લગ્નના આમંત્રણમાં આવેલા ફ્રેન્ચ યુગલને હિન્દુ પરંપરા એટલી ગમી કે ફરી લગ્ન કર્યા

જોધપુરમાં ફરવા આવેલા અને ફ્રાન્સમાં રહેતા એક યુગલે હિંદુ રીતિ રિવાજથી પ્રભાવિત થઈને ફરી લગ્ન કર્યા. આ માટે લગ્નના તમામ રીતિ રિવાજોનું પાલન કરવામાં આવ્યું હતું. દંપતીએ અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા પણ લીધા હતા. પંડિતે વૈદિક મંત્રો સાથે પાણીગ્રહણ વિધિ પણ કરાવી હતી. કન્યાદાન ટુરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહ અને તેમના પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું.

હકીકતમાં ફ્રાન્સમાં રહેતા એરિક અને ગેબ્રિયલ રાજસ્થાની ટૂરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહના સંપર્કમાં છે. દંપતીની ઉંમર 60 વર્ષની આસપાસ છે અને તેમને બાળકો પણ છે. આ કપલ ત્રણ વખત ભારતની મુલાકાતે આવી ચૂક્યું છે. કાશી વિશ્વનાથ અને અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લીધા પછી હિંદુ પરંપરાઓ વિશે તેમની જિજ્ઞાસા વધી.

દરમિયાન, ટુરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહે ફ્રેન્ચ દંપતીને તેમના સાળાના લગ્ન સમારોહમાં આમંત્રણ આપ્યું. પરંતુ લગ્ન 2 દિવસ પછી છે. આ પહેલા એરિક જોધપુર પહોંચ્યો હતો અને તેણે ફરીથી પોતાના લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી જ તેમના લગ્ન રાજપૂત સમાજની પરંપરાગત વિધિ મુજબ કરવામાં આવ્યા હતા. વિદેશી યુગલના લગ્નમાં ટુરિસ્ટ ગાઈડના પરિવારજનો જ ઘરવાળા અને જાનૈયાઓ બન્યા હતા.

શહેરની એક રેસ્ટોરન્ટમાં ફ્રેન્ચ યુગલના લગ્ન સમારોહ યોજાયા હતા. ફ્રાંસનો વર, એરિક, રાજશાહી અચકન અને માથા પર સાફો પહેરીને, ઘોડી પર સવાર થઈને કન્યાના દરવાજે પહોંચ્યો. પછી તો વરમાળાની વિધિ પણ થઈ હતી. ત્યાર બાદ પંડિત રાજેશ દવેએ વૈદિક મંત્રોચ્ચાર કરીને લગ્ન પણ કરાવ્યા હતા. આ તમામ ધાર્મિક વિધિઓની માહિતી પરણનાર ફ્રેન્ચ કપલને પણ આપવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, રાજપૂત સમાજમાં દુલ્હન ઘૂંઘટમાં રહે છે તેથી ફ્રાન્સથી આવેલી એરિકની દુલ્હનને પણ ઘૂંઘટમાં રાખવામાં આવી હતી. મંડપમાં બેસીને તેઓને હિંદુ રીતિ-રિવાજોથી સાત ફેરા પણ ફેરવવામાં આવ્યા હતા. સાથે જ આ દરમિયાન રાજપૂત મહિલાઓએ પણ મંગળ ગીતો પણ ગાયા હતા.

ફ્રેન્ચ એરિકે કહ્યું, હું ભારતીય પરંપરાઓથી ખૂબ પ્રભાવિત છું. જ્યારે મારા મિત્ર ભુજપાલ સિંહ (ટૂરિસ્ટ ગાઈડ)એ મને લગ્નમાં આમંત્રણ આપ્યું, ત્યારે મેં વિચાર્યું કે શા માટે ભારતીય પરંપરા મુજબ ગેબ્રિયલ સાથે લગ્ન ન કરીએ. જેથી અમારા બંનેનો પ્રેમ સાત જન્મો સુધી જળવાઈ રહે, એટલા માટે અમે હિંદુ રીતિ-રિવાજ મુજબ ફરી લગ્ન કર્યા છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.