બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મત ગણતરીના નિયમોમાં ફેરફાર કર્યો

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આને લઈને ચૂંટણી પંચની ઓફિસમાં હલચલ ઝડપી બની ગઈ છે. મળતા અહેવાલો અનુસાર, ચૂંટણી પંચનું એક પ્રતિનિધિમંડળ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા માટે બિહારની મુલાકાત લેશે. ચૂંટણી પંચનું પ્રતિનિધિમંડળ પરત ફર્યા પછી કોઈપણ દિવસે બિહાર ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે બિહાર ચૂંટણી પહેલા મત ગણતરી પ્રક્રિયામાં ઘણા નોંધપાત્ર ફેરફારો કર્યા છે. હવે EVM ગણતરીના છેલ્લા બે રાઉન્ડની ગણતરી ત્યારે જ શરુ થશે જ્યારે મતપત્રોની ગણતરી પુરી થઇ જાય. ચૂંટણી પંચનું કહેવું છે કે, આનાથી પોસ્ટલ મતપત્રોની ગણતરીની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે.

Bihar Assembly Elections-2025
livehindustan.com

ચૂંટણી પંચ જણાવે છે કે, છેલ્લા છ મહિનામાં 29 મહત્વપૂર્ણ સુધારારૂપી પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે આ 30મું પગલું પોસ્ટલ મતપત્રો (ETPBs)ની ગણતરીની પ્રક્રિયાને વધુ સરળ અને સ્પષ્ટ કરવાનો છે. આ વખતે, મત ગણતરીની પ્રક્રિયા બે ભાગમાં હાથ ધરવામાં આવશે. પ્રથમ, પોસ્ટલ મતપત્રો/ETPBsની ગણતરી કરવામાં આવશે, અને બીજું, EVM મતોની ગણતરી કરવામાં આવશે. હંમેશની જેમ, પહેલા પોસ્ટલ મતપત્રોની ગણતરી કરવામાં આવશે, ત્યારપછી EVM ખોલવામાં આવશે. અગાઉની સિસ્ટમ હેઠળ, પોસ્ટલ બેલેટ પૂર્ણ થયા વિના EVM ગણતરી આગળ વધી શકતી હતી. આ વખતે, આવું નહીં થાય. હવે, EVM/VVPAT ગણતરીનો બીજો અને અંતિમ રાઉન્ડ પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા પછી જ થશે.

Snake In Train

મીડિયા અહેવાલો અનુસાર, બિહાર ચૂંટણીની તારીખો ઓક્ટોબરના બીજા અઠવાડિયાની શરૂઆતમાં જ જાહેર થઈ શકે છે. આ પહેલા, ચૂંટણી પંચે બિહાર સરકારના મુખ્ય સચિવ અને બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેણે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે તૈનાત અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે અને 6 ઓક્ટોબર સુધીમાં આ કાર્યવાહી અંગે રિપોર્ટ માંગ્યો છે. પંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ચૂંટણી કાર્યમાં સામેલ કોઈપણ અધિકારી તેમના ગૃહ જિલ્લામાં તૈનાત રહેશે નહીં. આ આદેશના ક્ષેત્રમાં DM, DDC, BDO, CO, ઝોનલ IG, રેન્જ DIG, રાજ્ય સશસ્ત્ર પોલીસના કમાન્ડન્ટ અને SSP અને અન્ય રેન્કના પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.