છૂટાછેડાથી આ યુવક એટલો ખુશ થઇ ગયો કે પરિવાર અને મિત્રો સાથે માનતા પૂરી કરવા 9 કિમી દંડવત કરતો માતાના દરબારે પહોંચ્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સમાજને વિચારવા માટે મજબૂર કરી દીધો છે. અહીં, એક યુવાન તેની પત્નીથી એટલો બધો કંટાળી ગયો હતો કે  તેણે સુખી લગ્ન જીવનને બદલે અલગ થવાની માનતા માની હતી. તેની માનતા પૂર્ણ થતા જ તે યુવાન પોતાના ઘરથી 9 કિલોમીટર સુધી દંડવત પ્રણામ કરતો માતાના દરબારે પહોંચ્યો હતો.

હકીકતમાં, આ ઘટના સોનહા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રની છે. અહી રહેનારા રવિ નામના સ્થાનિક રહેવાસીએ બે વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ, દંપતી વચ્ચેના વિવાદો અને ઝઘડા એટલી હદે વધી ગયા કે રવિ માટે જીવન અસહ્ય બની ગયું. માનસિક તણાવથી તંગ આવીને રવિએ પ્રાચીન દેવી મા બૈડવ સમય માતાના દરબારમાં માનતા માની કે જો પત્નીથી કાયદેસર રીતે છૂટાછેડા થઈ જશે, તો તે દંડવત યાત્રા કરશે.

Dandavat-Yatra5
bhaskar.com

જેવો જ પત્નીથી કાયદેસર રીતે અલગ થવાનો માર્ગ ખૂલ્યો રવિએ માનતા પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. રવિવારે સવારે કોઈ પણ અન્ન-જળ ગ્રહણ કર્યા વિના રવિએ તેના ગામથી ભાનપુર સ્થિત દેવીના મંદિર સુધીની યાત્રા કરી હતી. 9 કિમી સુધી જમીન પર દંડવત કરતા યાત્રા કરવાને કારણે તેના ઘૂંટણ લોહીથી લથપથ થઈ ગયા અને તેનું શરીર સંપૂર્ણપણે થાકી ગયું હતું, પરંતુ ચહેરા પર આઝાદી ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

હેરાનીની વાત એ છે કે, આ અનોખી યાત્રા દરમિયાન રવિના માતા-પિતા અને અનેક ગામલોકો પણ વાજિત્ર અને જયકારા સાથે તેની પાછળ ચાલી રહ્યા હતા. સવારે શરૂ થયેલી આ યાત્રા સાંજે 6:00 વાગ્યે મંદિર પહોંચીને પૂર્ણ થઈ, જ્યાં રવિએ વિધિ-વિધાન અનુસાર પૂજા કરી.

Dandavat-Yatra6
bhaskar.com

પત્રકારો સાથે વાત કરતા રવિએ કહ્યું કે, ‘હું મારી પત્નીથી ખૂબ જ પીડિત હતો. છૂટકારો મેળવવા માટે માનતા લીધી હતી, અને હવે તે પૂર્ણ થઈ છે. હું હવે એકદમ ખુશ છું. આ ઘટના આજના સમયમાં સંબંધોની બગડતી સ્થિતિ અને આજના સમયમાં પ્રવર્તતા વધતા માનસિક તણાવનું જીવતું-જાગતું ઉદાહરણ છે, જ્યાં એક વ્યક્તિને સંબંધના બોજમાંથી નીકળવા માટે ઈશ્વરીય માનતાનો સહારો લેવો પડ્યો.

About The Author

Top News

EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન...
Gujarat 
EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે, પરંતુ રાજકીય ગરમાવો પહેલાથી જ વધી ગયો છે. ચૌધરીઓનો ગઢ ગણાતો...
National 
જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

અલીગઢના કાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરદૌસ નગરમાં મંગળવારે રાત્રે 2:30 વાગ્યે મચ્છર ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે અથવા ગેસ...
National 
મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

એક એવા સમાચાર બહાર આવ્યા છે, જે સમાજની કડવી વાસ્તવિકતા અને વ્યક્તિને અંદરથી અનુભવાતી એકલતાને ઉજાગર કરે છે. સામાન્ય...
National 
એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

Opinion

દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું! દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!
(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો...
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.