મજૂરી કરીને ચાલે છે ગુજરાન, આવકવેરા વિભાગે 7 કરોડ રૂપિયાથી વધુની વેરાની નોટિસ ફટકારી

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ગરીબ મજૂરને આવકવેરા વિભાગે 7 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસ મોકલી છે. હેરાનીની વાત એ છે કે, મજૂરના ઘરમાં એક મહિનાનું ભોજન પણ મુશ્કેલથી જમા થાય છે. હવે, 7 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસથી તેના આખા પરિવાર પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. મજૂર હવે અધિકારીઓથી લઈને કોર્ટ સુધી દોડવા મજબૂર છે.

આજ તકના અહેવાલ મુજબ, આ મામલો હરદોઈના માધોગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂદામઉ ગામનો છે. અહીના રહેવાસી ગોવિંદ કુમાર મજૂર તરીકે કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાં જ તેને આવકવેરાની નોટિસ મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના પર 7 કરોડ રૂપિયાનો કર બાકી છે. નોટિસ જોઈને ગોવિંદ અને તેમના આખા પરિવારના પગ નીચેથી જમીન  સરકી ગઈ.

પરિવારનું કહેવું છે કે, એક મજૂર પાસે 7 કરોડ રૂપિયા ક્યાંથી આવશે? બીજી તરફ, ગોવિંદને તેની સાથે છેતરપિંડી થવાની શંકા છે. તેણે જણાવ્યું હતું કે 6 વર્ષ પહેલાં, તે કામની શોધમાં કાનપુર ગયો હતો. એક મહિલાએ સરકારી સહાયનું વચન આપીને તેને છેતર્યો. તે તેને સીતાપુર લઈ ગઈ, જ્યાં તેનું બેંક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. બદલામાં તેને બે થી ત્રણ હજાર રૂપિયા આપવામાં આવ્યા, પરંતુ તેની ચેકબુક લઈ લેવામાં આવી હતી.

Income-tax1
thelallantop.com

હવે, ગોવિંદનું માનવું છે કે આ ખાતું છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયું હશે. એવી શંકા છે કે ગોવિંદના ખાતાનો ઉપયોગ કરીને નકલી કંપનીઓ બનાવવામાં આવી હશે, અને તેના દ્વારા લાખો અને કરોડોના વ્યવહારો કરવામાં આવ્યા હશે. આવકવેરા વિભાગની ટીમે ગોવિંદને જૂની નોટિસો અને બેંક વ્યવહારોની વિગતો બતાવી. આ બધું જોઈને, ગોવિંદને પોતાની આંખો પર જ વિશ્વાસ ન થયો. હવે, ગોવિંદ સમગ્ર મામલામાં પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે અધિકારીઓને અપીલ કરવાની તૈયારી કરી રહ્યો છે. આજ તકના અહેવાલ મુજબ તેણે કહ્યું કે, ‘મારી સાથે છેતરપિંડી થઈ છે. પૈસાના ચક્કરમાં મારું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. કાનપુરમાં કામ કરવા ગયો હતો અને એક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. ત્યાં મારી સાથે છેતરપિંડી થઈ છે. હવે હું કેપ્ટન જીને મદદ કરવા અને માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જીને થોડી મદદ કરવા અપીલ કરવા માંગુ છું. હું ખૂબ ગરીબ વ્યક્તિ છું. મહેનત મજૂરી કરું છું અને મારી પાસે કંઈ નથી. જે કહો કે હું આટલી લેવડ-દેવડ કેવી રીતે કરી શકું છું. જે કઈ છે, મારી પાસે આટલું જ છે.

Income-tax2
ndtv.com

ગોવિંદના વૃદ્ધ માતા-પિતા પણ આ નોટિસથી ખૂબ જ પરેશાન છે. તેમનું કહેવું છે કે, ‘અમારો દીકરો મજૂરી કરે છે, અમારી પાસે ખેતી કરવા માટે કોઈ જમીન પણ નથી. અમે આટલા પૈસા ક્યાંથી લાવીશું?’ આ આખો મામલો સિસ્ટમની નિષ્ફળતાને પણ ઉજાગર કરે છે કે, વર્ષોથી, એક વ્યક્તિના નામે નકલી કંપનીઓ બનાવવામાં આવી છે અને લેવડ-દેવડ કરવામાં આવી છે, અને બેંકોથી લઈને સરકારી એજન્સીઓ સુધી કોઈને પણ આ વાતની જાણ થતી નથી.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.