આ માલિકે પોતાનું શાનદાર ઘર, કાર, 30 એકર જમીન સહિતની સંપત્તિ નોકરોને આપી દીધી

સામાન્ય રીતે માલિક અને નોકર વચ્ચેનો સંબંધ કામ પૂરતો મર્યાદિત હોય છે. બહુ ઓછા માલિકો છે જેઓ તેમના નોકરોને તેમના પરિવારના સભ્યોની જેમ વર્તે છે. પરંતુ ઘણી વખત આવા કિસ્સાઓ સામે આવે છે, જેમાં માલિક કંઈક એવું કરે છે જે અન્ય લોકોને પ્રેરણા આપે છે અને મીડિયામાં ચર્ચામાં રહે છે.

આવા જ એક દિલદાર બોસની વાત પંજાબથી સામે આવી છે. શ્રી મુક્તસર સાહિબના બાંમ ગામમાં રહેતા 87 વર્ષની વયના બલજીત સિંહ માને પોતાના જીવતે જીવ પોતાની 30 એકર જમીન, ઘર અને બધી કાર તેમની સાથે કામ કરતા નોકરોના નામે કરી દીધી છે. બલજીત સિંહ માનને કોઇ સંતાન નથી અને તેમણે જે સંપત્તિ નોકરોને દાન આપી દીધી છે તે નોકરો વર્ષોથી તેમની સાથે જોડાયેલા છે.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ બલજીત સિંહ માનનું કહેવું છે કે, વર્ષ 2011માં પત્નીના અવસાન પછી તેઓ સાવ એકલાં પડી ગયા હતા. કોઇ સંબંધી તેમને જોવા નહોતું આવતું. પત્ની જ્યારે જીવીત હતી ત્યારે કેટલાંક સ્વજનોઓ તેમની બધી જમીન પચાવી પાડવાની કોશિશ કરી હતી. આવી સ્થિતિમાં તેમના નોકરોએ હંમેશા તેમની સાથે રહ્યા અને સેવા કરતા રહ્યા. બલજીત સિંહે કહ્યું કે, મેં અને મારી પત્નીએ તે વખતે જ નિર્ણય કર્યો હતો કે જાયદાદ કોઇ પણ સંબંધીને આપીશું નહીં.

બલજીત સિંહે કહ્યું કે, બઠિંડા પેટ્રોલ પંપ પર કામ કરતા ઇકબાલ નામના કર્મચારીને 19 એકર જમીન આપી દીધી છે. જ્યારે અન્ય બે  કર્મચારીઓમાં એકને 6 એકર અને અન્યને 4 એકર જમીન તેમના નામે કરી દીધી છે. ઇકબાલ સિંહે કહ્યું કે માલિક બલજીત સિંહે તેમનું આલીશાન ઘર મને આપી દીધું છે અને પોતે ખેતરમાં બનાવેલા બે રૂમના ઘરમાં રહેવા જતા રહ્યા છે.

ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે માણસે માત્ર કર્મ કરવા પર ધ્યાન આપવું જોઇએ ફળની આશા રાખવી નહીં. ફળ તમને કયા સ્વરૂપમાં ક્યારે મળી જાય તે નવાઇ નહીં. ઘણા એવા માણસો હોય છે જેમને સંતાનો હોતા નથી, પરંતુ તેમની અઢળક સંપત્તિ તેમની સાથે કામ કરતા માણસોને આપવાનો જીવ ચાલતો નથી. મોત પછી આવી સંપત્તિ માટે લડાલડી થતી હોય છે. પરંતુ બલવત સિંહે જીવતે જીવ સંપત્તિ પોતાના વફાદાર માણસોને દાન કરીને એક મિશાલ ઉભી કરી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.