ભાજપને મોટો ઝટકો, આ પાર્ટીએ કહ્યુ-BJP સાથે અમારું કોઇ ગઠબંધન નથી, ચૂંટણી સમયે...

તમિલનાડુની મુખ્ય વિપક્ષ પાર્ટી AIADMKએ એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં પાર્ટીએ કહ્યું કે, તેમનું ભાજપા જોડે કોઇપણ રીતનું ગઠબંધન નથી અને ગઠબંધનને લઇ ચૂંટણી સમયે વિચાર કરવામાં આવશે. AIADMKના વરિષ્ઠ નેતા ડી. જયકુમારે આ નિવેદન આપ્યું છે અને ચોખ્ખું કહી દીધું કે આ તેમનું અંગત નિવેદન નથી બલ્કે તેમની પાર્ટીનું સ્ટેન્ડ છે.

ડી જયકુમારે ભાજપા અધ્યક્ષ અન્નામલાઈને ઘેર્યા

ડી જયકુમારે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈ પર નિશાનો સાધ્યો છે. જયકુમારે આરોપ લગાવ્યો કે, અન્નામલાઈએ દ્રવિડ રાજકારણના દિગ્ગજ નેતા સીએન અન્નાદુરઈની ટીકા કરી અને તેમની પાર્ટીના કાર્યકર્તા આ સહન કરશે નહીં. અન્નામલાઈએ AIADMK નેતાઓના વિરોધમાં પણ નિવેદનબાજી કરી અને દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાની પણ ટીકા કરી હતી. AIADMK પાર્ટીએ આના પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી. ડી જયકુમારે કહ્યું કે, અન્નમલાઇ નથી ઈચ્છતા કે ભાજપાનું AIADMKની સાથે ગઠબંધન થાય. જોકે ભાજપા કાર્યકર્તા આ ગઠબંધનના પક્ષમાં છે. પણ અમે અમારા નેતાઓની ટીકા સહન કરીશું નહીં. જ્યાં સુધી વાત ગઠબંધનની છે તો AIADMKનું ભાજપા સાથે કોઇ ગઠબંધન નથી. ગઠબંધન જો થશે તો ચૂંટણી સમયે જ આ વિશે વાત થશે.

અન્નામલાઈએ અન્નાદુરઈની કરી હતી ટીકા

ડી જયકુમારે સાથે એવું પણ કહ્યું કે, અન્નામલાઈ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બનવાને લાયક નથી. જણાવીએ કે ભાજપા પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ પાછલા દિવસોમાં રાજ્યના ધાર્મિક મામલાના મંત્રી પીકે શેખર બાબૂ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જે કાર્યક્રમમાં ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મના વિરોધમાં ટિપ્પણી કરી હતી, તે કાર્યક્રમમાં પીકે શેખર બાબૂ પણ હાજર હતા.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન અન્નામલાઈએ કહ્યું કે, 1950ના દશકામાં અન્નાદુરઈએ પણ સનાતન ધર્મના વિરોધમાં ટિપ્પણી કરી હતી. જેનો સ્વતંત્ર સેનાની પસુંપન મુથુરામાલિંગા થેવર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અન્નામલાઈના આ નિવેદન પર AIADMKએ આપત્તિ વ્યક્ત કરી છે. AIADMKના નેતાઓએ કહ્યું કે, અન્નામલાઈએ જાણીજોઇને અન્નાદુરઈનું અપમાન કરવાની કોશિશ કરી છે અને તેમને અન્નાદુરઈના રાજકારણ અને જ્ઞાન વિશેની સમજ નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.