પિતા સવારે દીકરીને વિદાય આપવા ગયા, સાંજે સાસરેથી લાશ લાવ્યા; મા-ભાઈનું આક્રંદ

ઉન્નાવ જિલ્લાના સિવિલ લાઇન મોહલ્લામાં રહેતી એક પરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સાસરિયાઓ પર હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદ પર FIR નોંધી છે. પોલીસે જણાવ્યું કે, તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કોતવાલી વિસ્તારના રામદેઈ ખેડાના રહેવાસી મૃતકના પિતા ઉદયભાન અવસ્થીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે 11 વાગ્યે અમે દીકરીને લેવા આવ્યા હતા. પરંતુ સાસરીયાઓએ મોકલી ન હતી. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે ફોન કર્યો કે, તમારી દીકરીએ ઝેર પી લીધું છે. અમે ફરી વખત આવ્યા ત્યારે ઘરનો  દરવાજો બંધ હતો. પછી, જેમ તેમ કરીને દરવાજો ખોલીને, હું અને મારા દીકરાએ અમારી દીકરીને લઈને હોસ્પિટલમાં ભરતી કરાવવા માટે દોડી ગયા હતા.

મહિલાના પરિવારનો આરોપ છે કે, સાસરિયાઓ દીકરીને સારવાર માટે પણ લઈ ગયા ન હતા. પિયરિયાઓ તેને બેભાન અવસ્થામાં કબાખેડાના ખાનગી નર્સિંગ હોમમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પુત્રીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. રડી રડીને તેઓની હાલત ખરાબ છે.

બીજી તરફ સદર કોતવાલી પોલીસને પરિણીતાના ઝેરથી મોતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારજનો પાસેથી ઘટના અંગે માહિતી મેળવી હતી. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મૃતકના પિતાનો આરોપ છે કે, જમાઈ અને સાસુ તેમની દીકરીને નોકરાણીની જેમ રાખતા હતા. તેને તેના પિયરના ઘરે પણ મોકલવામાં આવતી ન હતી. આ પહેલા એકવાર અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું હતું, તે પછી તેને ઝેર આપીને મારી નાખવામાં આવી. જમાઈએ ઝેર ખવડાવ્યું હતું. ઘટનાના એક દિવસ પહેલા પુત્રીને માર મારવામાં આવ્યો હતો. અમે FIR નોંધાવી છે. જ્યારે, પોસ્ટમોર્ટમ પછી, તેઓ દીકરીના મૃતદેહને લઈને ઘરે પહોંચ્યા છે.

ઘટનાની માહિતી મળતા ઉન્નાવના CO સીટી આશુતોષ કુમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. COએ આ બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ઉન્નાવ સદર કોતવાલી પોલીસે મૃતકના પિતાની  અરજી પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

CO સિટીએ કહ્યું કે, મૃતકના પિતાની અરજી પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને અન્ય તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.