સૂરજકલી બોલી-અતિકે મારા પતિને મરાવી નાખ્યો, મેં પતિનું શબ પણ ન જોયું, 12 વીઘા...

અતિક અહમદ આજે જેલના સળિયા પાછળ છે. જે ગલીઓમાં એક સમયે માફિયા અતિકનો દબદબો બોલતો હતો, આજે ઉત્તર પ્રદેશ પોલીસ એ જ ગલીઓમાં હાથકડી નાખીને ફેરવી રહી છે અને તેના દ્વારા કરવામાં આવેલાઆ ગુનાઓનો હિસાબ લઈ રહી છે. અતિની આ હાલત જોઈને તેના દ્વારા સતાવેલા લોકો હવે તેની વિરુદ્ધ ખૂલીને સામે આવવા લાગ્યા છે. આ એવા લોકો છે, જેમની જમીન પર અતિક અને તેના માણસોએ બળજબરીપૂર્વક કબજે કરી લીધી હતી.

એવી જ એક પ્રયાગરાજની મહિલા સાથે એક ન્યૂઝ ચેનલે વાત કરી હતી. તેણે અતિકના ગુનાઓની એ કહાની બતાવી જેને સાંભળીને દરેક હેરાન રહી જશે. સૂરજકલી નામની મહિલાનો આરોપ છે કે, અતિક અને તેના માણસોએ તેની 12 વીઘાની જમીન પર બળજબરીપૂર્વક કબજો કરી લીધો. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તેના પતિને જીવતો ઉઠાવી લેવામાં આવ્યો. મહિલાનું એમ પણ કહેવું છે કે તેણે પોતાના પતિનું શબ પણ જોયું નથી. અતિકના ગુનાઓની કહાની એ છે કે જમીન પર કબજો કરવા માટે અતિક અને તેના ભાઈ અશરફે ગાડીથી ઉતરીને મહિલા પર ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી દીધી હતી.

જેમાં મહિલાની પીઠ પર ગોળીઓના નિશાન છે. મહિલા બતાવે છે કે, આ નિશાન અતિકના અત્યાચારના છે. ગોળીઓને ઓપરેશન કર્યા બાદ કાઢવામાં આવી હતી. સાક્ષી તરીકે મહિલાના ઘરના દરવાજા પર પણ ગોળીઓના નિશાન છે. મહિલાનું કહેવું છે કે, મારા એક વર્ષના છોકરાને પણ ગોળી લાગી હતી. પીડિત મહિલા સૂરજકલીનું કહેવું છે કે તેને પોતાની જમીન માટે લડતા 35 વર્ષ થઈ ગયા, પરંતુ તે પોતાની જમીન માટે છેલ્લા શ્વાસ સુધી લડતી રહેશે કેમ કે તે મારા પૂર્વજોની જમીન છે.

સૂરજકલી જ્યારે અતિકના ગુનાઓની કહાની કહી રહી હતી તો તેની આંખોમાં આંસુ આવી જતા હતા. તે કહે છે કે અમે પોતાના બાળકોને પણ ન ભણાવી શક્યા, પતિને પણ ગુમાવી દીધો, જમીન પર પણ કબજો થઈ ગયો. મારો દીકરો મજૂરી કરે છે. મારું સુખ ચેન અતિકે છીનવી લીધું. પીડિત મહિલાનું કહેવું છે કે હવે અતિકને ખબર પડી હશે કે દર્દ શું હોય છે. યોગી સરકારે કર્યું છે તે સારું કર્યું છે. તેનું કહેવું છે કે આ પ્રકારે ગુંડારાજ સમાપ્ત થઈ જવું જોઈએ.

Top News

રાહુલ ગાંધી અંગે એવું બોલ્યા કે દિગ્વિજય સિંહના ભાઈને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા

કોંગ્રેસે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કેસમાં છ વર્ષ માટે પક્ષમાંથી...
National 
રાહુલ ગાંધી અંગે એવું બોલ્યા કે દિગ્વિજય સિંહના ભાઈને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા

વર્લ્ડ બેંક મુજબ 2022-23માં ભારતમાં અત્યંત ગરીબી ઘટીને 5.3% થઈ

ભારતને એક ગરીબ દેશ માનવામાં આવતો હતો એ માન્યતા હવે જૂની થઇ ગઈ છે. પ્રગતિના પંથ પર દરેક લોકોના વિકાસને...
Charcha Patra 
વર્લ્ડ બેંક મુજબ 2022-23માં ભારતમાં અત્યંત ગરીબી ઘટીને 5.3% થઈ

IASના ભોજનમાંથી મળી ઇયળ! ગુરુગ્રામના લક્ઝરી રેસ્ટોરાંની પોલ ખૂલી

ગુરુગ્રામના સેક્ટર-15માં સ્થિત 32 માઇલસ્ટોન પરિસરમાં આવેલું લક્ઝરી સેલેસ્ટે રેસ્ટોરાં એ સમયે વિવાદમાં ઘેરાઈ ગયું, જ્યારે એક ...
National 
IASના ભોજનમાંથી મળી ઇયળ! ગુરુગ્રામના લક્ઝરી રેસ્ટોરાંની પોલ ખૂલી

સોનમે લગ્ન પછી રાજાને સંબંધ બાંધવા નહોતા દીધા, કહેલું- ત્યારે જ નજીક આવીશું જ્યારે...

રાજા રઘુવંશીના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા હતા. પ્રેમમાં વિશ્વાસ હતો, આત્મીયતા હતી, પરંતુ એક વિચિત્ર અંતર...
National 
સોનમે લગ્ન પછી રાજાને સંબંધ બાંધવા નહોતા દીધા, કહેલું- ત્યારે જ નજીક આવીશું જ્યારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.