ગડકરીએ ચેલેન્જ આપી- E20થી કોઈ વાહનને નુકસાન થયું હોય તો બતાવો, પૂનાવાલાએ ચેલેન્જ સ્વીકારી કહ્યું- 'હું 10 લોકો સાથે તૈયાર છું.'

કોંગ્રેસના સમર્થક તેહસીન પૂનાવાલાએ ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના પડકારનો સ્વીકાર કર્યો છે. E20ને લગતા ચાલી રહેલા વિવાદ અંગે, તેમણે કહ્યું કે તેઓ સાબિત કરી શકે છે કે E20 વાહનો માટે સમસ્યા ઉભી કરી રહ્યું છે. તેમનો દાવો છે કે, જ્યારે કેન્દ્રીય મંત્રીએ ફક્ત ઉદાહરણો માંગ્યા હતા, ત્યારે તેઓ આવા 10 લોકોને સામે લાવી શકે છે. પરંતુ તેમની એક શરત છે.

Tehseen Poonawalla-Nitin Gadkari
news24online.com

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મીડિયા સૂત્રો સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, E20 સાથે કોઈ સમસ્યા નથી અને વિરોધીઓ અને ટીકાકારોના દાવા ખોટા છે. તેમણે E20 વિરોધીઓ અને ટીકાકારોને પડકાર ફેંક્યો કે તેઓ તેમને એક પણ કેસ બતાવે જ્યાં E20ને કારણે વાહનને નુકસાન થયું હોય. હવે, આ પડકાર સ્વીકારીને, તહસીને એક વીડિયો સંદેશ બહાર પાડ્યો છે.

Tehseen Poonawalla-Nitin Gadkari
news24online.com

તહસીન સમગ્ર ઇથેનોલ વિવાદનો બહિષ્કાર કરવાની માંગણી સાથે ઓનલાઈન ઝુંબેશ ચલાવી રહ્યા છે. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, 'હું આદરણીય હરદીપ પુરી અને નીતિન ગડકરીને કહેવા માંગુ છું કે, તેમનો પડકાર સ્વીકારવામાં આવ્યો છે. હું તમને વિનંતી કરું છું કે મને શુક્રવાર, 10 જુલાઈના રોજ મળવા માટે સમય આપો. હું તમને 4-10 લોકોને મીડિયા સમક્ષ લાવીશ જેમના વાહનોને ઇથેનોલને કારણે નુકસાન થયું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ લોકોનો કોઈ રાજકીય સંબંધ નથી.'

Tehseen Poonawalla-Nitin Gadkari
instagram.com

તહસીને પેટ્રોલિયમ મંત્રી અને માર્ગ પરિવહન મંત્રીને ખુલ્લો પડકાર આપ્યો છે, પરંતુ તેમની શરત એ છે કે ચર્ચા ફક્ત મીડિયાની સામે જ થશે. બીજા એક વીડિયોમાં, તેમણે જણાવ્યું હતું કે, તેઓ નીતિન ગડકરીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવાના હતા, પરંતુ તેમણે દાવો કર્યો છે કે પોલીસે તેમને આમ કરતા અટકાવ્યા હતા.

Tehseen Poonawalla-Nitin Gadkari
news24online.com

આ સમગ્ર વિવાદ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ઉમેરવાનો છે. ઇથેનોલ શેરડી અથવા અનાજમાંથી બનાવવામાં આવે છે. સરકાર ઇચ્છે છે કે દેશના તમામ વાહનો ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરે, જેને E20 તરીકે ઓળખવામાં આવે છે. લોકોનો દાવો છે કે આ ઇંધણ માત્ર માઇલેજ જ ઘટાડતું નથી, પરંતુ વાહનોના મેન્ટેનસમાં પણ વધારો કરે છે. કેન્દ્ર સરકારે આ દાવાઓને ફગાવી દીધા છે, અને નિષ્ણાતોનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, E20 તેમના E10 વાહનો માટે પણ યોગ્ય છે, આ દાવાને ટીકાકારો સ્વીકારવા તૈયાર નથી.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.