જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં AAP MLA એવું બોલ્યા કે MLA મારામારી સુધી પહોંચી ગયા

જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિક પર BJPના ધારાસભ્યોએ કથિત રીતે હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ ઘટના 5 એપ્રિલના રોજ વિધાનસભા પરિસરની અંદર બની હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ડોડાના AAP ધારાસભ્ય મેહરાજ મલિકે કથિત રીતે હિન્દુઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી BJPના નેતાઓએ તેમના પર હુમલો કર્યો.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર, મેહરાજ મલિકે કહ્યું હતું કે, 'જ્યારે પણ કોઈ મુસ્લિમ કંઈક કરે છે, ત્યારે BJP હંગામો મચાવી દે છે. પરંતુ તેમને હિન્દુઓના નશાની કોઈ પરવા નથી. તેમને પૂછો, શું તેઓ દારૂની દુકાનો બંધ કરશે? તેઓ નહીં કરે, કારણ કે હિન્દુઓ તહેવારો અને લગ્ન દરમિયાન દારૂ પીવે છે. તેઓ દારૂના વ્યસની છે, પરંતુ BJP આ વ્યસનને સમાપ્ત કરવા માંગતી નથી. એક રાજકારણીનો કોઈ ધર્મ ન હોવો જોઈએ.'

MLA Mehraj Malik
theindiadaily.com

આ નિવેદન પછી BJPના નેતાઓ ગુસ્સે ભરાયા અને તેમણે મલિકને વિધાનસભાની બહાર ઘેરી લીધા અને તેમના પર હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં, BJP નેતા મેહરાજ મલિકને ધક્કો મારતા જોવા મળે છે.

BJPના ધારાસભ્ય વિક્રમ રંધાવાએ મેહરાજ મલિક પર હિન્દુઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મલિક સામે કડક કાર્યવાહીની માંગ કરી. ત્યાં સુધી કે તેમના પર જાહેર સલામતી કાયદો (PSA) લગાવવાની પણ ચર્ચા થઈ હતી.

MLA Mehraj Malik
jammukashmir.punjabkesari.in

મીડિયા સાથે વાત કરતા રંધાવાએ કહ્યું, 'તેણે હિન્દુઓને ગાળો આપી છે... અમે આ સહન નહીં કરીએ... તેણે કહ્યું કે 'તિલક લગાવ્યા પછી હિન્દુઓ બળાત્કાર કરે છે'... અમે તેમને આનો જવાબ આપીશું.'

બીજા એક વીડિયોમાં, વિક્રમ રંધાવાએ કહ્યું, 'આપણું દુર્ભાગ્ય છે કે આવા ખરાબ વિચાર ધરાવતા લોકો ધારાસભ્ય બની ગયા છે. તેઓ ગમે તે સમુદાયના હોય, તેઓ જે કંઈ કહે છે તે BJP અને હિન્દુઓ વિરુદ્ધ છે. તેમની સામે ઘણા કેસ નોંધાયેલા છે... તેમનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ અને અમે સ્પીકરને માંગ કરીશું કે તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવે. તેઓ દરરોજ વાહિયાત વાતો કરતા હોય છે.'

MLA Mehraj Malik
tv9hindi.com

બીજી એક વાંધાજનક ટિપ્પણીમાં રંધાવાએ કહ્યું, 'એક સામાન્ય ધારાસભ્યને લાગે છે કે તે હિન્દુઓ સાથે દુર્વ્યવહાર કરી શકે છે? આજે અમે તેમને પાઠ ભણાવીશું.'

આ દરમિયાન, મેહરાજ મલિક વિધાનસભાની અંદર એક ટેબલ પર ઉભા રહ્યા અને BJPના કાર્યકરો પર તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, BJP દ્વારા તેમના પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.

MLA Mehraj Malik
tv9hindi.com

વિધાનસભામાં હોબાળો ત્યારે વધુ વધી ગયો જ્યારે PDP કાર્યકરો અને મેહરાજ મલિક વચ્ચે ઘર્ષણ થયું. ભૂતપૂર્વ CM મુફ્તી મોહમ્મદ સઈદ વિરુદ્ધ મલિકની અગાઉની ટિપ્પણીને કારણે આ અથડામણ થઈ હતી. આ કારણે ગૃહને ત્રણ કલાક માટે કાર્યવાહી સ્થગિત કરવી પડી.

આ સમગ્ર વિવાદ વકફ કાયદા પર ચર્ચા ન થવા દેવાના સરકારના નિર્ણયને કારણે ઉભો થયો હતો. BJPના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા પ્રદર્શન કર્યા અને સરકાર પર બેરોજગારી અને દૈનિક વેતન મેળવનારાઓને નિયમિત કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.