પિતા સવારે દીકરીને વિદાય આપવા ગયા, સાંજે સાસરેથી લાશ લાવ્યા; મા-ભાઈનું આક્રંદ

ઉન્નાવ જિલ્લાના સિવિલ લાઇન મોહલ્લામાં રહેતી એક પરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સાસરિયાઓ પર હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદ પર FIR નોંધી છે. પોલીસે જણાવ્યું કે, તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કોતવાલી વિસ્તારના રામદેઈ ખેડાના રહેવાસી મૃતકના પિતા ઉદયભાન અવસ્થીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે 11 વાગ્યે અમે દીકરીને લેવા આવ્યા હતા. પરંતુ સાસરીયાઓએ મોકલી ન હતી. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે ફોન કર્યો કે, તમારી દીકરીએ ઝેર પી લીધું છે. અમે ફરી વખત આવ્યા ત્યારે ઘરનો  દરવાજો બંધ હતો. પછી, જેમ તેમ કરીને દરવાજો ખોલીને, હું અને મારા દીકરાએ અમારી દીકરીને લઈને હોસ્પિટલમાં ભરતી કરાવવા માટે દોડી ગયા હતા.

મહિલાના પરિવારનો આરોપ છે કે, સાસરિયાઓ દીકરીને સારવાર માટે પણ લઈ ગયા ન હતા. પિયરિયાઓ તેને બેભાન અવસ્થામાં કબાખેડાના ખાનગી નર્સિંગ હોમમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પુત્રીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. રડી રડીને તેઓની હાલત ખરાબ છે.

બીજી તરફ સદર કોતવાલી પોલીસને પરિણીતાના ઝેરથી મોતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારજનો પાસેથી ઘટના અંગે માહિતી મેળવી હતી. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મૃતકના પિતાનો આરોપ છે કે, જમાઈ અને સાસુ તેમની દીકરીને નોકરાણીની જેમ રાખતા હતા. તેને તેના પિયરના ઘરે પણ મોકલવામાં આવતી ન હતી. આ પહેલા એકવાર અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું હતું, તે પછી તેને ઝેર આપીને મારી નાખવામાં આવી. જમાઈએ ઝેર ખવડાવ્યું હતું. ઘટનાના એક દિવસ પહેલા પુત્રીને માર મારવામાં આવ્યો હતો. અમે FIR નોંધાવી છે. જ્યારે, પોસ્ટમોર્ટમ પછી, તેઓ દીકરીના મૃતદેહને લઈને ઘરે પહોંચ્યા છે.

ઘટનાની માહિતી મળતા ઉન્નાવના CO સીટી આશુતોષ કુમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. COએ આ બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ઉન્નાવ સદર કોતવાલી પોલીસે મૃતકના પિતાની  અરજી પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

CO સિટીએ કહ્યું કે, મૃતકના પિતાની અરજી પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને અન્ય તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.