વરરાજો ત્રીજા લગ્ન કરવા પહોંચ્યો, પહેલી પત્નીએ પોલ ખોલી નાખી, મરઘો બનાવ્યો

ઉત્તર પ્રદેશમાં એક વરરાજા વાજતે ગાજતે ત્રીજા લગ્ન કરવા પહોંચ્યો હતો, પરંતુ પહેલી પત્નીએ આવીને પોલ ખોલી નાંખી હતી અને દુલ્હાના ત્રીજા લગ્નના અરમાનો પર પાણી ફેરવી દીધું હતું. વરરાજાને ન તો દુલ્હન મળી કે ન તો દહેજ. ત્રીજા લગ્ન કરવા આવ્યો છે એવી સંબંધીઓને જાણ થતા તેને સજા આપવામાં આવી હતી.ઘટના સ્થળે પહોંચેલી પોલીસે 3ની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. ખુશીનો પ્રસંગ પળવારમાં નિરાશામાં ફેરવાઇ ગયો હતો. યુવતી રડી રડીને અડધી થઇ ગઇ હતી, પરંતુ સ્વજનોએ સમજાવી હતી કે ખોટા માણસ સાથે ભેરવાતા તો બચી ગઇ છે ને.

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર જનપદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ત્રીજા લગ્ન કરવા પહોંચેલા એક દુલ્હાની ભીડ પિટાઇ કરતી અને તેને મરઘો બનાવતી જોવા મળી રહી છે.

આ ઘટના પરાસૌલી ગામની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 10 સપ્ટેમ્બરે શામલી ગામનો જહાંગીર નામનો એક વ્યકિત વરરાજા બનીને વરઘોડો લઇને આવ્યો હતો. આ દરમિયાન જહાંગીરની પત્ની લગ્ન સ્થળે આવી પહોંચી હતી અને હંગામો કરી દીધો હતો. આ વાતની જાણ થતા દુલ્હન પક્ષના લોકોએ વરરાજા અને બારાતીઓને બંધક બનાવી દીધા હતા.  યુવતીના પરિવારજનોએ વરરાજાની પિટાઇ કરી હતી અને તેને મરઘો બનાવી દીધો હતો.

દુલ્હનના ભાઇ વારિશે કહ્યું હતુ કે અમને એ વાતની જાણ નહોતી કે દુલ્હાના પહેલાં બે લગ્ન થઇ ચૂક્યા છે.  એની પહેલીએ જયારે પોલ ખોલી ત્યારે અમને ખબર પડી. પોલીસે 3 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. વારિસે કહ્યુ કે જહાંગીર મારી બહેનને અંધારમાં રાખીને લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેના અરમાનો પર પાણી ફરી વળ્યું છે.

પોલીસે કહ્યું હતું કે 10 સપ્ટેમ્બરે એક યુવક લગ્ન કરવા માટે પહોંચ્યો હતો ત્યારે વાદ વિવાદ ઉભો થયો હતો. આ લગ્ન પ્રસંગમાં મારપીટની ઘટના પણ બની હતી. પોલીસે 3 લોકોની શાંતિભંગના આરોપમાં ધરપકડ કરીને 14 દિવસના રિમાન્ડ પર જેલ મોકલી દીધા હતી. પોલીસે કહ્યું કે ઘટના સ્થળે અત્યારે શાંતિ  પ્રવર્તી રહી છે, જો કોઇ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.