ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ બોલ્યો-હું ભારતીય નથી, તપાસમાં લાગી એજન્સીઓ

અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા બાદ ખાલિસ્તાન સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહે હવે એક મોટું આપીને બધાને ચોંકાવી દીધા છે. અમૃતપાલ સિંહનું કહેવું છે કે, તે પોતાને ભારતીય માનતો નથી. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારતીય પાસપૉર્ટ એક દસ્તાવેજ છે અને તેનાથી તે ભારતીય બની જતો નથી. આ આખા ઘટનાક્રમ બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે.

અમૃતપાલ સિંહે કહ્યું કે, લવપ્રીતની ધરપકડ અને ત્યારબાદ પંજાબ પોલીસ દ્વારા તેને છોડવાની ભવિષ્યની દિશા બદલી દેશે. પોલીસ સતર્ક રહેતી તો આ ઘટના ટાળી શકતી હતી. અમૃતપાલે કહ્યું કે, પોલીસે ખોટા ઇન્ટેલિજેન્સ રિપોર્ટના આધાર પર ઉતાવળમાં કાર્યવાહી કરી. અધિકારીઓએ મારી બાબતે ખોટી જાણકારી આપી કે મારી પાસે સમર્થન નથી. આતંકવાદ કોઈ એવી વસ્તુ નથી, જેને તે શરૂ કરવામાં સક્ષમ છે.

તેણે કહ્યું કે, કોઈ પણ ઉગ્રવાદ શરૂ કે સમાપ્ત નહીં કરી શકે. ઉગ્રવાદને એક પ્રાકૃતિક ઘટના બતાવતા કહ્યું કે, એ ક્યાંય પણ દમનની લાંબી અવધિ બાદ થાય છે. હું કોઈને આતંકવાદ શરૂ કરવાનો આદેશ નહીં આપી શકું. બીજી તરફ અજનાલા ઘટનાક્રમ બાદ કેન્દ્ર સરકાર ‘વેટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી રહી છે. એક સત્તાવાર અધિકારીના સંદર્ભે એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પંજાબનો ઇતિહાસ બધાને ભારે પડ્યો છે. અમે રાહ જોઈ રહ્યા છીએ.

કાયદા અને વ્યવસ્થા બનાવી રાખવું અનિવાર્ય રૂપે રાજ્ય સરકારની જવાબદારી છે. એક અન્ય જાણકારના સંદર્ભે ટ્રિબ્યૂનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમૃતપાલ સિંહને યુરોપના નાના હિસ્સા સિવાય બ્રિટન અને કેનેડામાં ઉપસ્થિત કટ્ટરપંથી તત્વોથી સમર્થન મળ્યું છે. એજન્સીઓ ફેન્ડિંગના રૂટની જાણકારી મેળવી રહી છે. એ જાણકારી મેળવવા માટે તપાસ ચાલી રહી છે કે તેને કોણ અને કેવી રીતે ફંડિંગ કરી રહ્યું છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કહ્યું કે, પંજાબમાં કાયદા વ્યવસ્થાની હાલત ખૂબ ખરાબ છે. જો પંજાબ સરકાર તેને સંભાળવા સક્ષમ નથી તો ભારત સરકારે કાર્યભાર સંભાળવો પડશે. રોજ ડ્રોન પકડાઈ રહ્યા છે. મને લાગે છે કે કેન્દ્રએ તેને જોવું જોઈએ. કોઈ પણ સરકાર એવી રીતે નહીં ચાલી શકે, જે પ્રકારે આ સરકાર ચાલી રહી છે. જે દિવસે અજનાલા કાંડ થયો, એ દિવસે ભગવંત માન મુંબઇમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠા હતા. પંજાબમાં જે ચાલી રહ્યું છે તેમાં તેમનો કોઈ રસ નથી. તે કોઈ પણ પગલું ઉઠાવતા ડરે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.