આ IAS ઓફિસર એટલા ઈમાનદાર છે કે 20 વર્ષમાં 25 વાર ટ્રાન્સફર થઈ ગયું છે

મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી તુકારામ મુંઢે તેમની કડક કામ કરવાની પદ્ધતિ અને નિયમનું પાલન કરનારા ઓફિસર તરીકે જાણીતા છે. આના કારણે તુકારામ મુંઢેની કારકિર્દી દરમિયાન અનેક બદલીઓ થઈ ચુકી છે. મુંઢેની 20 વર્ષની કારકિર્દીમાં 25 વખત બદલી કરવામાં આવી છે.

થોડા વર્ષો પહેલા, તુકારામ મુંઢેને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમણે સમગ્ર મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા સામે કડક પગલાં લીધા છે.

મુંબઈમાં ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જાણે છે કે, તુકારામ મુંઢે કેટલા કડક અધિકારી છે. કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યા પછી, મુંઢેએ તેમના પહેલા નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, 'જાહેર આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવામાં આવશે નહીં.' તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ખાદ્ય ભેળસેળ સામે સમગ્ર મહારાષ્ટ્રમાં એક વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

કમિશનર બન્યા પછી, મુંઢેએ મુંબઈમાં ઘણી મોટી હોટલ અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મોટી માત્રામાં ભેળસેળયુક્ત દૂધ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમણે ગુટખા નેટવર્ક સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA) લાગુ કર્યો અને 56 રેસ્ટોરન્ટના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા.

3

મુંબઈમાં પાન દુકાનના માલિકોએ મુંઢેના કડક વલણ સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યો, આરોપ લગાવ્યો કે, નાના દુકાનદારો સામે કઠોર ફોજદારી કાયદાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તુકારામ મુંઢેનો જન્મ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના તાડસોના ગામમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. મુંઢે 2005માં IASમાં જોડાયા હતા અને ત્યાર પછી લગભગ બે દાયકા દરમિયાન વારંવાર બદલીઓ થવા છતાં વિવિધ હોદ્દાઓ પર સેવા આપી હતી. તેમના સમર્થકો તેમની વારંવાર બદલીઓને તેમની પ્રામાણિકતાને ગણાવે છે. જ્યારે તેઓ સોલાપુરના કલેક્ટર હતા, ત્યારે તેમણે સેંકડો ગામડાઓને પાણી પૂરું પાડ્યું હતું, જેના કારણે તેમને 'મહારાષ્ટ્રના વોટર મેન'નું ઉપનામ મળ્યું હતું.

જ્યારે તુકારામ નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બન્યા, ત્યારે તેમણે ગેરકાયદેસર બાંધકામો સામે મોટા પાયે તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરી. તેમણે ગેરકાયદેસર હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરી અને 'મોર્નિંગ વોક વિથ ધ કમિશનર' નામનો કાર્યક્રમ શરૂ કર્યો. આ સમયગાળા દરમિયાન, તેમના પર સરમુખત્યારશાહી વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

2016માં, NCP, કોંગ્રેસ અને અવિભાજિત શિવસેનાએ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો, પરંતુ CM દેવેન્દ્ર ફડણવીસે દરમિયાનગીરી કરી અને પ્રસ્તાવને અટકાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગેરરીતિઓ ઉજાગર કરનારા અધિકારીઓને સજા ન થવી જોઈએ. 2022માં જ્યારે તેઓ આરોગ્ય વિભાગના કમિશનર બન્યા, ત્યારે તેમણે સરકારી હોસ્પિટલોનું ઓચિંતું નિરીક્ષણ કર્યું અને બાયોમેટ્રિક હાજરી લાગુ કરી. તેમને લોકોનું જાહેર સમર્થન મળ્યું, પરંતુ જ્યારે થોડા જ અઠવાડિયામાં તેમની બદલી કરવામાં આવી, ત્યારે લોકોએ આ પ્રસ્તાવ સામે કોર્ટમાં અરજી દાખલ કરી.

1

ફૂડ કમિશનર તરીકે તેમની નિમણૂક થઈ ત્યારથી, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ફૂડ વિભાગનું મુખ્ય મથક ખૂબ જ ધમધમતું રહ્યું છે. મોટી સંખ્યામાં ફરિયાદીઓ અને ખાદ્ય વ્યવસાય માલિકો ઓફિસની મુલાકાત લે છે. તુકારામ સવારે 9:40 વાગ્યે આવે છે અને સાંજે 6:15 વાગ્યા સુધી ત્યાં રહે છે.

એક વરિષ્ઠ અધિકારી તુકારામ વિશે કહે છે કે, તેઓ ઝડપી ગતિએ કામ કરે છે, અને તેમના આવ્યા પછી, અધિકારીઓ સમયસર ઓફિસ પહોંચવા લાગ્યા છે. પહેલાં, ફૂડ વિભાગની કાર્યવાહીના ઓછા અહેવાલો આવતા હતા, પરંતુ હવે પ્રેસ નોટ્સ, વીડિયો અને ફોટા લગભગ દરરોજ બહાર પાડવામાં આવે છે.

અધિકારીઓ મુંઢે વિશે કહે છે કે તેઓ ખૂબ જ પ્રામાણિક છે, અને તેમના કામ પ્રત્યેનું તેમનું સમર્પણ નિર્વિવાદ છે. જોકે, કેટલાક તેમની કામ કરવાની પદ્ધતિ પર પ્રશ્ન ઉઠાવે છે. મુંઢે સાથે કામ કરનાર એક વ્યક્તિ કહે છે કે, જો તેમને એમ લાગ્યું કે આ નિર્ણય લોકોના હિતમાં છે, તો તેઓ તેનો તરત જ અમલ કરી દેશે, તેનાથી કોણ નારાજ થશે તેની ચિંતા તેઓ કરતા જ નથી.

મીડિયા સૂત્રોએ મુંબઈના ઘણા રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી. તેઓ કહે છે કે ગમે તેટલી સાવધાની રાખવામાં આવે, જો મુંઢે આવે છે, તો કોઈ પણ ભૂલ હશે અને તે તેને પકડી લેશે. રેસ્ટોરન્ટ માલિકો કહે છે કે તેઓ ઇચ્છે છે કે મુંઢે અહીં ન આવે.

4

એક રેસ્ટોરન્ટ માલિક કહે છે કે, તેઓ ફક્ત મોટા રેસ્ટોરન્ટ્સ સામે જ કાર્યવાહી કરે છે. ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં સામાન્ય સહમતિ છે કે, ખાદ્ય સુરક્ષાના ધોરણોમાં સુધારો થવો જોઈએ.

તુકારામ મુંઢેની બદલીનો મુદ્દો મહારાષ્ટ્ર વિધાનસભામાં સુધી પહોંચી ચુક્યો છે. NCP (SP)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે માંગ કરી છે કે, મહારાષ્ટ્ર સરકાર ઓછામાં ઓછા 3 વર્ષ માટે મુંઢેનું ટ્રાન્સફર ન કરે. આવ્હાડે કહ્યું કે તુકારામ મુંઢે અને તેમના પરિવારને ધમકીઓ મળી રહી છે. BJPના ધારાસભ્ય સુધીર મુનગંટીવાર તુકારામ મુંઢેને ટેકો આપે છે.

આ અંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નરહરી જીરવાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં જણાવ્યું હતું કે, મુંઢેના ટ્રાન્સફરનો કોઈ પ્રસ્તાવ નથી અને તેમની સુરક્ષા ચિંતાઓની તપાસ કરવામાં આવશે. મુંઢેના નજીકના લોકો કહે છે કે, વારંવાર ટ્રાન્સફરને કારણે તેમના બાળકોને ઘણી વખત શાળાઓ બદલવી પડે છે અને આનાથી તેમના પારિવારિક જીવન પર અસર પડે છે.

About The Author

Related Posts

Top News

સોનમ વાંગચુક પર સુનાવણી દરમિયાન શું-શું દલીલો થઇ, કોર્ટે કેવી રીતે મેદાંતા શિફ્ટ કરવા માટે આપી સંમત્તિ?

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સોનમ વાંગચુક અંગે એક મોટો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે તેમને સફદરજંગ હોસ્પિટલથી મેદાંતા શિફ્ટ કરવાનો આદેશ આપ્યો...
National 
સોનમ વાંગચુક પર સુનાવણી દરમિયાન શું-શું દલીલો થઇ, કોર્ટે કેવી રીતે મેદાંતા શિફ્ટ કરવા માટે આપી સંમત્તિ?

ગુજરાતના 28 IAS અધિકારીની બદલી, સુરતને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતા 28 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના...
Gujarat 
ગુજરાતના 28 IAS અધિકારીની બદલી, સુરતને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર

ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

BCCI મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા સ્થાનિક ક્રિકેટમાં પ્રસ્તાવિત નવા ક્રિકેટ નિયમો લાગૂ કરવા માટે તૈયાર છે. આ નિયમો...
Sports 
ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?

અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલી McDonald's રેસ્ટોરન્ટ...
Gujarat 
અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.