10000થી વધુની UPI ચુકવણી પર મળશે કલાકનો ગોલ્ડન 'બ્રેક', ગ્રાહકોને કંઈ રીતે થશે ફાયદો?

RBIએ સાયબર છેતરપિંડી અટકાવવા માટે UPI ચુકવણીઓ પર એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રૂ. 10000થી વધુના P2P વ્યવહારોમાં 1 કલાકનો વિલંબ થશે, જેનાથી વપરાશકર્તાઓને વ્યવહારની સમીક્ષા અને રદ કરવાની તક મળશે. QR ચુકવણીઓ અને ઓટો-ડેબિટ પર તેની અસર થશે નહીં.

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), જે ભારતની ડિજિટલ ક્રાંતિનો ચહેરો બની ગયું છે, તેમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓને રોકવા માટે ચોક્કસ કિસ્સાઓમાં UPI વ્યવહારની ગતિ 'ધીમી' કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

83

RBIના નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ વ્યક્તિ રૂ. 10,000થી વધુની રકમ બીજા વ્યક્તિને મોકલે છે, તો પૈસા તરત જ પ્રાપ્તકર્તાના ખાતામાં જમા થશે નહીં. તેના બદલે, ગ્રાહકને એક કલાકનો સમય મળશે, જેને RBI 'ગોલ્ડન અવર' કહી રહી છે. આ સમયમર્યાદામાં, જો ગ્રાહક માને છે કે તેમણે ભૂલથી બીજાને મોકલ્યા છે અથવા કોઈએ તેની પાસેથી છેતરપિંડીથી પૈસા પડાવ્યા છે, તો તેઓ વ્યવહારને રદ્દ કરી શકે છે.

APP છેતરપિંડી: અધિકૃત પુશ પેમેન્ટ્સ (APP) દ્વારા, ગુનેગારો બેંક અધિકારીઓ અથવા પરિચિતો તરીકે પોતાને રજૂ કરે છે, જે લોકોને તરત જ પૈસા મોકલવા માટે દબાણ કરે છે, જેના કારણે  છેતરપિંડીમાં વધારો થાય છે.

સાયબર ક્રાઇમ: હાલના દિવસોમાં, 'ડિજિટલ ધરપકડ' અને રોકાણોની આડમાં છેતરપિંડીમાં ખુબ મોટો વધારો થયો છે.

85

તાત્કાલિક જરૂરિયાતનો દુરુપયોગ: UPIની રીઅલ-ટાઇમ સુવિધાને કારણે, પૈસા તાત્કાલિક ટ્રાન્સફર થાય છે, જેનાથી તે પુનઃપ્રાપ્ત કરવું લગભગ અશક્ય બની જાય છે.

RBIએ સ્પષ્ટતા કરી છે કે, આ નિયમ ફક્ત વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) વ્યવહારો પર લાગુ કરવાનો છે. સ્ટોર્સ પર QR કોડ સ્કેન કરીને અથવા શાળા અને કોલેજ ફી જમા કરીને કરવામાં આવતી ચુકવણીઓ પર તેની કોઈ અસર થશે નહીં, કારણ કે તેમાં છેતરપિંડી થવાની સંભાવના ઓછી હોય છે.

અહેવાલો અનુસાર, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) UPI એપ્સમાં એક નવો વિકલ્પ ઉમેરી શકે છે. આ ટ્રાન્સફર પછી ટાઈમર ટ્રિગર કરશે, જેને 'સિક્યોરિટી કૂલિંગ પીરિયડ' કહેવાય છે. આ ઉપરાંત, શંકાસ્પદ વ્યવહારોના કિસ્સામાં બેંકો ગ્રાહકો પાસે કન્ફર્મેશન માંગી શકે છે.

86

RBIએ સલાહ આપી છે કે, જો વર્તમાન સિસ્ટમ હેઠળ ખોટા ID પર પૈસા ટ્રાન્સફર થાય છે, તો તાત્કાલિક તમારી બેંકને જાણ કરો. ટ્રાન્ઝેક્શન ID, સમય, તારીખ અને સ્ક્રીનશોટ સાથે અરજી સબમિટ કર્યા પછી, બેંક પ્રાપ્તકર્તાની બેંકનો સંપર્ક કરી શકે છે અને રિફંડ પ્રક્રિયા શરૂ કરી શકે છે.

રિઝર્વ બેંક માને છે કે આ વિલંબ કોઈ ટેકનિકલ ખામી નથી, પરંતુ 'વર્તણૂકીય સલામતી' છે જે સામાન્ય માણસના મહેનતથી કમાયેલા પૈસાને સુરક્ષિત રાખવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.