બે માલગાડી એક-બીજા સાથે ટકરાઇ, 12 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા

હાલમાં જ બાલસોરમાં એક મોટો રેલ અકસ્માત થઈ ગયો હતો, જેમાં લગભગ 300 લોકોના મોત થઈ ગયા હતા. હવે વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળના બાંકુડામાં એક મોટો રેલ અકસ્માત થઈ ગયો છે. અહીં બે માલગાડીઓ અરસપરસ ટકરાઇ ગઈ. ત્યારબાદ ઓછામાં ઓછા 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા. એક માલગાડીનો ચાલક ઇજાગ્રસ્ત થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક મલગાડીને બીજીને પાછળથી ટક્કર મારી દીધી.

રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને જ માલગાડીમાં કોઈ સામાન ભરવામાં આવ્યો નહોતો. અકસ્માતના કારણે આદ્રા મંડળમાં ટ્રેન રુટ પ્રભાવિત થયા છે અને ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. રેલવેના અધિકારી જલદી જ રુટને રિસ્ટોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેલવે ડિવિઝન પશ્ચિમ બેંગાળના 4 જિલ્લાઓમાં સેવાઓ આપે છે. પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા અને બર્દવાનના રુટ આ ડિવિઝનથી સંચાલિત થાય છે. રિપોર્ટ્સ મુજબ, રેલવે અધિકારી ઘટનાની તપાસ કરશે.

એક ટીમ અકસ્માતવાળી જગ્યા પર પહોંચી છે. ઘટનાના તુરંત બાદ ત્યાં સ્થાનિક લોકો પહોંચી ગયા હતા. આ અકસ્માતથી મોટા સવાલ ઉઠી રહ્યા છે. જો માલગાડીની જગ્યાએ કોઈ મુસાફર ટ્રેન હોતી તો ફરી એક વખત બાલાસોર જેવો અકસ્માત થઈ શકતો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ અકસ્માત બાદ આજે પુરુલિયા હાવડા એક્સપ્રેસ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. તો પોરબંદર સંતરાગાછી એક્સપ્રેસને પુરુલિયા સ્ટેશનથી ચાંડીલ ટાટાનગરના રસ્તે મોકલવામાં આવી રહ્યા છે.

આ ઘટના બાબતે દક્ષિણ પૂર્વ રેલવેના CPROએ કહ્યું કે, ઓન્ડાગ્રામ સ્ટેશન પર રેલવે મેન્ટેનેન્સ ટ્રેન (BRN)ની શન્ટિંગ ચાલી રહી હતી. માલગાડી લાલ સિગ્નલથી આગળ નીકળી ગઈ અને ન રોકાઈ અને BRN મેન્ટેનેન્સ ટ્રેન સાથે ટકરાઇને ટ્રેક પરથી ઉતરી ગઈ. આ ઘટના લગભગ સવારે 4:05 વાગ્યે થઈ, જેમાં 8 વેગન ટ્રેન પરથી ઉતરી ગયા. રેલવે ટ્રાફિકને ચાલુ કરવાનું કામ ચાલી રહ્યું છે. અપ મેલ લાઇન અને અપ લૂપ લાઇન પહેલા જ 7:45 વાગ્યે ચાલુ કરી દેવામાં આવી છે.

સેક્શન પર રેલ ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારથી પહેલી ટ્રેન 8:35એ પસાર થઈ. બાલસોરમાં ટ્રેક પર ઊભી માલગાડીને પાછળથી આવી રહેલી ટ્રેને જોરદાર ટક્કર મારી દીધી હતી. બીજી તરફથી આવી રહેલી હાવડા એક્સપ્રેસ પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જો કે, અત્યારે દુર્ઘટનાના અસલી કારણો પર કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.