‘તે મારું નાક કપાવી નાખ્યું...’, દીકરી પ્રેમી સાથે સાસરિયાના ઘરેથી ભાગી ગઈ, પિતાએ કાસળ કાઢી નાખ્યું; માતાએ...

મધ્ય પ્રદેશના ભિંડમાં, એક પિતાએ સામાજિક કલંકને કારણે ગોળી મારીને તેની દીકરીનો જીવ લઈ લીધો. તેની 19 વર્ષની દીકરી તે જ ગામના એક છોકરા સાથે પ્રેમમાં હતી, જે નિર્ણય પિતાને મંજૂર નહોતો. પિતાએ થોડા સમય પહેલા તેના લગ્ન કરાવી દીધા હતા, પરંતુ તે તેના પતિને છોડીને ભાગી ગઈ હતી. આ જ વાત પિતાને પસંદ ન આવી અને, તેણે પોતાની નવપરિણીત દીકરીને ગામના ખેતરમાં લઈ જઈને ગોળી મારી દીધી.

Police2
gnttv.com

આ આખી ઘટના ભિંડના મેહગાંવ વિસ્તારના ખીરિયા થાપક ગામમાં બની હતી. ગામના રહેવાસી મુન્નેશની દીકરી નિધિનું ગામના જ સંબંધીના કાકા સાથે અફેર ચાલી રહ્યું હતું. મુન્નેશે પોતાની દીકરીના 11 ડિસેમ્બરે લગ્ન ગ્વાલિયરના દેવુ ધાનુક સાથે કરાવ્યા હતા. જોકે, 28 ડિસેમ્બરે નિધિ તેના પતિ સાથે બજારમાં ગઈ અને ગાયબ થઈ ગઈ.

નિધિના માતા-પિતા અને સાસરિયાઓએ તેને શોધવાનું શરૂ કર્યું. કોઈક રીતે, પિતાને નિધિ મળી ગઈ. પછી તે તેને ગામમાં પાછો લઈ આવ્યો, અહી સામાજિક પ્રતિષ્ઠા અને જાહેર શરમના ચક્કરમાં તે જલ્લાદ બની ગયો. તેનું કહેવું છે કે તેની પુત્રીએ સમાજમાં તેનું નાક કપાવી નાખ્યું છે.

Police1
ndtv.com

ત્યારબાદ ગયા મંગળવારે, મુન્નેશ નિધિને ગામની બહાર એક ખેતરમાં લઈ ગયો અને તેને ગોળી મારીને કાસળ કાઢી નાખ્યું. હેરાનીની વાત એ છે કે, મુન્નેશની પત્નીએ જ પોલીસને આ આખા ઘટનાક્રમની જાણકારી આપી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, નિધિનો મૃતદેહ કબજે કર્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

આ કેસમાં, SDOP રવિન્દ્ર વાસ્કલેએ જણાવ્યું હતું કે પિતાએ તેની પુત્રીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પ્રથમ દૃષ્ટિએ, આ કેસ પ્રેમ પ્રકરણનો લાગે છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર...
National 
આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2026ના રોજ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (...
Education 
IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

જે હોસ્પિટલોનું કામ જીવ બચાવવાનું છે, તે હોસ્પિટલો પોતે જ એટલી બેહાલ થઈ ગઈ છે કે માનવતા દરરોજ તેમના...
National 
સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોએ ગૃહના...
National 
રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.