ભાજપને મોટો ઝટકો, આ પાર્ટીએ કહ્યુ-BJP સાથે અમારું કોઇ ગઠબંધન નથી, ચૂંટણી સમયે...

તમિલનાડુની મુખ્ય વિપક્ષ પાર્ટી AIADMKએ એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં પાર્ટીએ કહ્યું કે, તેમનું ભાજપા જોડે કોઇપણ રીતનું ગઠબંધન નથી અને ગઠબંધનને લઇ ચૂંટણી સમયે વિચાર કરવામાં આવશે. AIADMKના વરિષ્ઠ નેતા ડી. જયકુમારે આ નિવેદન આપ્યું છે અને ચોખ્ખું કહી દીધું કે આ તેમનું અંગત નિવેદન નથી બલ્કે તેમની પાર્ટીનું સ્ટેન્ડ છે.

ડી જયકુમારે ભાજપા અધ્યક્ષ અન્નામલાઈને ઘેર્યા

ડી જયકુમારે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈ પર નિશાનો સાધ્યો છે. જયકુમારે આરોપ લગાવ્યો કે, અન્નામલાઈએ દ્રવિડ રાજકારણના દિગ્ગજ નેતા સીએન અન્નાદુરઈની ટીકા કરી અને તેમની પાર્ટીના કાર્યકર્તા આ સહન કરશે નહીં. અન્નામલાઈએ AIADMK નેતાઓના વિરોધમાં પણ નિવેદનબાજી કરી અને દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાની પણ ટીકા કરી હતી. AIADMK પાર્ટીએ આના પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી. ડી જયકુમારે કહ્યું કે, અન્નમલાઇ નથી ઈચ્છતા કે ભાજપાનું AIADMKની સાથે ગઠબંધન થાય. જોકે ભાજપા કાર્યકર્તા આ ગઠબંધનના પક્ષમાં છે. પણ અમે અમારા નેતાઓની ટીકા સહન કરીશું નહીં. જ્યાં સુધી વાત ગઠબંધનની છે તો AIADMKનું ભાજપા સાથે કોઇ ગઠબંધન નથી. ગઠબંધન જો થશે તો ચૂંટણી સમયે જ આ વિશે વાત થશે.

અન્નામલાઈએ અન્નાદુરઈની કરી હતી ટીકા

ડી જયકુમારે સાથે એવું પણ કહ્યું કે, અન્નામલાઈ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બનવાને લાયક નથી. જણાવીએ કે ભાજપા પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ પાછલા દિવસોમાં રાજ્યના ધાર્મિક મામલાના મંત્રી પીકે શેખર બાબૂ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જે કાર્યક્રમમાં ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મના વિરોધમાં ટિપ્પણી કરી હતી, તે કાર્યક્રમમાં પીકે શેખર બાબૂ પણ હાજર હતા.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન અન્નામલાઈએ કહ્યું કે, 1950ના દશકામાં અન્નાદુરઈએ પણ સનાતન ધર્મના વિરોધમાં ટિપ્પણી કરી હતી. જેનો સ્વતંત્ર સેનાની પસુંપન મુથુરામાલિંગા થેવર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અન્નામલાઈના આ નિવેદન પર AIADMKએ આપત્તિ વ્યક્ત કરી છે. AIADMKના નેતાઓએ કહ્યું કે, અન્નામલાઈએ જાણીજોઇને અન્નાદુરઈનું અપમાન કરવાની કોશિશ કરી છે અને તેમને અન્નાદુરઈના રાજકારણ અને જ્ઞાન વિશેની સમજ નથી.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.