ભાજપના કેન્દ્રીય મંત્રીએ મંદિરના Exit ગેટમાંથી એન્ટ્રી લીધી, રોક્યા તો બબાલ

મંદિરમાં પ્રવેશવા માટે ભાજપના મંત્રીની દાદાગીરી સામે આવી છે. બહાર જવાના માર્ગેથી મંત્રીએ મંદિરમાં પ્રવેશ મેળવ્યો અને તેના માટે બબાલ થઇ હતી.

મથુરાના વૃંદાવનમાં 7 ઓક્ટોબર,શનિવારે ભાજપના કેન્દ્રીય રાજ્ય મંત્રી બીએલ વર્મા બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. મંત્રી એન્ટ્રી ગેટને બદલે EXIT ગેટમાંથી જવા માંગતા હતા, પરંતુ સુરક્ષા ગાર્ડે તેમને રોક્યા હતા. મંત્રીની સાથે ભાજપના કાર્યકરો પણ હતા. ગાર્ડે મંત્રીને રોક્યા તો બબાલ થઇ ગઇ અને ગાર્ડ સાથે મારપીટની ઘટના બની. આ દરમિયાન પોલીસ પણ હાજર હતી, પરંતુ પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી. ઘટનાના CCTV ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

જાણવા મળેલી માહિતી મુજબ કેન્દ્રીય રાજ્ય મંત્રી બી એલ વર્મા તેમની સાથે કેટલાંક કાર્યકરો અને સ્થાનિક ભાજપ નેતા સાથે બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ મંદિરના EXIT ગેટ નંબર-1 પરથી મંદિરમાં જવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગેટ પર ઉભેલા સુરક્ષા કર્મી નીરજ ઠાકુરે તેમને અટકાવી દીધા હતા અને મંદિરના ગેટ નંબર 2 પરથી પ્રવેશ કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ મંત્રી અને કાર્યકરોએ તો EXIT ગેટમાંથી જ એન્ટ્રી લેવાની જ જીદ પકડી હતી.

મંત્રી અને તેમના કાર્યકરો મંદિરના EXIT ગેટ પરથી જવાની જીદ કરતા હતા અને સુરક્ષા કર્મી ના પાડતો હતો, એમાં ધક્કામુકકી થઇ ગઇ અને સુરક્ષા કર્મી સાથે મારપીટ પણ થઇ હોવાનું જાણવા મળ્યુ છે. છેલ્લે મંત્રી અને તેમના કાર્યકરોએ EXIT ગેટમાંથ જ પ્રવેશ મેળવ્યો, પરંતુ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

સુરક્ષા ગાર્ડ પ્રભારી નીરજ ઠાકુરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, ગયા વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં 2 શ્રધ્ધાળુઓના મોત થયા હતા એ પછી મંદિરમાં પ્રવેશ દ્રાર અને EXT દરવાજા નિર્ધારિત કરી દેવામાં આવ્યા છે.મંદિરમાં પ્રવેશ કરવા માટે ગેટ નંબર 2 અને 3નો ઉપયોગ થાય છે, જ્યારે બહાર જવા માટે ગેટ નંબર1નો ઉપયોગ કરવામાં આવે છે.બધાને ગેટ નંબર 2 અને 3માંથી જ પ્રવેશ આપવામાં આવે છે એટલે મંત્રીને રોકવામાં આવ્યા હતા. પરંતુ તેઓ માન્યા નહીં અને જબરદસ્તીથી ગેટ નં1 પરથી જ મંદિરમા પ્રવેશ્યા હતા.

બી.એલ. વર્મા ભાજપના નેતા છે અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલયમાં વર્તમાન રાજ્ય મંત્રી અને ભારત સરકારના સહકાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી છે. વર્મા ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લાના ઉઝાનીના છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.