વિશ્વ આજે ભારત તરફ આશાની ભાવના સાથે જોઈ રહ્યું છે: મંત્રી અનુરાગ ઠાકુર

On

કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે હમારા સંકલ્પ વિકસિત ભારતની થીમ સાથે ભારત સરકારનું કેલેન્ડર 2024 લોન્ચ કર્યું હતું. કેલેન્ડર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળની યોજનાઓ અને પહેલોના અમલીકરણ અને લોકોને અનુકૂળ નીતિઓની રચના દ્વારા ભારતના લોકોના જીવનમાં લાવવામાં આવેલા સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિવર્તનને દર્શાવવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતે પ્રવાસી બનવાની દિશામાં હરણફાળ ભરી છે. એક દેશ જે મોબાઇલ ફોન્સનો બીજા ક્રમનો સૌથી મોટો આયાતકાર હતો તે આજે બીજો સૌથી મોટો ઉત્પાદક છે. એક દેશ જે રસીની આયાત કરતો હતો તે હવે રસી મૈત્રી હેઠળ સમગ્ર વિશ્વમાં રસીનું વિતરણ કરી રહ્યો છે. ભારત આજે મેન્યુફેક્ચરિંગ જાયન્ટ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે જગ્યાઓ પર ભારતની હાજરી નહોતી, તેમાં પણ ભારત હવે ગણતરી કરવાની તાકાત બની ગયું છે અને તેનું ઉદાહરણ પૂરું પાડતાં તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારત ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે.

તેમણે જણાવ્યું હતું કે, સરકાર મહિલા સશક્તીકરણને સર્વોપરી માને છે અને તેનું ઉદાહરણ એક તરફ ઉજ્જવલા યોજના અને બીજી તરફ ડ્રોન દીદી દ્વારા આપવામાં આવ્યું છે. ખેડૂત કલ્યાણના વિષય પર તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે જ સ્વામીનાથન સમિતિનો અહેવાલ અમલમાં મૂક્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોની સમૃદ્ધિ પાછળ 2.8 લાખ કરોડનો ખર્ચ કર્યો છે.

પારદર્શકતા અને જવાબદારી એ સરકારનું સૂત્ર છે અને આ જ લોકાચાર છે, જેણે ભારતને એક સમયે નાજુક પાંચ અર્થતંત્રોમાંથી એક અર્થતંત્રમાંથી આજની દુનિયાના પાંચમા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર તરફ દોરી ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ મૂલ્યોનો જુસ્સો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ટોચ પરથી વહે છે.

આશાવાદી નોંધ પર પોતાના સંબોધનના અંતે તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2023 પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે વર્ષ 2024 તકોની નવી સવાર લઈને આવ્યું છે. વિશ્વ ભારત તરફ આશાની ભાવના સાથે જોઈ રહ્યું છે, વિશ્વ તેના નેતૃત્વ માટે ભારત તરફ મીટ માંડી રહ્યું છે.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.