જે ગલીઓમાં એક સમયે માફિયા અતિકનો દબદબો બોલતો હતો, આજે ઉત્તર પ્રદેશ પોલીસ એ જ ગલીઓમાં હાથકડી નાખીને ફેરવી રહી છે અને તેના દ્વારા કરવામાં આવેલાઆ ગુનાઓનો હિસાબ લઈ રહી છે. અતિની આ હાલત જોઈને તેના દ્વારા સતાવેલા લોકો હવે તેની વિરુદ્ધ ખૂલીને સામે આવવા લાગ્યા છે. આ એવા લોકો છે, જેમની જમીન પર અતિક અને તેના માણસોએ બળજબરીપૂર્વક કબજે કરી લીધી હતી.

એવી જ એક પ્રયાગરાજની મહિલા સાથે એક ન્યૂઝ ચેનલે વાત કરી હતી. તેણે અતિકના ગુનાઓની એ કહાની બતાવી જેને સાંભળીને દરેક હેરાન રહી જશે. સૂરજકલી નામની મહિલાનો આરોપ છે કે, અતિક અને તેના માણસોએ તેની 12 વીઘાની જમીન પર બળજબરીપૂર્વક કબજો કરી લીધો. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તેના પતિને જીવતો ઉઠાવી લેવામાં આવ્યો. મહિલાનું એમ પણ કહેવું છે કે તેણે પોતાના પતિનું શબ પણ જોયું નથી. અતિકના ગુનાઓની કહાની એ છે કે જમીન પર કબજો કરવા માટે અતિક અને તેના ભાઈ અશરફે ગાડીથી ઉતરીને મહિલા પર ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી દીધી હતી.

જેમાં મહિલાની પીઠ પર ગોળીઓના નિશાન છે. મહિલા બતાવે છે કે, આ નિશાન અતિકના અત્યાચારના છે. ગોળીઓને ઓપરેશન કર્યા બાદ કાઢવામાં આવી હતી. સાક્ષી તરીકે મહિલાના ઘરના દરવાજા પર પણ ગોળીઓના નિશાન છે. મહિલાનું કહેવું છે કે, મારા એક વર્ષના છોકરાને પણ ગોળી લાગી હતી. પીડિત મહિલા સૂરજકલીનું કહેવું છે કે તેને પોતાની જમીન માટે લડતા 35 વર્ષ થઈ ગયા, પરંતુ તે પોતાની જમીન માટે છેલ્લા શ્વાસ સુધી લડતી રહેશે કેમ કે તે મારા પૂર્વજોની જમીન છે.

સૂરજકલી જ્યારે અતિકના ગુનાઓની કહાની કહી રહી હતી તો તેની આંખોમાં આંસુ આવી જતા હતા. તે કહે છે કે અમે પોતાના બાળકોને પણ ન ભણાવી શક્યા, પતિને પણ ગુમાવી દીધો, જમીન પર પણ કબજો થઈ ગયો. મારો દીકરો મજૂરી કરે છે. મારું સુખ ચેન અતિકે છીનવી લીધું. પીડિત મહિલાનું કહેવું છે કે હવે અતિકને ખબર પડી હશે કે દર્દ શું હોય છે. યોગી સરકારે કર્યું છે તે સારું કર્યું છે. તેનું કહેવું છે કે આ પ્રકારે ગુંડારાજ સમાપ્ત થઈ જવું જોઈએ.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.