પૈસા ન હોવાને કારણે હવે કેદી જેલમાં નહીં રહે, સુપ્રીમ કોર્ટે બનાવ્યો પ્લાન

લગભગ ત્રણ વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મંચ પરથી જણાવ્યું હતું કે, ગરીબ આદિવાસીઓ જામીન માટેના પૈસા ન હોવાને કારણે જામીન મળ્યા છતાં જેલમાં બંધ રહેલા છે. ત્યારપછી સુપ્રીમ કોર્ટે આ બાબતની જાણકારી મેળવીને સ્વતઃ નોંધ લીધી અને હવે, દિવાળીના પ્રસંગે સારા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે ગરીબોની મુક્તિ માટે એક અનોખી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ઘડી છે. દેશની સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે, જો ગુના માટે ધરપકડ કરાયેલ અને ટ્રાયલ દરમિયાન જેલમાં બંધ કોઈપણ ગરીબ વ્યક્તિ જામીન માટે પૈસા ચૂકવી શકતો નથી, તો સરકાર તેમની મુક્તિ સુનિશ્ચિત કરશે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, સરકાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જામીનની રકમ પૂરી પાડશે.

Supreme Court-Poor Undertrial
economictimes.indiatimes.com

આ નવી SOP સુપ્રીમ કોર્ટે એમિકસ ક્યુરીના સૂચનોને સમાવીને તૈયાર કરી હતી. હા, જસ્ટિસ M.M. સુંદરેશ અને ન્યાયાધીશ S.C. શર્માની બેન્ચે એમિકસ ક્યુરી અને વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા તેમજ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીના સૂચનોનો સમાવેશ કર્યો. સુપ્રીમ કોર્ટે આ મુદ્દાની નોંધ ત્યારે લીધી જ્યારે જાણવા મળ્યું કે, હજારો કેદીઓ જામીન માટેના પૈસા ચૂકવી શકતા ન હોવાને કારણે જેલમાં બંધ છે.

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) રૂ. 1 લાખ સુધીની જામીન રકમ નક્કી કરી શકે છે, અને જો નીચલી અદાલત રૂ. 1 લાખથી વધુની રકમ નક્કી કરે છે, તો તે તેને ઘટાડવા માટે અરજી દાખલ કરશે.

Supreme Court-Poor Undertrial
newsclick.in

માર્ગદર્શિકામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈ અંડર ટ્રાયલ કેદીને જામીન મળ્યાના સાત દિવસની અંદર જેલમાંથી મુક્ત કરવામાં ન આવે, તો જેલ સત્તાવાળાઓ DLSA સચિવને જાણ કરશે. ત્યારપછી તેઓ તાત્કાલિક એક વ્યક્તિની નિમણૂક કરશે, જે ચકાસશે કે અંડરટ્રાયલના બચત ખાતામાં પૈસા છે કે નહીં.

Supreme Court-Poor Undertrial
hindustantimes.com

જો આરોપી પાસે જામીનમાં ભરવા માટે પૂરતા પૈસા ન હોય, તો જિલ્લા સ્તરીય સશક્ત સમિતિ રિપોર્ટ પ્રાપ્ત થયાના પાંચ દિવસની અંદર DLSA ની ભલામણ પર જામીન ભંડોળ મુક્ત કરવાનો નિર્દેશ આપશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે કિસ્સાઓમાં સશક્ત સમિતિ ભલામણ કરે છે કે, 'ગરીબ કેદીઓને સહાય યોજના' હેઠળ અંડરટ્રાયલ કેદીને નાણાકીય સહાયનો લાભ આપવામાં આવે, ત્યાં કેદી માટે જરૂરી 50,000 રૂપિયા સુધીની રકમ નિર્ધારિત રીતે નીકાળવા માટે અને સંબંધિત કોર્ટને ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપી શકાય છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.