14 વર્ષ સુધીની છોકરીઓ માટે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય

મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે આરોગ્યના મોરચે એક મોટું પગલું ઉઠાવતા 0-14 વર્ષની છોકરીઓને મફતમાં કેન્સરની વેક્સીન આપવાની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રકાશ આબિટકરે શનિવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, બદલાતી જીવનશૈલીને કારણે કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, અને હવે આ બીમારી દરેક ઉંમરના લોકોને પોતાની ઝપેટમાં લઇ રહી છે.

આબિટકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ ગંભીર સમસ્યાને નિપટવા માટે મફત કેન્સર વેક્સીનેશન પ્રોગ્રામ લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ, અબિટકરે જણાવ્યું હતું કે, અમે નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી અજીત પવારને 0-14 વર્ષની વયની છોકરીઓને મફત કેન્સરની વેક્સીન આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે તેને મંજૂરી આપી દીધી છે અને જલદી જ સરકાર તેનો લાગૂ કરશે.

Cancer-Vaccine1

કહેવામાં આવી રહ્યું છે કે, કેન્સરના કેસોમાં વધારો થવા માટે માત્ર ધૂમ્રપાન અથવા અન્ય નશાની લત જ જવાબદાર નથી, પરંતુ ખાન-પાન અને બદલાતી જીવનશૈલી પણ મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને બાળકોમાં કેન્સરના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ યોજના મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ દરમિયાન, રાજ્ય સરકારે પણ વિદર્ભમાં બર્ડ ફ્લૂના જોખમને લઈને કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. ત્યાં કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા (બર્ડ ફ્લૂ)ની પુષ્ટિ થઈ છે, જો કે માનુષ્યોમાં તેના સંક્રમણની કોઈ પુષ્ટિ થઈ નથી. અબિટકરે જણાવ્યું કે, શંકાસ્પદ દર્દીના સેમ્પલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સાવધાનીના ભાગ રૂપે, અમે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચિકનની દુકાનો અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે, જેથી સંક્રમણને ફેલાતું રોકી શકાય.

Cancer-Vaccine

આ અગાઉ, પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS)ના કેસ નોંધાયા બાદ, નાયબ મુખ્યમંત્રી અજીત પવારે લોકોને ઓછું રાંધેલું ચિકન ખાવાનું ટાળવાની અપીલ કરી હતી. જોકે આ બીમારી અને ચિકન વચ્ચે કોઈ સ્પષ્ટ સંબંધની પુષ્ટિ થઈ નથી, પરંતુ સરકારે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

About The Author

Related Posts

Top News

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.