મોરબી બ્રિજ અકસ્માતના આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો શું થયું

ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતના આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મોરબી બ્રિજ તૂટી પડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન પર રહેલા આરોપીઓને આપવામાં આવેલા જામીન રદ કરવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો છે. ગત ઓક્ટોબર માસના અંતમાં મોરબી જીલ્લાની મચ્છુ નદી પર બનેલો ઐતિહાસિક પુલ અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. આ પછી પોલીસે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરી હતી અને ચાર્ટશીટ દાખલ કરી હતી. આ પૈકીના કેટલાક આરોપીઓને હાઈકોર્ટે અલગ અલગ આધાર પર જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આમાં ટિકિટ વેચનારા આરોપીઓના જામીન રદ કરવાનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ D.Y.ચંદ્રચુડ, જસ્ટિસ J.B.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન મોરબીના વકીલની દલીલ સાથે સહમત થઈ ન હતી કે હાઈકોર્ટે આરોપીઓને ખોટી રીતે જામીન આપ્યા હતા. 9મી જૂને CJIએ આરોપી મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયાને હાઈકોર્ટે આપેલા જામીન રદ કરવાની અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, તે માત્ર ટિકિટો વેચતો હતો. મોરબી બ્રિજનો કોન્ટ્રાક્ટ લેનાર કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલને હજુ જામીન મળ્યા નથી. તે મોરબી સબ જેલમાં બંધ છે. તો બીજી તરફ આ કેસની સુનાવણી હવે મોરબી કોર્ટમાં શરૂ થઈ છે. તાજેતરમાં પીડિતોની માંગણી અને આક્ષેપો બાદ સરકારી વકીલે કેસ છોડી દીધો હતો.

સોમવારે તેના આદેશમાં, બેન્ચે કહ્યું, 'અમે બંધારણની કલમ 136 હેઠળ વિશેષ રજા અરજીઓ પર ધ્યાન આપવા માટે વલણ ધરાવતા નથી. તદનુસાર, વિશેષ રજાની અરજીઓ ફગાવી દેવામાં આવે છે.' ગુજરાત હાઈકોર્ટે એ હકીકતની નોંધ લીધી કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પહેલા જ દાખલ થઈ ચૂકી છે. હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું, 'ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગશે, તેથી અરજદારની ન્યાયિક કસ્ટડીમાં હાજરી જરૂરી નથી, અરજદાર પણ કંપની દ્વારા નિયુક્ત ટિકિટ વહેંચનાર વ્યક્તિ હતો અને તેથી, હું માનું છું કે, તે વિવેકબુદ્ધિથી કરેલો પ્રયોગ હતો તથા અરજદારને નિયમિત જામીન પર મુક્ત કરવાનો એક યોગ્ય નિર્ણય છે.'

ગુજરાત હાઈકોર્ટે પુલ તૂટી પડવાના કેસમાં કેટલાક આરોપીઓને જામીન આપ્યા હતા, ત્યારે કોર્ટે એ હકીકતની નોંધ લીધી હતી કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પહેલા જ દાખલ થઈ ચૂકી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગશે, તેથી જ્યુડિશિયલ કસ્ટડીમાં અરજદારની હાજરી જરૂરી નથી. ગત વર્ષે 21 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મોરબી બ્રિજ ધરાશાયી થવાની ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી હતી, જેમાં 141 લોકો માર્યા ગયા હતા અને ગુજરાત હાઈકોર્ટને સમયાંતરે તપાસ અને પુનર્વસન સહિતના અન્ય પાસાઓ પર નજર રાખવા જણાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.