પોતાના જેઠ સાથે ભાગી ગઈ 2 બાળકોની માતા, દાગીનાની સાથે અનાજ પણ લઈ ગઈ

મુંગેરમાં 2 બાળકોની માતા પોતાના જેઠ સાથે ભાગી ગઈ છે. તેનો જેઠ પણ 4 બાળકોનો પિતા છે અને મહિલાનો પતિ હવે પોલીસ સ્ટેશન પહોચ્યો છે કે તેની પત્નીને પાછી લાવવામાં આવે.

આ મામલો અસરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મકવા ગામનો છે. મહિલાનું નામ નર્મદા દેવી છે. તેણી તેની પડોશમાં રહેતા તેના જેઠ કૈલાશ સાહ સાથે ભાગી ગઈ હતી. તે તેના બે બાળકોને પણ સાથે લઈ ગઈ છે. પીડિતાના પતિ ત્રિપુરારી સાહે અસરગંજ પોલીસ સ્ટેશનમાં તેની પત્નીને ભગાડીને લઈ જવા પર અરજી આપી છે.

ત્રિપુરારી શાહના લગ્ન બેગુસરાય જિલ્લાના રઘુનાથપુરના રહેવાસી શિકારી શાહની પુત્રી નર્મદા સાથે વર્ષ 2007માં થયા હતા. તે હાલમાં મુંબઈમાં રહીને કામ કરે છે.

નર્મદા દેવીના પતિ ત્રિપુરારી સાહ મુંબઈમાં રહીને મજૂરી કામ કરે છે અને મુંગેરમાં તેમના ઘરે પૈસા મોકલતા હતા. જેના કારણે તેની પત્ની અને બાળકોનું ગુજરાન ચાલતું હતું. આ દરમિયાન પત્ની નર્મદાની પડોશમાં રહેતા સંબંધમાં જેઠ ચાર બાળકોનાં પિતા કૈલાશ સાહ સાથે તેની નજારો ચાર થઈ ગઈ હતી. ધીરે ધીરે બંને નો પ્રેમ વધવા લાગ્યો. બંને કલાકો સુધી ફોન પર વાત કરવા લાગ્યા.

જ્યારે ત્રિપુરારી સાહને આ વાતની જાણ થઈ ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેઠ અને ભાભી વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ બન્યો કે ચાર દિવસ પહેલા 22 જાન્યુઆરીએ બંને ભાગી ગયા.

નર્મદા બંને બાળકોને સાથે લઈ ગઈ. માહિતી મળ્યા બાદ જ્યારે ત્રિપુરારી ઘરે પહોંચ્યો તો આખું ઘર ખાલીખમ પડેલું હતું. લગ્નમાં મળેલા ઘરેણા પણ ગાયબ હતા. જે બાદ પીડિતના પતિ દ્વારા શુક્રવારે અસરગંજ પોલીસ સ્ટેશનમાં પત્નીને ભગાડવાના આરોપમાં કૈલાશ સાહ સહિત ચાર સામે લેખિત અરજી આપી. પતિ ત્રિપુરારીએ જણાવ્યું કે લગભગ 3 વર્ષથી મારી પત્ની બાજુમાં રહેતા કૈલાશ શાહ સાથે ફોન પર વાત કરતી હતી, જેના વિશે ઘરમાં સતત બોલાચાલી થતી હતી.

પતિ ત્રિપુરારી સાહે કહ્યું છે કે તે કૈલાશ શાહ સાથે ઘરમાં રાખેલા તમામ દાગીના અને પૈસા પોતાની સાથે લઈને ભાગી ગઈ છે. બંનેએ ઘરમાં રાખેલા ચોખા, દાળ, ઘઉં અને કપડા પણ છોડ્યા નથી. પતિએ જણાવ્યું કે તે મુંબઈમાં મજૂરીનું કામ કરે છે, તેને 23 જાન્યુઆરીએ ખબર પડી કે તેની પત્ની કૈલાશ સાહ સાથે ભાગી ગઈ છે. 

આ બાબતે અગાઉ પણ બુદ્ધિજીવી અને જનપ્રતિનિધિઓ દ્વારા પંચાયતી કરવામાં આવી હતી. અહીં અરજી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્ટેશન હેડ કૌશલેન્દ્રએ જણાવ્યું કે પીડિતા દ્વારા અરજી મળી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.