સૂરજકલી બોલી-અતિકે મારા પતિને મરાવી નાખ્યો, મેં પતિનું શબ પણ ન જોયું, 12 વીઘા...

અતિક અહમદ આજે જેલના સળિયા પાછળ છે. જે ગલીઓમાં એક સમયે માફિયા અતિકનો દબદબો બોલતો હતો, આજે ઉત્તર પ્રદેશ પોલીસ એ જ ગલીઓમાં હાથકડી નાખીને ફેરવી રહી છે અને તેના દ્વારા કરવામાં આવેલાઆ ગુનાઓનો હિસાબ લઈ રહી છે. અતિની આ હાલત જોઈને તેના દ્વારા સતાવેલા લોકો હવે તેની વિરુદ્ધ ખૂલીને સામે આવવા લાગ્યા છે. આ એવા લોકો છે, જેમની જમીન પર અતિક અને તેના માણસોએ બળજબરીપૂર્વક કબજે કરી લીધી હતી.

એવી જ એક પ્રયાગરાજની મહિલા સાથે એક ન્યૂઝ ચેનલે વાત કરી હતી. તેણે અતિકના ગુનાઓની એ કહાની બતાવી જેને સાંભળીને દરેક હેરાન રહી જશે. સૂરજકલી નામની મહિલાનો આરોપ છે કે, અતિક અને તેના માણસોએ તેની 12 વીઘાની જમીન પર બળજબરીપૂર્વક કબજો કરી લીધો. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તેના પતિને જીવતો ઉઠાવી લેવામાં આવ્યો. મહિલાનું એમ પણ કહેવું છે કે તેણે પોતાના પતિનું શબ પણ જોયું નથી. અતિકના ગુનાઓની કહાની એ છે કે જમીન પર કબજો કરવા માટે અતિક અને તેના ભાઈ અશરફે ગાડીથી ઉતરીને મહિલા પર ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી દીધી હતી.

જેમાં મહિલાની પીઠ પર ગોળીઓના નિશાન છે. મહિલા બતાવે છે કે, આ નિશાન અતિકના અત્યાચારના છે. ગોળીઓને ઓપરેશન કર્યા બાદ કાઢવામાં આવી હતી. સાક્ષી તરીકે મહિલાના ઘરના દરવાજા પર પણ ગોળીઓના નિશાન છે. મહિલાનું કહેવું છે કે, મારા એક વર્ષના છોકરાને પણ ગોળી લાગી હતી. પીડિત મહિલા સૂરજકલીનું કહેવું છે કે તેને પોતાની જમીન માટે લડતા 35 વર્ષ થઈ ગયા, પરંતુ તે પોતાની જમીન માટે છેલ્લા શ્વાસ સુધી લડતી રહેશે કેમ કે તે મારા પૂર્વજોની જમીન છે.

સૂરજકલી જ્યારે અતિકના ગુનાઓની કહાની કહી રહી હતી તો તેની આંખોમાં આંસુ આવી જતા હતા. તે કહે છે કે અમે પોતાના બાળકોને પણ ન ભણાવી શક્યા, પતિને પણ ગુમાવી દીધો, જમીન પર પણ કબજો થઈ ગયો. મારો દીકરો મજૂરી કરે છે. મારું સુખ ચેન અતિકે છીનવી લીધું. પીડિત મહિલાનું કહેવું છે કે હવે અતિકને ખબર પડી હશે કે દર્દ શું હોય છે. યોગી સરકારે કર્યું છે તે સારું કર્યું છે. તેનું કહેવું છે કે આ પ્રકારે ગુંડારાજ સમાપ્ત થઈ જવું જોઈએ.

Top News

26 તારીખે ગુજરાતમાં PM મોદીનો મેગા રોડ શો, અમદાવાદમાં S-400, બ્રહ્મોસ અને સૈનિકોના કટઆઉટ લગાવાયા

ઓપરેશન સિંદૂરની સફળતા પછી, PM નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે. PM મોદી 26 અને 27 મેના...
Gujarat 
26 તારીખે ગુજરાતમાં PM મોદીનો મેગા રોડ શો, અમદાવાદમાં S-400, બ્રહ્મોસ અને સૈનિકોના કટઆઉટ લગાવાયા

પદ-પૈસા આપણી સંપત્તિ હોય, તો એક દિવસ તેનો અંત આવે, પણ માન-સન્માન આપણી સંપત્તિ હોય, તો તે અનંત છે!

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જ્યાં આપણે ઘણી બધી સંપત્તિઓ એકઠી કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ સાચી સંપત્તિ...
Opinion 
પદ-પૈસા આપણી સંપત્તિ હોય, તો એક દિવસ તેનો અંત આવે, પણ માન-સન્માન આપણી સંપત્તિ હોય, તો તે અનંત છે!

દેશમાં કોવિડ NB.1.8.1 અને LF.7નો પ્રવેશ, જાણો હાલની સ્થિતિ

કોરોના વાયરસ ફરી એકવાર દેશમાં તણાવ વધારી રહ્યો છે. કોવિડ NB.1.8.1 અને LF.7ના નવા પ્રકારો આવી રહ્યા છે. તમિલનાડુ...
National 
દેશમાં કોવિડ NB.1.8.1 અને LF.7નો પ્રવેશ, જાણો હાલની સ્થિતિ

ભારત બન્યું વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા: જાપાનને પાછળ છોડ્યું

(ઉત્કર્ષ પટેલ) 25 મે 2025ના રોજ ભારતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નીતિ આયોગના સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમે જાહેરાત કરી...
National 
ભારત બન્યું વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા: જાપાનને પાછળ છોડ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.