BJPના સસ્પેન્ડેડ MLAએ કહ્યુ- ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે, જેમાં મુસ્લિમો વોટ નહીં..

હૈદરાબાદના સસ્પેન્ડેડ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ટી. રાજા સિંહે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તો તેની રાજધાની દિલ્હી નહીં, પણ મથુરા, કાશી કે અયોધ્યા હશે. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ રાષ્ટ્રમાં મુસ્લિમોને વોટ આપવાનો અધિકાર નહીં હોય. હૈદરાબાદમાં શોભા યાત્રા દરમિયાન ટી. રાજાએ આ નિવેદન આપ્યું છે. રાજા સિંહે આગળ કહ્યું કે, આપણાં સાધુ સંતોએ મોટી રચના પણ શરૂ કરી દીધી છે કે, આપણું હિન્દુ રાષ્ટ્ર કેવું હશે. એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ, તેનું સંવિધાન બનવાનું શરૂ થઈ ગયું છે.

તેમણે કહ્યું કે, આપણાં હિન્દુ ભારતમાં ખેડૂતોને દરેક પ્રકારની સુવિધા આપવામાં આવશે. ટેક્સ ફ્રી ખેડૂત હશે. આપણા દેશમાં ‘આપણે બે, આપણાં બેવાળાને વોટિંગનો અધિકાર હશે, આપણે 5, આપણા 50વાળાને વૉટિંગનો અધિકાર નહીં.’ આપણાં સંવિધાનના પહેલા પાનાં પર અખંડ હિન્દુ રાષ્ટ્રની તસવીર હશે. આપણાં હિન્દુ રાષ્ટ્રમાં ગૌહત્યા નહીં થાય. લવ-જિહાદ નહીં થાય. ધર્માંતરણ પણ નહીં થાય. જો પણ લવ-જિહાદ કરશે તેને ભરત બહાર મોકલી દેવામાં આવશે. ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ટી. રાજા સિંહ પોતાના વિવાદિત નિવેદનોને લઈને મોટાભાગે ચર્ચામાં રહે છે.

ભાજપે વિવાદિત નિવેદનના કારણે જ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં ટી. રાજા સિંહની ધરપકડ કરવામાં આવી હતી. રાજા સિંહે કોમેડિયન મુનવ્વર ફારુકીને લઈને એક વીડિયો અપલોડ કર્યો હતો. ટી રાજા સિંહે મુનવ્વર ફારુકી પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. વીડિયોમાં ટી. રાજા સિંહે પયગમ્બર મોહમ્મદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમની વિરુદ્ધ મુસ્લિમ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં વિરોધ કર્યો હતો.

ત્યારબાદ ટી. રાજા સિંહની હૈદરાબાદ પોલીસ ધરપકડ કરી લીધી હતી. જો કે, તેમને એ જ દિવસે જામીન મળી ગયા હતા. તેના 72 કલાકની અંદર પોલીસે ફરી તેમની ધરપકડ કરીને જેલ મોકલી દીધા. રાજા સિંહ વિરુદ્ધ હવે હાલમાં જ મહારાષ્ટ્રમાં કેસ નોંધાયો છે. ગત 29 જાન્યુઆરીના રોજ ટી. રાજા સિંહે મુંબઇમાં એક રેલી કરી હતી. મુંબઈ પોલીસે ટી. રજા સિંહ વિરુદ્ધ હેટ સ્પીચનો કેસ નોંધ્યો છે. પોલીસને આ રેલીને લઈને ફરિયાદ મળી હતી કે ટી. રાજા સિંહે રેલીમાં જે ભાષણ આપ્યું હતું તેનાથી ધાર્મિક ભાઇચારાને નુકસાન પહોંચી શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.