UPની સરકારી હોસ્પિટલ, જ્યાં દર્દીઓના પલંગ પર કૂતરો ચડી જાય.. કોરિડોરમાં ગાય રખડે

ભારત દેશના કોઈ પણ ખૂણામાં તમે જાઓ, અને સરકારી હોસ્પિટલની મુલાકાત લેવાનું થાય તો તેમાં તમને રેઢિયાળ તંત્ર, બેજવાબદાર, અવ્યવસ્થિત સટાફ, જ્યાં ત્યાં ગંદકી એક એવું ચિત્ર દરેક ભારતીય નાગરિકના મનમાં રેખાંકિત થયેલું હોય છે. જ્યાં મોટા ભાગે ગરીબ અને લાચાર લોકો પોતાની બીમારીનો ઈલાજ કરાવવા જતા હોય છે તે હોસ્પિટલો જો ખુદ બીમાર જેવી હાલતમાં હોય, અને ધણી વગરના ઢોર જેવું તંત્ર હોય ત્યાં લોકો વધારે શું આશા રાખતા હોય. આવું જ એક ચિત્ર ઉત્તર પ્રદેશની બંદા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. જેના કારણે તે ચર્ચાના ચકડોળે ચડ્યું છે. 

ઉત્તર પ્રદેશના બાંદાની જિલ્લા હોસ્પિટલ ફરી ચર્ચામાં છે. એક કૂતરો વોર્ડમાં દાખલ દર્દીના પલંગ પર ચડીને તેના બિસ્કિટ ખાતો જોવા મળે છે, જ્યારે એક ગાય પણ હોસ્પિટલમાં રખડતી જોવા મળે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. હાલ પૂરતું, મુખ્ય તબીબી અધિક્ષક (CMS)એ તેની તપાસ માટે સૂચના આપી છે અને કાર્યવાહીના આદેશ આપ્યા છે.

આ મામલો જિલ્લા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇમરજન્સી વોર્ડનો છે, જ્યાં એક કૂતરો દાખલ દર્દીના પલંગ પર ચડીને બિસ્કિટ ખાતો જોવા મળે છે. તેનો વીડિયો દર્દીના સાગા સબંધીઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ સાથે જ એક અન્ય વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં એક ગાય હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓની વચ્ચે રખડતી જોવા મળી રહી છે.

આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકો કાર્યવાહીની માંગ કરતા દેખાયા. ખાસ વાત એ છે કે જિલ્લા હોસ્પિટલમાં અવાર-નવાર રખડતા કૂતરાઓ જોવા મળે છે. હાલમાં તો CMSએ ફરજ પરના ઈન્ચાર્જ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. ગાયના મામલે CMSએ જણાવ્યું કે, પાછળનો દરવાજો દર્દીઓ દ્વારા ખોલી નાંખવામાં આવે છે, જેના કારણે ગાય આવી ગઈ હશે.

CMS ડૉક્ટર SN મિશ્રાએ જણાવ્યું કે, એક વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે, જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કંપનીને મેડિકલ સ્ટાફની ડ્યૂટી પર નજર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અમારે ત્યાં 3 શિફ્ટમાં ડ્યુટી લગાવવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.