લગ્નના આમંત્રણમાં આવેલા ફ્રેન્ચ યુગલને હિન્દુ પરંપરા એટલી ગમી કે ફરી લગ્ન કર્યા

જોધપુરમાં ફરવા આવેલા અને ફ્રાન્સમાં રહેતા એક યુગલે હિંદુ રીતિ રિવાજથી પ્રભાવિત થઈને ફરી લગ્ન કર્યા. આ માટે લગ્નના તમામ રીતિ રિવાજોનું પાલન કરવામાં આવ્યું હતું. દંપતીએ અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા પણ લીધા હતા. પંડિતે વૈદિક મંત્રો સાથે પાણીગ્રહણ વિધિ પણ કરાવી હતી. કન્યાદાન ટુરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહ અને તેમના પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું.

હકીકતમાં ફ્રાન્સમાં રહેતા એરિક અને ગેબ્રિયલ રાજસ્થાની ટૂરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહના સંપર્કમાં છે. દંપતીની ઉંમર 60 વર્ષની આસપાસ છે અને તેમને બાળકો પણ છે. આ કપલ ત્રણ વખત ભારતની મુલાકાતે આવી ચૂક્યું છે. કાશી વિશ્વનાથ અને અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લીધા પછી હિંદુ પરંપરાઓ વિશે તેમની જિજ્ઞાસા વધી.

દરમિયાન, ટુરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહે ફ્રેન્ચ દંપતીને તેમના સાળાના લગ્ન સમારોહમાં આમંત્રણ આપ્યું. પરંતુ લગ્ન 2 દિવસ પછી છે. આ પહેલા એરિક જોધપુર પહોંચ્યો હતો અને તેણે ફરીથી પોતાના લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી જ તેમના લગ્ન રાજપૂત સમાજની પરંપરાગત વિધિ મુજબ કરવામાં આવ્યા હતા. વિદેશી યુગલના લગ્નમાં ટુરિસ્ટ ગાઈડના પરિવારજનો જ ઘરવાળા અને જાનૈયાઓ બન્યા હતા.

શહેરની એક રેસ્ટોરન્ટમાં ફ્રેન્ચ યુગલના લગ્ન સમારોહ યોજાયા હતા. ફ્રાંસનો વર, એરિક, રાજશાહી અચકન અને માથા પર સાફો પહેરીને, ઘોડી પર સવાર થઈને કન્યાના દરવાજે પહોંચ્યો. પછી તો વરમાળાની વિધિ પણ થઈ હતી. ત્યાર બાદ પંડિત રાજેશ દવેએ વૈદિક મંત્રોચ્ચાર કરીને લગ્ન પણ કરાવ્યા હતા. આ તમામ ધાર્મિક વિધિઓની માહિતી પરણનાર ફ્રેન્ચ કપલને પણ આપવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, રાજપૂત સમાજમાં દુલ્હન ઘૂંઘટમાં રહે છે તેથી ફ્રાન્સથી આવેલી એરિકની દુલ્હનને પણ ઘૂંઘટમાં રાખવામાં આવી હતી. મંડપમાં બેસીને તેઓને હિંદુ રીતિ-રિવાજોથી સાત ફેરા પણ ફેરવવામાં આવ્યા હતા. સાથે જ આ દરમિયાન રાજપૂત મહિલાઓએ પણ મંગળ ગીતો પણ ગાયા હતા.

ફ્રેન્ચ એરિકે કહ્યું, હું ભારતીય પરંપરાઓથી ખૂબ પ્રભાવિત છું. જ્યારે મારા મિત્ર ભુજપાલ સિંહ (ટૂરિસ્ટ ગાઈડ)એ મને લગ્નમાં આમંત્રણ આપ્યું, ત્યારે મેં વિચાર્યું કે શા માટે ભારતીય પરંપરા મુજબ ગેબ્રિયલ સાથે લગ્ન ન કરીએ. જેથી અમારા બંનેનો પ્રેમ સાત જન્મો સુધી જળવાઈ રહે, એટલા માટે અમે હિંદુ રીતિ-રિવાજ મુજબ ફરી લગ્ન કર્યા છે.

About The Author

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.